Tuesday, January 20, 2026

સિંધુભવન રોડ પર IPS સહિત પોલીસના ધાડેધાડા ઉતર્યા, વાહન ચેકિંગ સહિત 70થી વધુ કાફે-રેસ્ટોરન્ટમાં ચેકિંગ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના સિંધુભવન રોડ પર શનિવાર સાંજે સેક્ટર 1 પોલીસની ટીમ દ્વારા ફૂટ પેટ્રોલિંગ સાથે મેગા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સિંધુ ભવન રોડ ઉપર આવેલા 70 જેટલા કેફે અને રેસ્ટોરન્ટ સહિત પાન પાર્લરો પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શનિવાર સાંજના સમયે યુવાઓ અહીં આનંદ માણવા આવતા હોય છે. નશીલા પદાર્થોનુ સેવન કે વેચાણ ન થાય તે માટે પોલીસની 10 જેટલી ટીમ બનાવાઈ હતી. સાથે જ સિંધુ ભવન રોડ ઉપરથી પસાર થતા વાહનો ને પણ ચેકિંગ કરવામાં આવ્યા હતા. અને શંકાસ્પદ જણાતા વાહનોને ડિટેન કરી ઈ-મેમો પણ આપવામાં આવ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ શહેર પોલીસના સેક્ટર 1 જેસીપી નીરજ બડગુજર, બે ડીસીપી,10 એસીપી,10 પીઆઈ,20 પીએસઆઈ અને 250 જેટલા પોલીસના જવાનો સાથે ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન મહિલા પોલીસને પણ સાથે રાખવામાં આવી હતી. પોલીસે ગોટીલા ગાર્ડનથી ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું હતું સિંધુભવન રોડ ઉપર ફૂટ પેટ્રોલિંગ કરીને પોલીસની ટીમ અલગ અલગ દસ ભાગોમાં વહેંચાઈ હતી અને ત્યારબાદ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

પોલીસની અલગ અલગ ટીમો સિંધુભવન રોડ પર આવેલા અલગ-અલગ રેસ્ટોરાં, કેફે અને હોટલમાં પણ ચેકિંગ માટે ગઈ હતી.પોલીસ દ્વારા કેફેમાં ખાસ ડ્રગ્સનું સેવન કે વેચાણ થતું હોય તે બાબતે ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અન્ય પણ અસામાજિક પ્રવૃત્તિ અથવા તો ગેરકાયદે પ્રવૃત્તિઓ અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા શંકાસ્પદ ઈસમોને પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું.જેમાં કોઈની પાસે હથિયાર છે કે નહીં તે અંગે પણ ચકાસણી કરવામાં આવી હતી.

આગામી રથયાત્રાને લઈને તથા શહેરમાં સામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ડ્રાઇવ દરમિયાન સિંધુભવન રોડ પરથી પસાર થતાં અનેક શંકાસ્પદ વાહનો રોકીને તેને ચેક કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મોંઘી ગાડીઓને પણ રોકીને ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન રાજકીય પક્ષો તથા પોલીસની પ્લેટ લગાવેલી હોય તેવી ગાડીઓ પણ ચેક કરવામાં આવી હતી. આ ચેકિંગમાં ગાડીમાં બ્લેક ફિલ્મ લગાવેલી હોય તો તે પોલીસ દ્વારા ગાડીની ફિલ્મ હટાવીને કેસ પણ કરવામાં આવ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...