Monday, January 19, 2026

હાર્દિક-નતાશા અલગ થયા; બંનેએ સોશીયલ મીડિયા પર એક સાથે પોસ્ટ મુકી

spot_img
Share

અમદાવાદ : ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને નતાશાના છૂટાછેડા થઈ ચુક્યા છે. લાંબા સમયથી હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશાના લગ્ન જીવનમાં વિખવાદ અંગે અટકળો ચાલતી હતી. આખરે આ અટકળોનો અંત આવ્યો છે અને હાર્દિક પંડ્યા અને નતાશા મ્યુચ્યુઅલ રીતે અલગ થઈ ગયા હોવાના સમાચારો સામે આવ્યાં છે. ખુદ હાર્દિક પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મુકીને આ જાણકારી આપી છે.

હાર્દિક અને નતાશાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કોમેન્ટ્સ બંધ કરી દીધી છે. બંનેએ પોસ્ટમાં લખ્યું, ‘4 વર્ષ સુધી સાથે રહ્યા પછી નતાશા અને મેં પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે સાથે મળીને અમારો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો અને અમારું શ્રેષ્ઠ આપ્યું અને અમે માનીએ છીએ કે આ અમારા બંને માટે શ્રેષ્ઠ છે. આ અમારા માટે મુશ્કેલ નિર્ણય હતો કારણ કે અમે એકતા, પરસ્પર આદર અને સાથીદારીનો આનંદ માણ્યો હતો. જેમ જેમ અમારો પરિવાર વધતો ગયો.

IPL 2024 દરમિયાન પંડ્યા ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો. એક તરફ તેનો પરિવાર તૂટી રહ્યો હતો અને બીજી તરફ તેનું પ્રદર્શન બગડી રહ્યું હતું. પંડ્યા ટી20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયા માટે રમ્યો હતો. ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બન્યા બાદ તે ખરાબ રીતે રડ્યો હતો અને પોતાની દિલની લાગણી વ્યક્ત કરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...