Friday, November 28, 2025

નવા વાડજના આનંદનગર એપાર્ટમેન્ટના પ્રમુખ નટુભાઈ પટેલનું રિડેવલપમેન્ટને લઈને સ્ફોટક ઈન્ટવ્યું : મોટુ બાંધકામ તો મળવું જોઈએ

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં હાઉસિંગ બોર્ડના જુના મકાનોને રિડેવલપમેન્ટ કરવાનો મુદ્દો ઘણા સમયથી ગાજે છે. આવા ઘણા મકાનો હવે જર્જરિત હાલતમાં છે અને તેમનું રિડેવલપમેન્ટ કરવું જરૂરી છે, પરંતુ આ પ્રક્રિયામાં અનેક વિસ્તારોમાં અલગ અલગ અવરોધ છે.

નવા વાડજમાં આનંદનગર એપાર્ટમેન્ટના પ્રમુખ નટુભાઈ પટેલ રિડેવલપમેન્ટને લઈને જણાવે છે કે વર્તમાન પોલીસી અનેક ખામીઓ છે, જેમં રહીશોનું હિત ઓછું અને ડેવલપરો અને હાઉસીંગ બોર્ડના અધિકારીઓનું હિત વધારે હોવાનું જણાવે છે.તેઓ જણાવે છે કે હાલ રિડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલે છે જેમાં પોલિસીમાં 40 ટકાનો નિયમ તદ્‌ન ખોટો છે, આ સિવાય ગુજરાત હાઉસીંગ બોર્ડ ડેવલપરને માઇનસમાં ટેન્ડર આપે છે, મતલબ હાઉસીંગ બોર્ડ ડેવલપરને મકાન બાંધવાના પૈસા આપે છે, આ પૈસાનો બેડફાટ કહેવાય,સરકારને નુકશાન થાય છે જે બિલકુલ વ્યાજબી ના ગણી શકાય, એના કરતા જે કોઈ ડેવલપર રહીશોને 40 ટકા થી વધુ બાંધકામ આપે એવા ડેવલપરને જ કામનો વર્ક ઓર્ડર આપવા માટે ગુજરાત હાઉસીંગ બોર્ડે સહમત થવું જોઈએ અથવા તો એસોસિયેશનને રિડેવલપમેન્ટ કરવાની સત્તા આપવી જોઈએ.

તેઓએ પોતાના અંદાજમાં જણાવ્યું હતું કે ભૂતકાળમાં હાઉસિંગ બોર્ડએ જમીન સહિતના બધા પૈસા (ખર્ચ) લઇ લીધા છે, હાઉસીંગ બોર્ડ તો હાલ રહીશો જોડે ફાઈલ સાચવવાના પણ પૈસા લે છે, તો બીજી બાજુ ચોમાસાને લઈને અનેક જર્જરિત બાંધકામોને લઈને રહીશોને નોટિસો આપી છે જેમાં હાઉસીંગ બોર્ડ સ્પષ્ટ લખે છે અમારી કોઈ જવાબદારી રહેતી નથી. જો કોઈ બાંધકામની જવાબદારી ન રહે તો હાઉસીંગ બોર્ડ માલિક કઈ રીતે ગણાય ?આ વાત બિલકુલ ખોટી છે, આવી વાતો ચલાવી ન લેવાય.

આ ઉપરાંત જો કોઈ એસોસિયેશન જે રહીશોને મોટુ બાંધકામ આપતો હોય તેવો ડેવલપર લાવે તો હાઉસિંગ બોર્ડે વિરોધ કરવો જોઈએ નહીં, અથવા તો કોઈ ખાનગી ડેવલપર ટેન્ડર ભરે તો ભરવા દેવું જોઈએ, અને જો રહીશને વધુ બાંધકામ મળે તો હાઉસિંગ બોર્ડે વિરોધ કરવો જોઈએ નહીં.આ ઉપરાંત ૪૦ ટકા વધુ નહી આપવાનો કયો નિયમ છે, વધારે નહિ આપવાનો નિયમ કેવી રીતે હોઈ શકે ? રહીશને જો ડેવલપર વધારે બાંધકામ આપતું હોય તો માઈબાપ તરીકે હાઉસીંગ બોર્ડ અને સરકારે રાજી રહેવું જોઈએ.

આ ઉપરાંત બહુમતી મુદ્દે હાઉસીંગ બોર્ડની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું. 75 ટકા બહુમતી કઈ રીતે માન્ય ગણી શકાય, જયાં સરકારમાં જ કાયદો ઘડનારાઓ પણ ફક્ત બહુમતીના આધારે જ કાયદા બનાવે છે ત્યારે આ 75 ટકા બહુમતી શબ્દ પણ ખોટો જ ગણાય, ૭૫ ટકા બહુમતીની જગ્યાએ ફક્ત દસ્તાવેજ કરનાર બહુમત સભ્યોની સહમતિ ગણવામાં આવે તો હાઉસીંગની મોટાભાગની સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની ગાડી બુલેટ ટ્રેનની સ્પીડે દોડવા લાગશે.

આ ઉપરાંત લીઝ ડીડ મામલે તેઓએ જણાવ્યું હતું કે અગાઉ જણાવ્યા મુજબ મંજુરી આપવામાં આવે તો પછી હાઉસીંગ બોર્ડ પોતાની લીઝ ચાલું રાખે, બીજા 99 વર્ષની પણ લીઝ બોર્ડ પોતાની પાસે રાખે.

તેઓ જણાવે છે કે એકબાજુ સરકાર એમ કહે છે મકાન વગરના લોકોને મકાન આવાસ પુરા પાડીશું, અહીં જે મકાન માલિકો છે એમને વધારે મોટું મકાન આપે ત્યારે ખરૂ, જેથી આમારી સરકારને નમ્ર વિનંતી કે પોલીસીમાં ઉપરોક્ત મુદ્દાઓનો સુધારો કરો કે જેમાં ૪૦ ટકા નિયમમાં સુધારો કરો, બહુમતી મામલે પણ ચલાવી લો.

તેઓએ ભૂતકાળની વાતોને યાદ કરીને જણાવ્યું હતું કે આ અગાઉ પણ હાઉસીંગના રહીશો માટે કન્વીનર તરીકે ગુજરાત હાઉસીંગ રેસિડન્ટ ફેડરેશનના બેનર હેઠળ આંદોલન કર્યું હતું.જેમાં મોટી સંખ્યામાં હાઉસીંગ રહીશો જોડાયા હતા. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી માન.મોદીસાહેબે ખુબ જ સરસ નિર્ણય લેતા હાઉસીંગના રહીશોને પેકેજ આપવામાં આવ્યું હતું, જેમાં તમામ પેનલ્ટી અને વ્યાજ માફ કર્યું હતું અને બાંધકામ ખરાબ હોવાને કારણે કિંમતમાં ૧૦ ટકા રાહત આપવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...