Wednesday, January 21, 2026

અમદાવાદમાં પણ સ્માર્ટ મીટરના નામે સ્માર્ટ લૂંટ ! લોકોએ થાળીઓ વગાડી વિરોધ કર્યો

spot_img
Share

અમદાવાદ : સમગ્ર ગુજરાતમાં અત્યારે સ્માર્ટ મીટર લગાડવા સામે વિરોધનો સૂર ઉઠી રહ્યો છે ત્યારે વડોદરા, સુરત બાદ અમદાવાદમાં પણ વિરોધ સાથે થાળીઓ વગાડવામાં આવી હતી.સ્માર્ટ મીટરના નામે સ્માર્ટ લૂંટ ચાલતી હોવાનો લોકો આરોપ લગાવી રહ્યા છે. થાળી, ચમચી લઈને સ્થાનિકો તંત્ર સામે હાય હાયના નારા લગાવી વિરોધ કર્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના નરોડાની પ્રથમ પ્રાયોરિટી સોસાયટી અને આસપાસની કેટલીક સોસાયટીઓમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. જે સ્માર્ટ મીટરમાં વધુ બિલ દર્શાવતા સ્થાનિકો નરોડ જીઈબીની ઓફિસ જઈને થાળી-ચમચી વગાડીને ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમજ લોકો મોટે મોટેથી ‘બંધ કરો બંધ કરો સ્માર્ટ મીટર બંધ કરો’ જેવા નારા પણ લગાવ્યા હતા.સ્થાનિકોનો એવો પણ દાવો છે કે, સોસાયટીના લોકોને કોઈપણ જાતની જાણ કર્યા વિના અને વિશ્વાસમાં લીધા વિના જ સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા હતા.

સ્માર્ટ મીટરને લઈ સ્થાનિકોની એકમાત્ર માંગ છે કે, તાત્કાલિક ધોરણે સ્માર્ટ મીટર બંધ કરવામાં આવે કારણ કે, સ્માર્ટ મીટરમાં મહિનો પૂરો નથી થતો અને 3,000થી 4,000 સુધીનું બિલ બતાવવા લાગે છે. જે સાદા મીટરમાં 2 મહિનાનું વીજ બિલ 2 હજાર સુધી આવતું હતું. સ્માર્ટ મીટરનો વિરોધ કરવા માટે સ્થાનિકોએ થાળી-ચમચી વગાડીને નારા સાથે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...