Friday, May 1, 2026

અમદાવાદમાં ‘ગુલ્લીબાજ’ શિક્ષકો મળ્યા ! 11 શિક્ષકો રજા પર ઉતરી વિદેશ પહોંચી ગયા

spot_img
Share

અમદાવાદ: સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં શિક્ષકો ભણાવ્યા વગર લાંબી રજા પર ઉતરી વિદેશ પહોચી ગયા હોવાની ઘટના બાદ આ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. ગુજરાતમાં સરકારી શાળાના નોકરી ચાલી રાખીને લાંબા સમયથી વિદેશમાં રહેલા શિક્ષકોના એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જે બાદ શિક્ષણમંત્રીએ આ પ્રકારના શિક્ષકો સામે તપાસના આદેશ આપ્યા હતા. આ વચ્ચે હવે અમદાવાદ શહેર અને જિલ્લામાં 14 જેટલા શિક્ષકો લાંબા સમયથી ફરજ પર ગેરહાજર હોવાનું સામે આવી રહ્યું છે. જેમાંથી 11 શિક્ષકો તો વિદેશમાં જતા રહ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શિક્ષણ વિભાગની સૂચના બાદ અમદાવાદની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં અમદાવાદના 14 શિક્ષકો લાંબા સમયથી રજા પર હોવાનું સામે આવ્યું. અમદાવાદ ગ્રામ્યના 8 શિક્ષકો અને 2 કર્મચારીઓ લાંબા સમયથી રજા પર છે. તો અમદાવાદ શહેરના 3 શિક્ષકો લાંબી રજા લઇ વિદેશ જતા રહ્યા છે. અમદાવાદ જિલ્લાના 8 પૈકી 7 શિક્ષક હાલ વિદેશમાં છે. 7 શિક્ષક 9 મહિના કરતા વધુ સમયથી ગેરહાજર રહ્યા હોવાનું આવ્યું સામે છે. બે શિક્ષકોની રાજીનામા અંગે કાર્યવાહી થઈ રહી છે. TPO મારફતે જાણ કરાતા શિક્ષકોએ રાજીનામું મોકલી આપ્યું છે. જેથી હાલમાં રાજીનામું મંજૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

શિક્ષકોને કેટલી રજાઓ મળવાપાત્ર છે અને કોણ મંજૂરી આપે?

શિક્ષકોને શૈક્ષણિક વર્ષમાં 15 પરચૂરણ રજા મળવાપાત્ર હોય છે, જેને શાળાના વડા મંજૂર કરે.
અર્ધ પગારી 20 રજાઓ શિક્ષકોને મળવાપાત્ર છે, કેરી ફોરવર્ડ થયેલી રજાઓ પૈકી પ્રથમ 15 દિવસ શાળાના વડા રજા મંજૂર કરે છે.ત્યાર બાદની શાળા-સંચાલક મંજૂર કરી શકે.
બિનપગારી રજા નોકરી દરમિયાન વધુમાં વધુ 36 મહિનાની મળી શકે. ચાર મહિનાથી ઓછી રજા શાળા-સંચાલક અને તેથી વધુની રજા જિલ્લા શિક્ષણ અધિકારી મંજૂર કરે.
15 દિવસની હક રજાઓ મળવાપાત્ર છે, રજા મંજૂર કરવાનો હક આચાર્ય અને સંચાલકોને છે.
15 દિવસની પેરેન્ટલ લીવ મળે, જેને સંચાલક મંજૂર કરે છે.
મહિલા શિક્ષકને 135 દિવસની મેટરનિટી લીવ મળવા પાત્ર છે.
શિક્ષકોની કેરી ફોરવર્ડ થયેલી રજાઓ 15 દિવસ સુધીમાં આચાર્ય, ત્રણ મહિના સુધીની સંચાલક મંડળ મંજૂર કરે છે. ચાર મહિનાથી 9 મહિના સુધીની રજા શિક્ષણ અધિકારી મંજૂર કરે. 9 મહિનાથી વધુની રજા નાણાં વિભાગ મંજૂર કરે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...