Tuesday, January 20, 2026

AMCની ટ્રાફિક-પાર્કિંગ સમસ્યા નિવારવા નવી પહેલ, રહેણાંક સોસાયટીઓ રાત્રે વાહનો પાર્ક કરવા સ્કુલ-કોમ્પ્લેક્ષ-બેંકોની જગ્યા ભાડે રાખી શકશે

spot_img
Share

અમદાવાદ : પાર્કિંગ શહેરની સૌથી મોટી સમસ્યાઓમાંથી એક છે. મ્યુનિ.એ પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ અને ઉત્તર ઝોનમાં પાર્કિંગ પ્લાન ઘડવા માટે બે એજન્સીની નિમણૂક કરી પાર્કિંગના સ્થળોનો સરવે કરવાની કામગીરી સોંપી છે. વાહનના પ્રકાર અને પાર્કિંગના વપરાશને આધારે પાર્કિંગ ચાર્જનું માળખું આ એજન્સીઓ તૈયાર કરશે. દિવસે અને રાત્રે પાર્કિંગના વપરશના બે ભાગ પાડી પાર્કિંગ દર અંગે સમીક્ષા કરવાની યોજના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પિકઅ‌વર્સ દરમિયાન પાર્કિંગ ચાર્જમાં મોટા ફેરફાર આવી શકે છે.

મીડિયા રિપોર્ટ મુજબ, અમદાવાદ કોર્પોરેશન દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. સર્વ પ્રથમ પાર્કિંગ પોલીસી હેઠળ રહેણાંક સોસાયટીઓને રાત્રિના સમયે સ્કુલ-બેંકો તથા કોમર્શીયલ કોમ્પ્લેક્ષના પાર્કિંગ વાપરવાની છુટ્ટ મળશે.અમદાવાદ કોર્પોરેશન દ્વારા પાર્કિંગમાં શેરિંગ કોન્સેપ્ટ અપનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત શિક્ષણ સંસ્થાનો, બેંકો તથા કોમર્શીયલ કોમ્પ્લેક્ષની પાર્કિંગ જગ્યાઓ રાત્રે ખાલી રહેતી હોય છે.

આસપાસની સોસાયટીના લોકો ભાડુ ચુકવીને તેનો ઉપયોગ કરી શકે.શહેરના ત્રણ ઝોનમાં પાર્કિંગ પ્લાન ઘડવા માટે બે એજન્સીની પણ નિમણુંક કરવામાં આવી છે. ઓન સ્ટ્રેટ તથા ઓફ સ્ટ્રીટ પે-એન્ડ પાર્ક જગ્યાઓ નકકી કરવામાં આવશે. વધુ, મધ્યમ તથા ઓછા પાર્કિંગની જરૂરીયાત ધરાવતા સ્થળો નક્કી કરીને તેના આધારે પાર્કિંગ ચાર્જ નક્કી થશે.

આડેધડ પાર્કિંગ અને દબાણોને કારણે ગંભીર ટ્રાફિક સમસ્યા સર્જાય રહી છે. કોર્પોરેશન તંત્ર સમસ્યાનો હલ લાવવામાં નિષ્ફળ રહ્યું છે. જ્યારે હવે નવી નીતિની પટેલ કરવામાં આવી છે. રાજ્ય સરકારે ઓક્ટોબર-2021માં અમદાવાદ માટે નવી પાર્કિંગ પોલીસીને મંજુરી આપી હતી. 2023માં પાર્કિંગ કાયદો ઘડવામાં આવ્યો હતો.

સલાહકાર એજન્સીઓને ત્રણેય ઝોનમાં જુદા-જુદા 19 પાસા-મુદાઓ પર રીપોર્ટ સોંપવા કહેવાયું છે જેમાં ટ્રાફિક અને પાર્કિંગનો સર્વે કરવા પાર્કિંગ ઝોન માટેના સ્થળો સુચવવા, પાર્કિંગ ચાર્જ નક્કી કરવા, પાર્કિંગ શેરીંગનો કોન્સેપ્ટ તૈયાર કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.વિશ્વસ્તરે પાર્કિંગ પોલીસીના આધારે સ્ટ્રેટેજી તૈયાર કરવા પણ કહેવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...