અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર દેશભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદમાં નવરંગપુરામાં આવેલ SVS ઇંગ્લિશ સ્કૂલ અને નવા વાડજ વિસ્તારમાં આવેલ શ્રી ન્યુ વિદ્યાવિહાર (વાડી) સ્કૂલમાં માનસા ફાઉન્ડેશન (બેન્ગલુરુ) સંસ્થાના સ્વયંસેવક દ્વારા વિદ્યાર્થીઓને યોગનું મહત્વ તેમજ તેનાથી થતા ફાયદા વિશે માર્ગદર્શન આપી યોગની તાલીમ આપી હતી. જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, તેમજ શાળાના શિક્ષકોએ ભાગ લીધો હતો.

યોગદિવસની ઉજવણી સમગ્ર દેશમાં વિવિધ યોગશિબિર દ્વારા વ્યક્તિગત, સામુહિક તથા સંસ્થાગત કરવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં નવરંગપુરામાં આવેલ SVS ઇંગ્લિશ સ્કૂલ અને નવા વાડજ વિસ્તારમાં આવેલ શ્રી ન્યુ વિદ્યાવિહાર (વાડી) સ્કૂલે ‘લાઈટ ચેનલિંગ મેડિટેશન’ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી. માનસા ફાઉન્ડેશન (બેન્ગલુરુ) સંસ્થાના સ્વયંસેવક દ્વારા બાળકોને સરળતાપૂર્વક તેમની યાદશક્તિ, એકગ્રતા અને ગ્રહણશક્તિના માપદંડ વધારવા વિશેષ પદ્ધતિથી યોગનું માર્ગદર્શન અપાયું હતું. નકારાત્મક વિચારધારાને તિલાન્જલી આપીને સકારાત્મક અભિગમ કેળવવાની કલા આ યોગ શિબિરનો પ્રાણમંત્ર બનીને રહી.તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં માનસા ફાઉન્ડેશન (બેન્ગલુરુ) સંસ્થાના સ્વયંસેવક હજારો વિદ્યાર્થીઓ અને અસંખ્ય લોકોને યોગની નિઃશુલ્ક તાલીમ આપી છે. યોગનું મહત્વ સમજાવી રહ્યા છે.

21 મી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગદિવસ અને આ દિવસની ઓળખનો જન્મ પણ ભારત દેશમાં આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના પ્રયાસથી થયો છે. યોગ એ ભારત ભૂમિએ ભેટ આપેલ વરદાન છે અને આજે તે માત્ર ભારતમાં નહિ સમગ્ર વિશ્વમાં યોગદિનના માધ્યમથી પ્રચાર અને પ્રસાર પામી રહેલ છે તે આપણા સૌ માટે ગર્વની વાત છે.


