Sunday, March 15, 2026

અમદાવાદની આ શાળાઓમાં વિધાર્થીઓને વિશેષ પદ્ધતિથી યોગનું અપાયું માર્ગદર્શન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર દેશભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદમાં નવરંગપુરામાં આવેલ SVS ઇંગ્લિશ સ્કૂલ અને નવા વાડજ વિસ્તારમાં આવેલ શ્રી ન્યુ વિદ્યાવિહાર (વાડી) સ્કૂલમાં માનસા ફાઉન્ડેશન (બેન્ગલુરુ) સંસ્થાના સ્વયંસેવક દ્વારા વિદ્યાર્થીઓને યોગનું મહત્વ તેમજ તેનાથી થતા ફાયદા વિશે માર્ગદર્શન આપી યોગની તાલીમ આપી હતી. જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, તેમજ શાળાના શિક્ષકોએ ભાગ લીધો હતો.

યોગદિવસની ઉજવણી સમગ્ર દેશમાં વિવિધ યોગશિબિર દ્વારા વ્યક્તિગત, સામુહિક તથા સંસ્થાગત કરવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં નવરંગપુરામાં આવેલ SVS ઇંગ્લિશ સ્કૂલ અને નવા વાડજ વિસ્તારમાં આવેલ શ્રી ન્યુ વિદ્યાવિહાર (વાડી) સ્કૂલે ‘લાઈટ ચેનલિંગ મેડિટેશન’ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી. માનસા ફાઉન્ડેશન (બેન્ગલુરુ) સંસ્થાના સ્વયંસેવક દ્વારા બાળકોને સરળતાપૂર્વક તેમની યાદશક્તિ, એકગ્રતા અને ગ્રહણશક્તિના માપદંડ વધારવા વિશેષ પદ્ધતિથી યોગનું માર્ગદર્શન અપાયું હતું. નકારાત્મક વિચારધારાને તિલાન્જલી આપીને સકારાત્મક અભિગમ કેળવવાની કલા આ યોગ શિબિરનો પ્રાણમંત્ર બનીને રહી.તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં માનસા ફાઉન્ડેશન (બેન્ગલુરુ) સંસ્થાના સ્વયંસેવક હજારો વિદ્યાર્થીઓ અને અસંખ્ય લોકોને યોગની નિઃશુલ્ક તાલીમ આપી છે. યોગનું મહત્વ સમજાવી રહ્યા છે.

21 મી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગદિવસ અને આ દિવસની ઓળખનો જન્મ પણ ભારત દેશમાં આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના પ્રયાસથી થયો છે. યોગ એ ભારત ભૂમિએ ભેટ આપેલ વરદાન છે અને આજે તે માત્ર ભારતમાં નહિ સમગ્ર વિશ્વમાં યોગદિનના માધ્યમથી પ્રચાર અને પ્રસાર પામી રહેલ છે તે આપણા સૌ માટે ગર્વની વાત છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...