Wednesday, January 21, 2026

નવા વાડજ અર્બન હેલ્થ સેન્ટર ખાતે 78મા સ્વાતંત્ર્ય પર્વની ભારે ઉત્સાહભેર ઉજવણી

spot_img
Share

અમદાવાદ : શહેરના નવા વાડજ ખાતે આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાં 78 માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વાડજ પોલીસ સ્ટેશનના પીઆઇ સી.જી. જોશી, પૂર્વ કાઉન્સીલર મનુભાઈ ભરવાડ, સ્થાનિક આગેવાન વાસુદેવ ગોહિલ તથા ભાનુભાઈ બારોટ અને શાયોના ફેશનવાળા જય કિશનભાઇ ભાવસાર સહિત અન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ, નવા વાડજ ખાતે આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાં 78 માં સ્વાતંત્ર પર્વની ઉજવણીનો કાર્યક્રમનો શુભારંભ દેશભક્તિમય વાતાવરણમાં ઉપસ્થિત અતિથિઓના સ્વાગતથી થયો હતો.અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર જીગર સોલંકી, સુપરવાઇઝર મનીષ પરમાર, સ્ટાફ નર્સ ખુશ્બુ રાઠોડ તથા આરોગ્ય કર્મી સ્મિતા પરમારના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

આજના આ સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે અર્બન હેલ્થ સેન્ટરમાં કાર્યરત તમામ આરોગ્ય લક્ષી સેવા આપતા સ્ટાફ તેમજ અન્ય તમામ સ્ટાફનું સર્ટિફિકેટ તથા પુષ્પગુચ્છ આપી બહુમાન કરવામાં આવ્યું હતું. આઝાદીના આ પર્વને હર્ષોઉલ્લાસથી ઉજવવા મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાયા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...