Wednesday, January 21, 2026

નવા વાડજમાં યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ કરનાર મંગેતર સામે પોલીસ ફરિયાદ

spot_img
Share

અમદાવાદ: અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં યુવતીએ પોતાના મંગેતર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. મંગેતરે યુવતીની મરજી વિરુદ્ધ લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ યુવતી ગર્ભવતી થતા મંગેતરને લગ્ન અંગે કહ્યું ત્યારે મંગેતરે લગ્ન કરવાની ના પાડી હતી. જેથી, યુવતીએ મંગેતર વિરુદ્ધમાં વાડજ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નવા વાડજ વિસ્તારમાં રહેતી યુવતીએ તેના મંગેતર વિરુદ્ધમાં વાડજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરીયાદ દાખલ કરાવી છે. યુવતીની સગાઇ સમાજના રીત રિવાજ મુજબ થઇ હતી. સગાઇ બાદ યુવક યુવતીના ઘરે રહેતો હતો. અને જ્યારે પણ યુવતીના માતા પિતા ઘરે હાજર ના હોય ત્યારે યુવક શરીર સંબંધ બાંધવા માટે કહેતો હતો. જો કે યુવતી ઇન્કાર કરે તો તેને આપણે લગ્ન કરવાના છીએ કહીને અવાર નવાર તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો.યુવક ત્રણેક મહીના બાદ તે તેના ઘરે જતો રહ્યો હતો. પરંતુ ક્યારેક તે યુવતીને મળતા માટે આવતો હતો. આ દરમિયાન યુવતીએ મેડીકલમાંથી પ્રેગનેન્સી કીટ લાવીને તપાસ કરતા જાણવા મળ્યુ હતું કે તે પ્રેગનેન્ટ છે. જેથી તેણે તેના મંગેતરને વાત કરતા તેણે ફોન કટ કરી દીધો હતો.

યુવક બાદમાં તેનો કોઇ કોન્ટેક્ટ થઇ શક્યો ન હતો. જો કે ત્યારબાદ તેઓ જ્યારે મળ્યા ત્યારે યુવતીએ ફરીથી તેની પ્રેગનેન્સી બાબતે તેમજ લગ્ન બાબતે વાત કરતા તે ઉગ્ર થઇ ગયો હતો.કહ્યું હતું કે તારો નેચર મને ગમતો નથી, તારે પ્રેગનેન્સીનું જે કરવું હોય તે કર હું તારી જોડે લગ્ન કરીશ નહીં અને જતો રહ્યો હતો. જેથી જે અંગે યુવતીએ પોલીસને જાણ કરતા પોલીસએ ફરીયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...