Wednesday, January 21, 2026

મ્યુનિ. કોર્પોરેશન અને સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત થશે!

spot_img
Share

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટે રાજયમા દ્વિચક્રી વાહન ધારકોને સલામતી માટે હેલ્મેટ ફરજીયાતનાં નિયમોનો અમલ કરવા રાજય સરકાર પર દબાણ વધાર્યું છે. હાઈકોર્ટ ઈચ્છે છે કે લોકો ખાસ કરીને કોઈ અન્ય સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ભારે ટ્રાફીક સહીતના ક્ષેત્રમાં દ્વિચક્રી વાહન ચાલકો હેલ્મેટ પહેરે તો અકસ્માત સમયે તેઓનાં જીવન બચી શકે છે.ગંભીર ઈજા પણ અટકે છે તેથી જ હવે આ માટે હાઈકોર્ટમાં કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત કર્યા છે. તો રાજય સરકાર હવે તેની તમામ કચેરીઓનાં કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાતનો નિયમ અમલમાં મુકી શકે છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, હેલ્મેટના મુદ્દે હાઇકોર્ટ સમક્ષ શુક્રવારે થયેલી સુનાવણીમાં રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલભાઇ ત્રિવેદીએ એવું મૌખિક નિવેદન કર્યું હતું કે,‘હાઇકોર્ટના કર્મચારીઓ માટે ફરજિયાત હેલ્મેટનો પરિપત્ર કર્યો છે, એવી જ રીતે સરકારી અને મ્યુનિ. કોર્પોરેશનના કર્મચારીઓ માટે પણ હેલ્મેટ ફરજિયાત પહેરવા અંગેનો પરિપત્ર કરાશે. જેથી એક દાખલો બેસી શકે અને સામાન્ય લોકો પણ એમાંથી પ્રેરણા લે.

સરકારની તમામ કચેરીઓ સરકારી નિગમો અને સરકારી શાળાઓ-ગ્રાન્ટેડ શાળાઓને પણ તેમાં આવરી લેવાશે. હાઈકોર્ટ જે દ્વિચક્રી વાહન ચાલકે હેલ્મેટ ન પહેર્યા હોય તે આપોઆપ માર્ગ પરનાં સીસીટીવીમાં ઝડપાય જાય અને તેની ઈ-ચલન મળે તે જોવા પર સરકારને જણાવ્યું છે.ગુજરાત હાઈકોર્ટે હેલ્મેટ મુદ્દે સરકારને અનેક વખત નિયમનો અમલ કરવા તાકીદ કરી છે. અને ટકોર પણ કરી છે કે ગંભીરતા સમજયા પછી પણ કોઈ હેલ્મેટ પહેરવા માગતુ નથી અને સરકાર પણ તેમાં ગંભીર નથી.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...