Tuesday, January 20, 2026

ઘાટલોડિયાની જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલમાં ‘ગુરુવંદના’ કાર્યક્રમ યોજાયો

spot_img
Share

અમદાવાદ : ગુરુ પૂર્ણિમા નિમિત્તે ઘાટલોડિયાની જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ગુરુવંદના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓએ ખુબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ગુરુના વિદ્યાર્થી જીવનમાં મહત્વ વિશે પોતાના વક્તવ્ય રજૂ કર્યા હતા. આ સમયે સમગ્ર વાતાવરણ ભાવમય બન્યું હતું. સમગ્ર કાર્યક્રમ અંગેનું માર્ગદર્શન શાળાના આચાર્યશ્રી જાગૃતિબેન પટેલે આપ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ ગુરુપૂર્ણિમાના અંતર્ગત આજરોજ જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કુલના વિદ્યાર્થીઓ માટે ગુરુવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મધુર શ્લોક ગાન સાથે વિદ્યાર્થીઓ દ્વારા કંકુ તિલક અને ગુલાબનું પુષ્પગુચ્છ આપી તમામ શિક્ષકોનો ભાવવિભોર વાતાવરણમાં પૂજન અને વંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાલિકાઓએ ગુરુનું મહત્વ અને ગુરુ શિષ્યના સંબંધ વિશે વાત કરી વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોના મન જીતી લીધા હતા.

આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી જાગૃતિબેને જણાવ્યું હતું કે ગુરુના આદર જ જીવનપથ સફળ કરે છે માતા પિતા અને ગુરુજ બાળકોના હિતેચ્છુ છે, બાળકોના પ્રશ્નોના, બાળકોના હિતમાં ઉકેલ અને સમાધાન આપી શકે છે, તેવી સમજ વિદ્યાર્થીઓને આપી હતી. આ ગુરુવંદના કાર્યક્રમમાં આશરે 300 થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...