Wednesday, January 21, 2026

અમદાવાદની આ શાળાઓમાં વિધાર્થીઓને વિશેષ પદ્ધતિથી યોગનું અપાયું માર્ગદર્શન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર દેશભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદમાં નવરંગપુરામાં આવેલ SVS ઇંગ્લિશ સ્કૂલ અને નવા વાડજ વિસ્તારમાં આવેલ શ્રી ન્યુ વિદ્યાવિહાર (વાડી) સ્કૂલમાં માનસા ફાઉન્ડેશન (બેન્ગલુરુ) સંસ્થાના સ્વયંસેવક દ્વારા વિદ્યાર્થીઓને યોગનું મહત્વ તેમજ તેનાથી થતા ફાયદા વિશે માર્ગદર્શન આપી યોગની તાલીમ આપી હતી. જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, તેમજ શાળાના શિક્ષકોએ ભાગ લીધો હતો.

યોગદિવસની ઉજવણી સમગ્ર દેશમાં વિવિધ યોગશિબિર દ્વારા વ્યક્તિગત, સામુહિક તથા સંસ્થાગત કરવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં નવરંગપુરામાં આવેલ SVS ઇંગ્લિશ સ્કૂલ અને નવા વાડજ વિસ્તારમાં આવેલ શ્રી ન્યુ વિદ્યાવિહાર (વાડી) સ્કૂલે ‘લાઈટ ચેનલિંગ મેડિટેશન’ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી. માનસા ફાઉન્ડેશન (બેન્ગલુરુ) સંસ્થાના સ્વયંસેવક દ્વારા બાળકોને સરળતાપૂર્વક તેમની યાદશક્તિ, એકગ્રતા અને ગ્રહણશક્તિના માપદંડ વધારવા વિશેષ પદ્ધતિથી યોગનું માર્ગદર્શન અપાયું હતું. નકારાત્મક વિચારધારાને તિલાન્જલી આપીને સકારાત્મક અભિગમ કેળવવાની કલા આ યોગ શિબિરનો પ્રાણમંત્ર બનીને રહી.તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં માનસા ફાઉન્ડેશન (બેન્ગલુરુ) સંસ્થાના સ્વયંસેવક હજારો વિદ્યાર્થીઓ અને અસંખ્ય લોકોને યોગની નિઃશુલ્ક તાલીમ આપી છે. યોગનું મહત્વ સમજાવી રહ્યા છે.

21 મી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગદિવસ અને આ દિવસની ઓળખનો જન્મ પણ ભારત દેશમાં આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના પ્રયાસથી થયો છે. યોગ એ ભારત ભૂમિએ ભેટ આપેલ વરદાન છે અને આજે તે માત્ર ભારતમાં નહિ સમગ્ર વિશ્વમાં યોગદિનના માધ્યમથી પ્રચાર અને પ્રસાર પામી રહેલ છે તે આપણા સૌ માટે ગર્વની વાત છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...