Tuesday, October 14, 2025

નવા વાડજના આનંદનગર એપાર્ટમેન્ટના પ્રમુખ નટુભાઈ પટેલનું રિડેવલપમેન્ટને લઈને સ્ફોટક ઈન્ટવ્યું : મોટુ બાંધકામ તો મળવું જોઈએ

Share

અમદાવાદ : ગુજરાતમાં હાઉસિંગ બોર્ડના જુના મકાનોને રિડેવલપમેન્ટ કરવાનો મુદ્દો ઘણા સમયથી ગાજે છે. આવા ઘણા મકાનો હવે જર્જરિત હાલતમાં છે અને તેમનું રિડેવલપમેન્ટ કરવું જરૂરી છે, પરંતુ આ પ્રક્રિયામાં અનેક વિસ્તારોમાં અલગ અલગ અવરોધ છે.

નવા વાડજમાં આનંદનગર એપાર્ટમેન્ટના પ્રમુખ નટુભાઈ પટેલ રિડેવલપમેન્ટને લઈને જણાવે છે કે વર્તમાન પોલીસી અનેક ખામીઓ છે, જેમં રહીશોનું હિત ઓછું અને ડેવલપરો અને હાઉસીંગ બોર્ડના અધિકારીઓનું હિત વધારે હોવાનું જણાવે છે.તેઓ જણાવે છે કે હાલ રિડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલે છે જેમાં પોલિસીમાં 40 ટકાનો નિયમ તદ્‌ન ખોટો છે, આ સિવાય ગુજરાત હાઉસીંગ બોર્ડ ડેવલપરને માઇનસમાં ટેન્ડર આપે છે, મતલબ હાઉસીંગ બોર્ડ ડેવલપરને મકાન બાંધવાના પૈસા આપે છે, આ પૈસાનો બેડફાટ કહેવાય,સરકારને નુકશાન થાય છે જે બિલકુલ વ્યાજબી ના ગણી શકાય, એના કરતા જે કોઈ ડેવલપર રહીશોને 40 ટકા થી વધુ બાંધકામ આપે એવા ડેવલપરને જ કામનો વર્ક ઓર્ડર આપવા માટે ગુજરાત હાઉસીંગ બોર્ડે સહમત થવું જોઈએ અથવા તો એસોસિયેશનને રિડેવલપમેન્ટ કરવાની સત્તા આપવી જોઈએ.

તેઓએ પોતાના અંદાજમાં જણાવ્યું હતું કે ભૂતકાળમાં હાઉસિંગ બોર્ડએ જમીન સહિતના બધા પૈસા (ખર્ચ) લઇ લીધા છે, હાઉસીંગ બોર્ડ તો હાલ રહીશો જોડે ફાઈલ સાચવવાના પણ પૈસા લે છે, તો બીજી બાજુ ચોમાસાને લઈને અનેક જર્જરિત બાંધકામોને લઈને રહીશોને નોટિસો આપી છે જેમાં હાઉસીંગ બોર્ડ સ્પષ્ટ લખે છે અમારી કોઈ જવાબદારી રહેતી નથી. જો કોઈ બાંધકામની જવાબદારી ન રહે તો હાઉસીંગ બોર્ડ માલિક કઈ રીતે ગણાય ?આ વાત બિલકુલ ખોટી છે, આવી વાતો ચલાવી ન લેવાય.

આ ઉપરાંત જો કોઈ એસોસિયેશન જે રહીશોને મોટુ બાંધકામ આપતો હોય તેવો ડેવલપર લાવે તો હાઉસિંગ બોર્ડે વિરોધ કરવો જોઈએ નહીં, અથવા તો કોઈ ખાનગી ડેવલપર ટેન્ડર ભરે તો ભરવા દેવું જોઈએ, અને જો રહીશને વધુ બાંધકામ મળે તો હાઉસિંગ બોર્ડે વિરોધ કરવો જોઈએ નહીં.આ ઉપરાંત ૪૦ ટકા વધુ નહી આપવાનો કયો નિયમ છે, વધારે નહિ આપવાનો નિયમ કેવી રીતે હોઈ શકે ? રહીશને જો ડેવલપર વધારે બાંધકામ આપતું હોય તો માઈબાપ તરીકે હાઉસીંગ બોર્ડ અને સરકારે રાજી રહેવું જોઈએ.

આ ઉપરાંત બહુમતી મુદ્દે હાઉસીંગ બોર્ડની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું. 75 ટકા બહુમતી કઈ રીતે માન્ય ગણી શકાય, જયાં સરકારમાં જ કાયદો ઘડનારાઓ પણ ફક્ત બહુમતીના આધારે જ કાયદા બનાવે છે ત્યારે આ 75 ટકા બહુમતી શબ્દ પણ ખોટો જ ગણાય, ૭૫ ટકા બહુમતીની જગ્યાએ ફક્ત દસ્તાવેજ કરનાર બહુમત સભ્યોની સહમતિ ગણવામાં આવે તો હાઉસીંગની મોટાભાગની સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની ગાડી બુલેટ ટ્રેનની સ્પીડે દોડવા લાગશે.

આ ઉપરાંત લીઝ ડીડ મામલે તેઓએ જણાવ્યું હતું કે અગાઉ જણાવ્યા મુજબ મંજુરી આપવામાં આવે તો પછી હાઉસીંગ બોર્ડ પોતાની લીઝ ચાલું રાખે, બીજા 99 વર્ષની પણ લીઝ બોર્ડ પોતાની પાસે રાખે.

તેઓ જણાવે છે કે એકબાજુ સરકાર એમ કહે છે મકાન વગરના લોકોને મકાન આવાસ પુરા પાડીશું, અહીં જે મકાન માલિકો છે એમને વધારે મોટું મકાન આપે ત્યારે ખરૂ, જેથી આમારી સરકારને નમ્ર વિનંતી કે પોલીસીમાં ઉપરોક્ત મુદ્દાઓનો સુધારો કરો કે જેમાં ૪૦ ટકા નિયમમાં સુધારો કરો, બહુમતી મામલે પણ ચલાવી લો.

તેઓએ ભૂતકાળની વાતોને યાદ કરીને જણાવ્યું હતું કે આ અગાઉ પણ હાઉસીંગના રહીશો માટે કન્વીનર તરીકે ગુજરાત હાઉસીંગ રેસિડન્ટ ફેડરેશનના બેનર હેઠળ આંદોલન કર્યું હતું.જેમાં મોટી સંખ્યામાં હાઉસીંગ રહીશો જોડાયા હતા. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી માન.મોદીસાહેબે ખુબ જ સરસ નિર્ણય લેતા હાઉસીંગના રહીશોને પેકેજ આપવામાં આવ્યું હતું, જેમાં તમામ પેનલ્ટી અને વ્યાજ માફ કર્યું હતું અને બાંધકામ ખરાબ હોવાને કારણે કિંમતમાં ૧૦ ટકા રાહત આપવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...