27.6 C
Gujarat
Wednesday, October 23, 2024

એસજી હાઇવે પર કારે ત્રિપલસવારી ટુ-વ્હીલરને ટક્કર મારતાં વૃદ્ધાનું મોત, કાર મૂકી ચાલક નાસી છૂટ્યો

Share

અમદાવાદ : અમદાવાદના એસ.જી હાઇવે પર અનેક વાહન ચાલકો બેફામ વાહન હંકારતા હોય છે, જેના કારણે એસજી હાઇવે પર વધુ અકસ્માત થાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. પોતાના ઇલેક્ટ્રિક ટુ વ્હીલર પર એક યુવતી પોતાના બાળક અને માતા સાથે જઈ રહી હતી, ત્યારે એક કારચાલકે ટક્કર મારતાં ત્રણેય નીચે પટકાયા હતા. અકસ્માત દરમિયાન યુવતી અને તેમના બાળકને ઈજા થઈ છે, જ્યારે તેમની માતાનું મોત થયું છે. અકસ્માત કરનાર કારચાલક કાર કીને ફરાર થઈ ગયો છે. એસજી હાઇવે 1 ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વેજલપુરમાં રહેતા કાજલ રાવલ નાના બાળકોને વેક્સિન આપીને ગુજરાન ચલાવે છે. ગઈકાલે તેઓ તેમના બે વર્ષના દીકરા અને માતા જયશ્રીબેન સાથે ગોતા કામથી ગયા હતા. ત્યારબાદ તેઓ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર પર ગોતાથી વેજલપુર પરત જઈ રહ્યા હતા. આ દરમિયાન એસ.જી હાઇવે પહોંચતા કારગીલ પેટ્રોલ પંપ પાસે બ્રિજ ઉપર ચઢ્યા ત્યાં તે એક ફોર વ્હીલરચાલકે પુરપાટ ઝડપે આવીને તેમના વાહનને ટક્કર મારી હતી. જેના કારણે ત્રણે જણા રોડ ઉપર પડી ગયા હતા. રોડ ઉપર પટકાતા ત્રણેયને ઇજા પહોંચી હતી.

આ દરમિયાન લોકોનું ટોળું ભેગું થયું હતું. ત્યારે અકસ્માત કરનાર કારચાલક કાર મૂકીને ત્યાંથી નાસી ગયો હતો. ત્રણેયને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન કાજલબેનના માતા જયશ્રીબેનનું મોત થયું છે. કાજલબેને સમગ્ર મામલે એસજી 1 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કારચાલકની તપાસ શરૂ કરી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles