Monday, January 19, 2026

ઘાટલોડિયાની જ્ઞાનદા ગર્લ્સ પ્રાથમિક શાળાના બાળકોએ રાધા-કૃષ્ણ બની જન્માષ્ટમી પર્વની ધામધુમથી ઉજવણી કરી

spot_img
Share

અમદાવાદ : ઘાટલોડિયા સ્થિત જ્ઞાનદા ગર્લ્સ પ્રાથમિક શાળા ખાતે આનંદ અને ભક્તિ સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી. ભગવાન શ્રીકૃષ્ણ જન્મ જન્માષ્ટમીના શુભ અવસરે આ ઉત્સવને ખાસ શાળાના કેમ્પસમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રવૃત્તિઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી.આ પ્રસંગે શાળાના બાળકો તથા શિક્ષકો ભક્તિમય વાતવારણમાં મગ્ન બન્યા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઘાટલોડીયામાં આવેલ જ્ઞાનદા ગર્લ્સ પ્રાથમિક શાળા અને શ્રી આદ્યશક્તિ પ્રાથમિક શાળામાં જન્માષ્ટમીની શાનદાર ઉજવણી કરવામાં આવી. જ્ઞાનદા ગર્લ્સ પ્રાથમિક શાળાના 200 અને શ્રી આદ્યશક્તિ પ્રાથમિક શાળા 250 થી વધારે વિદ્યાર્થીનીઓ-વિદ્યાર્થીઓએ ગોરા કુંભાર એકાંકી, કુંવરબાઈનું મામેરુ, મટકી ફોડ, રાસ જેવી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત બાળકોએ રાધા-કૃષ્ણ બની જન્માષ્ટમી પર્વની ધામધુમથી ઉજવણી કરી હતી. તેનો તમામ વિદ્યાર્થીઓએ આનંદ લીધો હતો. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશો દ્વારા મૂર્તિમંત પ્રેમ, શાંતિ અને સંવાદિતાનો સંદેશ ફેલાવવાનો હતો.

જન્માષ્ટમીની ઉજવણીના કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ડેકોરેશન રહ્યું હતું. જેમાં કેળાથી ગોવર્ધન પર્વત ડેકોરેશન વાળી માટલી, વાંસળી, મોરપીંછ અને રંગોળી એ ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રસંગે ઘાટલોડીયા વિસ્તારના પ્રજાજનો પણ આ પ્રસંગનો આનંદ લેવા ઉમટી પડ્યા હતા. કાર્યક્રમના અંતમાં આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો આભાર માન્યો હતો.

આ અગાઉ શાળામાં સૈનિક કલ્યાણ નિધિ ફંડ પ્રોત્સાહન કાર્યક્રમ યોજાઈ ગયો. દેશ માટે શહીદ થયેલ થઈ પોતાની કુરબાની આપી દેનાર શહીદોના અને દેશની રક્ષા કરતા અપંગ બનેલા નિ:સહાય પરિવારોને મદદ કરવાના ઉદ્દેશથી સૈનિક કલ્યાણ નિધિ ફંડ પ્રોત્સાહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મોટીવેશનલ સ્પીકર પ્રોફેસર ગજેન્દ્રસિંહ રાઠોડ અને પૂર્વ આચાર્ય રાજેન્દ્રકુમાર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં હાજરી આપી વિદ્યાર્થીઓને સૈનિક ફંડ માટે પ્રોત્સાહિત કર્યા અને ભવિષ્યમાં સેનામાં અધિકારી બનવા માટે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...