Friday, May 1, 2026

અમદાવાદની વધુ એક જાણીતી રેસ્ટોરન્ટ વિવાદમાં! દાલફ્રાયમાંથી નીકળી જીવાત, AMCમાં ફરિયાદ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં આવેલી ખાણીપીણીની દુકાનો અને હોટલો-રેસ્ટોરાંમાં જીવાત અને અખાદ્ય વસ્તુઓ નીકળી રહી છે. લોકો આરોગતા હોય તેવી કોઈ પણ ચીજ વસ્તુઓમાં જીવાત અને અખાદ્ય વસ્તુઓ નીકળતી હોવાનું સામે આવી રહ્યું છે. દિન-પ્રતિદિન હોટલ- રેસ્ટોરાંમાં ખાવામાંથી જીવ-જંતુઓ નીકળે છે.ત્યારે અમદાવાદનાં રખિયાલ વિસ્તારમાં વધુ એક એવી જ ઘટના બની છે. જાણીતી રેસ્ટોરન્ટમાં ગ્રાહકને પીરસવામાં આવેલ દાલફ્રાયમાંથી વંદો નીકળતા વિવાદ વકર્યો હતો. ગ્રાહકના આરોપ મુજબ, આ મામલે આરોગ્ય વિભાગને જાણ કર્યા બાદ ચેકિંગ હાથ ધરાયુ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ શહેરના પૂર્વના રખિયાલ વિસ્તારમાં અજીત મીલ ચાર રસ્તા પાસે આવેલી સીટી પોઇન્ટ રેસ્ટોરન્ટમાં ગ્રાહકને પીરસવામાં આવેલ દાલફ્રાયમાંથી જીવાત નીકળી હતી. આ કારણે હોટેલ મેનેજમેન્ટ અને ગ્રાહકો વચ્ચે જોરદાર વિવાદ થયો હતો. ગ્રાહકના આરોપ મુજબ, પારિવારિક કાર્યક્રમ માટે સીટી પોઇન્ટ રેસ્ટોરન્ટમાં હોલ અને જમવાનું બુક કરવામાં આવ્યું હતું. પરંતુ, કાર્યક્રમ દરમિયાન જમતા સમયે લોકોને પીરસવામાં આવેલ દાલફ્રાયમાંથી જીવાત નીકળી હતી. આ બાબતે જ્યારે હોટેલ મેનેજમેન્ટને જાણ કરાઈ તો તેમણે ગોળ ગોળ જવાબ આપ્યા.

આ મામલે ગ્રાહક દ્વારા ફરિયાદ કરાઈ છતાં પણ સમસ્યાનું નિરાકરણ કરાયું નહોતું. રેસ્ટોરન્ટ ધારકો સ્વચ્છતામાં બેદરકારી રાખતા હોવાનો અને ગ્રાહકોનાં આરોગ્ય સાથે ચેડાં કરતાં હોવાનો આરોપ ગ્રાહકોએ લગાવ્યો હતો. જો કે, આ ઘટના બાદ લોકોમાં સવાલ છે કે કેમ આટલા બનાવો બનવા છતાં પણ AMC નું આરોગ્ય વિભાગ નિષ્ક્રિય છે ? શહેરનું આરોગ્ય વિભાગ ક્યારે તેની ઘોર નિદ્રામાંથી જાગશે ? શું આરોગ્ય વિભાગ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે ? લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરતા બેદરકારો સામે કાર્યવાહી ક્યારે થશે ? લોકોના જીવન સાથે રમત રમતાં આવા બેદરકારો પર કોની રહેમનજર છે ?

હોટલ-રેસ્ટોરાં, ફૂડ કોર્ટ વગેરે જેવા ખાણીપીણી એકમો જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય, તેમની સામે કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા પણ સૂચના આપવામાં આવી છે. જોકે અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારીઓ અને ઇન્સ્પેક્ટરો આ મામલે કોઈ ગંભીરતા દાખવતા નથી. માત્ર નામની કાર્યવાહી માટે રેસ્ટોરાંમાં જતા હોય છે. જોકે, શહેરમાં હોટલ-રેસ્ટોરાંમાં સ્વચ્છતા અને હાઈજેનિક ફૂડ મળે તેના માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...