Tuesday, January 20, 2026

એસજી હાઇવે પર કારે ત્રિપલસવારી ટુ-વ્હીલરને ટક્કર મારતાં વૃદ્ધાનું મોત, કાર મૂકી ચાલક નાસી છૂટ્યો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના એસ.જી હાઇવે પર અનેક વાહન ચાલકો બેફામ વાહન હંકારતા હોય છે, જેના કારણે એસજી હાઇવે પર વધુ અકસ્માત થાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. પોતાના ઇલેક્ટ્રિક ટુ વ્હીલર પર એક યુવતી પોતાના બાળક અને માતા સાથે જઈ રહી હતી, ત્યારે એક કારચાલકે ટક્કર મારતાં ત્રણેય નીચે પટકાયા હતા. અકસ્માત દરમિયાન યુવતી અને તેમના બાળકને ઈજા થઈ છે, જ્યારે તેમની માતાનું મોત થયું છે. અકસ્માત કરનાર કારચાલક કાર કીને ફરાર થઈ ગયો છે. એસજી હાઇવે 1 ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વેજલપુરમાં રહેતા કાજલ રાવલ નાના બાળકોને વેક્સિન આપીને ગુજરાન ચલાવે છે. ગઈકાલે તેઓ તેમના બે વર્ષના દીકરા અને માતા જયશ્રીબેન સાથે ગોતા કામથી ગયા હતા. ત્યારબાદ તેઓ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર પર ગોતાથી વેજલપુર પરત જઈ રહ્યા હતા. આ દરમિયાન એસ.જી હાઇવે પહોંચતા કારગીલ પેટ્રોલ પંપ પાસે બ્રિજ ઉપર ચઢ્યા ત્યાં તે એક ફોર વ્હીલરચાલકે પુરપાટ ઝડપે આવીને તેમના વાહનને ટક્કર મારી હતી. જેના કારણે ત્રણે જણા રોડ ઉપર પડી ગયા હતા. રોડ ઉપર પટકાતા ત્રણેયને ઇજા પહોંચી હતી.

આ દરમિયાન લોકોનું ટોળું ભેગું થયું હતું. ત્યારે અકસ્માત કરનાર કારચાલક કાર મૂકીને ત્યાંથી નાસી ગયો હતો. ત્રણેયને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન કાજલબેનના માતા જયશ્રીબેનનું મોત થયું છે. કાજલબેને સમગ્ર મામલે એસજી 1 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કારચાલકની તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...