Tuesday, January 20, 2026

અમદાવાદમાં ફિલ્મોને ટક્કર મારે એવો રસપ્રદ કિસ્સો, મિત્રને જેલમાંથી છોડાવવા મિત્ર બની ગયો લૂંટારો

spot_img
Share

અમદાવાદ: અમદાવાદમાં ફિલ્મોને ટક્કર મારે એવો રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મિત્રએ બીજા મિત્રને પ્રેમલગ્નમાં પૈસાની મદદ કરવા માટે લૂંટારો બની ગયો હોવાની ઘટના સામે આવી છે.નરોડા કોલેજમાં સાથે ભણતા મિત્ર માટે તલોદમાં રહેતા યુવાને અમદાવાદ આવીને નિવૃત કસ્ટમ અધિકારીના ઘરમાં ધુસીને એરગન બતાવીને 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને લૂંટનો પ્રયાસ કર્યો હતો. અધિકારીની સમય સૂચકતાને લીધે તરત જ પોલીસ ને જાણ કરી હતી અને યુવાનની ધરપક્ડ કરી હતી. આરોપી દક્ષેશ જોષીની પૂછપરછ કરતા ઘણી ચોંકવવનારી હકીકતો સામે આવી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ,આનંદનગરના સ્મીત સાગર સોસાયટીના 34 નંબર બંગલામાં રહેતા પૂર્વ કસ્ટમ અધિકારી રમેશકુમાર ચૌહાણના પોતાના પરિવાર સાથે ઘરમાં હતા ત્યારે સોમવારના સાંજે એક બુકાનીધારી શખ્સ હથિયાર લઇને ઘરમાં ઘૂસ્યો હતો. આ શખ્સે રમેશકુમારના લમણે હથિયાર મૂકીને આપકે ઘરમે જીતને પૈસે હે દે દો કહીને 50 લાખ રૂપિયાની માંગણી કરીને જાનથી મારી નખાવાની ધમકી આપી હતી. ત્યારે રમેશકુમાર તથા તેમની પત્નીએ ઘરની તિજોરીમાંથી રૂ.20 હજાર આપ્યા હતા.લૂંટારાએ ડરાવવા માટે પોતાની પાસે રહેલા હથિયારથી ફાયરિંગ કર્યું હતું અને ફાયરિંગ થતા જ અધિકારીને ખબર પડી ગઈ હતીં કે આ તો એરગન છે. ત્યારે તેમણે યુવાનને ટિપોઈ મારી અને નીચે પટકાતા તરત જ પોલીસને જાણ કરી આનંદનગર પોલીસને સોંપ્યો હતો.

પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપી દક્ષેશ જોષી (ઉમર .20 વર્ષ રહે. બ્રાહ્મણ ફળિયુ, મોટા ચેખલા, તલોદ)ની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હતી. જેમાં સામે આવ્યું કે તે નરોડા કોલેજમાં અભ્યાસ કરતો હતો અને સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તેનો એક મિત્ર તેની પ્રેમિકાને ભગાડી જતા તેના પર પોક્સો કેસ થયેલો હતો. આ કેસમાં જેલમાં બંધ હોવાથી તેના કેસના સમાધાન માટે અને જેલમાંથી બહાર કાઢવા માટે દોઢ લાખની જરૂર હતી.

જેલમાં બંધ તેના મિત્ર સાહિલે દક્ષેશ પાસે મદદ માંગી હતી. દક્ષેશને વાત કરતા તે દોઢ લાખની વ્યવસ્થા કરવામાં લાગી ગયો હતો. જો કે ક્યાંય નાણાંની સગવડ ન થતાં દક્ષેશ ઘરે ગયો હતો. ઘરેથી એરગન, છરી, આરી જેવા હથિયારો બેગમાં લઈને એસટી બસમાં અમદાવાદ આવ્યો હતો. ગીતામંદિરથી બુટભવાની મંદિર પાસે રીક્ષામાંથી ઉતરીને તે રેકી કરતો કરતો સ્મીત સાગર સોસાયટીમાં ઘૂસ્યો હતો અને ગુનાને અંજામ આપ્યો હતો.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...