Saturday, January 24, 2026

માતાપિતા માટે ફરી ચેતવણી રૂપ કિસ્સો! બાળકની શ્વાસનળીમાં ધારદાર પીન ફસાતાં જીવ તાળવે ચોંટયો

spot_img
Share

અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં માતા-પિતાને ચોકાવનારો કિસ્સો ફરી વખત સામે આવ્યો છે.વ્યવસાયે ડ્રાઇવર એવા ઠાસરાના દિલીપભાઈ શર્મા અને શર્મિષ્ઠાબેનના 12 વર્ષના પુત્ર કૌશલ ને 4 ઓક્ટોબર 2024ના રોજ જમતી વખતે ખાવાની થાળીમાં સેફ્ટી પીન પડતાં ભૂલથી જમવાના કોળિયાની સાથે સેફટી પીન ગળામાં થઈ શ્વાસ નળીમા પહોંચી . જેથી ઉલટી અને ગળામાં દુખાવાની શરૂઆત થઈ હતી. ઠાસરામાં એક ખાનગી ક્લિનિકમાં કૌશલને લઈ જઇ એકસ રે કરાવતા શ્વાસનળીમાં જમણી બાજુએ સેફ્ટી પીન હોવાનું નિદાન થયું હતું. દર્દીને વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ રીફર કરવામાં આવ્યા.

દર્દીને કલિનીકલી સ્ટેબલ કર્યા બાદ પીડીયાટ્રીક સર્જરી વિભાગના વડા અને તબીબી અધિક્ષક ડૉ.રાકેશ જોશી તેમજ એનેસ્થેસિયા વિભાગના પ્રોફેસર ડૉક્ટર રમીલા તેમજ એસોસિયેટ પ્રોફેસર ડૉક્ટર કિરણની ટીમ દ્વારા તારીખ 10-10-24 નાં રોજ જટિલ એનેસ્થેસીયા સાથે બ્રોન્કોસ્કોપી કરી સફળતાપૂર્વક સેફ્ટી પીનને કૌશલની જમણી શ્વાસનળીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, 12 વર્ષના કૌશલની જમણી શ્વાસનળીમાંથી ઓપરેશન કરી કાઢવામાં આવેલ પીન અત્યંત તિક્ષ્ણ હતી.જેથી ઓપરેશન દરમ્યાન ખૂબ જ સાવચેતી રાખવામાં આવી હતી.જેથી કરીને બાળકનાં શ્વાસનળીના નાજુક ભાગને નુકસાન ન થાય. ઓપરેશન પછી કોઇપણ બીજી તકલીફ ન રહેતા સ્વસ્થ જણાતા બાળક ને રજા આપવામાં આવી. વારંવાર હોસ્પિટલમાં આવતા આ પ્રકારના કિસ્સાઓ ઉપર થી માતાપિતા એ શિખ લેવાની અને ચેતવાની જરૂર છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...