Thursday, April 30, 2026

અમદાવાદની આ શાળાઓમાં વિધાર્થીઓને વિશેષ પદ્ધતિથી યોગનું અપાયું માર્ગદર્શન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર દેશભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદમાં નવરંગપુરામાં આવેલ SVS ઇંગ્લિશ સ્કૂલ અને નવા વાડજ વિસ્તારમાં આવેલ શ્રી ન્યુ વિદ્યાવિહાર (વાડી) સ્કૂલમાં માનસા ફાઉન્ડેશન (બેન્ગલુરુ) સંસ્થાના સ્વયંસેવક દ્વારા વિદ્યાર્થીઓને યોગનું મહત્વ તેમજ તેનાથી થતા ફાયદા વિશે માર્ગદર્શન આપી યોગની તાલીમ આપી હતી. જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, તેમજ શાળાના શિક્ષકોએ ભાગ લીધો હતો.

યોગદિવસની ઉજવણી સમગ્ર દેશમાં વિવિધ યોગશિબિર દ્વારા વ્યક્તિગત, સામુહિક તથા સંસ્થાગત કરવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં નવરંગપુરામાં આવેલ SVS ઇંગ્લિશ સ્કૂલ અને નવા વાડજ વિસ્તારમાં આવેલ શ્રી ન્યુ વિદ્યાવિહાર (વાડી) સ્કૂલે ‘લાઈટ ચેનલિંગ મેડિટેશન’ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી. માનસા ફાઉન્ડેશન (બેન્ગલુરુ) સંસ્થાના સ્વયંસેવક દ્વારા બાળકોને સરળતાપૂર્વક તેમની યાદશક્તિ, એકગ્રતા અને ગ્રહણશક્તિના માપદંડ વધારવા વિશેષ પદ્ધતિથી યોગનું માર્ગદર્શન અપાયું હતું. નકારાત્મક વિચારધારાને તિલાન્જલી આપીને સકારાત્મક અભિગમ કેળવવાની કલા આ યોગ શિબિરનો પ્રાણમંત્ર બનીને રહી.તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં માનસા ફાઉન્ડેશન (બેન્ગલુરુ) સંસ્થાના સ્વયંસેવક હજારો વિદ્યાર્થીઓ અને અસંખ્ય લોકોને યોગની નિઃશુલ્ક તાલીમ આપી છે. યોગનું મહત્વ સમજાવી રહ્યા છે.

21 મી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગદિવસ અને આ દિવસની ઓળખનો જન્મ પણ ભારત દેશમાં આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના પ્રયાસથી થયો છે. યોગ એ ભારત ભૂમિએ ભેટ આપેલ વરદાન છે અને આજે તે માત્ર ભારતમાં નહિ સમગ્ર વિશ્વમાં યોગદિનના માધ્યમથી પ્રચાર અને પ્રસાર પામી રહેલ છે તે આપણા સૌ માટે ગર્વની વાત છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...