Thursday, March 5, 2026

અમદાવાદમાં ‘ગુલ્લીબાજ’ શિક્ષકો મળ્યા ! 11 શિક્ષકો રજા પર ઉતરી વિદેશ પહોંચી ગયા

spot_img
Share

અમદાવાદ: સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં શિક્ષકો ભણાવ્યા વગર લાંબી રજા પર ઉતરી વિદેશ પહોચી ગયા હોવાની ઘટના બાદ આ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. ગુજરાતમાં સરકારી શાળાના નોકરી ચાલી રાખીને લાંબા સમયથી વિદેશમાં રહેલા શિક્ષકોના એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જે બાદ શિક્ષણમંત્રીએ આ પ્રકારના શિક્ષકો સામે તપાસના આદેશ આપ્યા હતા. આ વચ્ચે હવે અમદાવાદ શહેર અને જિલ્લામાં 14 જેટલા શિક્ષકો લાંબા સમયથી ફરજ પર ગેરહાજર હોવાનું સામે આવી રહ્યું છે. જેમાંથી 11 શિક્ષકો તો વિદેશમાં જતા રહ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શિક્ષણ વિભાગની સૂચના બાદ અમદાવાદની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં અમદાવાદના 14 શિક્ષકો લાંબા સમયથી રજા પર હોવાનું સામે આવ્યું. અમદાવાદ ગ્રામ્યના 8 શિક્ષકો અને 2 કર્મચારીઓ લાંબા સમયથી રજા પર છે. તો અમદાવાદ શહેરના 3 શિક્ષકો લાંબી રજા લઇ વિદેશ જતા રહ્યા છે. અમદાવાદ જિલ્લાના 8 પૈકી 7 શિક્ષક હાલ વિદેશમાં છે. 7 શિક્ષક 9 મહિના કરતા વધુ સમયથી ગેરહાજર રહ્યા હોવાનું આવ્યું સામે છે. બે શિક્ષકોની રાજીનામા અંગે કાર્યવાહી થઈ રહી છે. TPO મારફતે જાણ કરાતા શિક્ષકોએ રાજીનામું મોકલી આપ્યું છે. જેથી હાલમાં રાજીનામું મંજૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

શિક્ષકોને કેટલી રજાઓ મળવાપાત્ર છે અને કોણ મંજૂરી આપે?

શિક્ષકોને શૈક્ષણિક વર્ષમાં 15 પરચૂરણ રજા મળવાપાત્ર હોય છે, જેને શાળાના વડા મંજૂર કરે.
અર્ધ પગારી 20 રજાઓ શિક્ષકોને મળવાપાત્ર છે, કેરી ફોરવર્ડ થયેલી રજાઓ પૈકી પ્રથમ 15 દિવસ શાળાના વડા રજા મંજૂર કરે છે.ત્યાર બાદની શાળા-સંચાલક મંજૂર કરી શકે.
બિનપગારી રજા નોકરી દરમિયાન વધુમાં વધુ 36 મહિનાની મળી શકે. ચાર મહિનાથી ઓછી રજા શાળા-સંચાલક અને તેથી વધુની રજા જિલ્લા શિક્ષણ અધિકારી મંજૂર કરે.
15 દિવસની હક રજાઓ મળવાપાત્ર છે, રજા મંજૂર કરવાનો હક આચાર્ય અને સંચાલકોને છે.
15 દિવસની પેરેન્ટલ લીવ મળે, જેને સંચાલક મંજૂર કરે છે.
મહિલા શિક્ષકને 135 દિવસની મેટરનિટી લીવ મળવા પાત્ર છે.
શિક્ષકોની કેરી ફોરવર્ડ થયેલી રજાઓ 15 દિવસ સુધીમાં આચાર્ય, ત્રણ મહિના સુધીની સંચાલક મંડળ મંજૂર કરે છે. ચાર મહિનાથી 9 મહિના સુધીની રજા શિક્ષણ અધિકારી મંજૂર કરે. 9 મહિનાથી વધુની રજા નાણાં વિભાગ મંજૂર કરે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...