Thursday, March 12, 2026

મ્યુનિ. કોર્પોરેશન અને સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત થશે!

spot_img
Share

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટે રાજયમા દ્વિચક્રી વાહન ધારકોને સલામતી માટે હેલ્મેટ ફરજીયાતનાં નિયમોનો અમલ કરવા રાજય સરકાર પર દબાણ વધાર્યું છે. હાઈકોર્ટ ઈચ્છે છે કે લોકો ખાસ કરીને કોઈ અન્ય સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ભારે ટ્રાફીક સહીતના ક્ષેત્રમાં દ્વિચક્રી વાહન ચાલકો હેલ્મેટ પહેરે તો અકસ્માત સમયે તેઓનાં જીવન બચી શકે છે.ગંભીર ઈજા પણ અટકે છે તેથી જ હવે આ માટે હાઈકોર્ટમાં કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત કર્યા છે. તો રાજય સરકાર હવે તેની તમામ કચેરીઓનાં કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાતનો નિયમ અમલમાં મુકી શકે છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, હેલ્મેટના મુદ્દે હાઇકોર્ટ સમક્ષ શુક્રવારે થયેલી સુનાવણીમાં રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલભાઇ ત્રિવેદીએ એવું મૌખિક નિવેદન કર્યું હતું કે,‘હાઇકોર્ટના કર્મચારીઓ માટે ફરજિયાત હેલ્મેટનો પરિપત્ર કર્યો છે, એવી જ રીતે સરકારી અને મ્યુનિ. કોર્પોરેશનના કર્મચારીઓ માટે પણ હેલ્મેટ ફરજિયાત પહેરવા અંગેનો પરિપત્ર કરાશે. જેથી એક દાખલો બેસી શકે અને સામાન્ય લોકો પણ એમાંથી પ્રેરણા લે.

સરકારની તમામ કચેરીઓ સરકારી નિગમો અને સરકારી શાળાઓ-ગ્રાન્ટેડ શાળાઓને પણ તેમાં આવરી લેવાશે. હાઈકોર્ટ જે દ્વિચક્રી વાહન ચાલકે હેલ્મેટ ન પહેર્યા હોય તે આપોઆપ માર્ગ પરનાં સીસીટીવીમાં ઝડપાય જાય અને તેની ઈ-ચલન મળે તે જોવા પર સરકારને જણાવ્યું છે.ગુજરાત હાઈકોર્ટે હેલ્મેટ મુદ્દે સરકારને અનેક વખત નિયમનો અમલ કરવા તાકીદ કરી છે. અને ટકોર પણ કરી છે કે ગંભીરતા સમજયા પછી પણ કોઈ હેલ્મેટ પહેરવા માગતુ નથી અને સરકાર પણ તેમાં ગંભીર નથી.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...