Thursday, March 12, 2026

હાર્દિક-નતાશા અલગ થયા; બંનેએ સોશીયલ મીડિયા પર એક સાથે પોસ્ટ મુકી

spot_img
Share

અમદાવાદ : ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને નતાશાના છૂટાછેડા થઈ ચુક્યા છે. લાંબા સમયથી હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશાના લગ્ન જીવનમાં વિખવાદ અંગે અટકળો ચાલતી હતી. આખરે આ અટકળોનો અંત આવ્યો છે અને હાર્દિક પંડ્યા અને નતાશા મ્યુચ્યુઅલ રીતે અલગ થઈ ગયા હોવાના સમાચારો સામે આવ્યાં છે. ખુદ હાર્દિક પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મુકીને આ જાણકારી આપી છે.

હાર્દિક અને નતાશાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કોમેન્ટ્સ બંધ કરી દીધી છે. બંનેએ પોસ્ટમાં લખ્યું, ‘4 વર્ષ સુધી સાથે રહ્યા પછી નતાશા અને મેં પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે સાથે મળીને અમારો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો અને અમારું શ્રેષ્ઠ આપ્યું અને અમે માનીએ છીએ કે આ અમારા બંને માટે શ્રેષ્ઠ છે. આ અમારા માટે મુશ્કેલ નિર્ણય હતો કારણ કે અમે એકતા, પરસ્પર આદર અને સાથીદારીનો આનંદ માણ્યો હતો. જેમ જેમ અમારો પરિવાર વધતો ગયો.

IPL 2024 દરમિયાન પંડ્યા ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો. એક તરફ તેનો પરિવાર તૂટી રહ્યો હતો અને બીજી તરફ તેનું પ્રદર્શન બગડી રહ્યું હતું. પંડ્યા ટી20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયા માટે રમ્યો હતો. ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બન્યા બાદ તે ખરાબ રીતે રડ્યો હતો અને પોતાની દિલની લાગણી વ્યક્ત કરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...