Friday, January 23, 2026

સાવધાન મકાન માલિકો, પોલીસ યોજશે સ્પેશ્યલ નોંધણી ડ્રાઈવ, પોલીસ આવશે તમારા ઘરે !

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં જે લોકો ભાડે ઘરમાં રહી રહ્યાં છે તે લોકો અને મકાન માલિકો થઇ જજો સચેત, ગુજરાત પોલીસે એક વિશેષ અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન 13 થી 27 ઓક્ટોબર 2024 સુધી ચાલશે. આ અભિયાન હેઠળ ભાડુઆત નોંધણી અંગેની ખાસ ડ્રાઈવ યોજવામાં આવશે. ગુજરાત પોલીસનાં આ વિશેષ અભિયાનનો હેતુ એ છે કે ભાડુઆતની નોંધણીના નિયમનું ચુસ્ત પાલન થાય અને સૌ સુરક્ષિત-સલામત રહે.

ગુજરાત પોલીસ દ્વારા આજથી 27 ઓક્ટોબર સુધી એક ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. ભાડુઆત નોંધણી અંગેની આ ઝુંબેશ હેઠળ પોલીસ ભાડુઆત નોંધણી અંગેની તપાસ ઘરે ઘરે જઈને કરી શકે છે. આ મામલે ગુજરાત પોલીસે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી માહિતી આપી છે, જેમાં લખ્યું છે કે રાજ્યભરમાં 13 થી 27 ઓકટોબર, 2024 દરમિયાન ભાડુઆત નોંધણી અંગેની ખાસ ડ્રાઈવ યોજવામાં આવશે. ભાડુઆત અંગે પોલીસ સ્ટેશન ખાતે નોંધણી કરાવવી ફરજિયાત છે, જે લોકોએ મકાન ભાડે રાખ્યું છે તે ભાડુઆત અને મકાનમાલિક છે તેણે પોલીસ સ્ટેશનમાં ઓનલાઇન ભાડા કરાર નહિ બતાવ્યો હોય અને નહિ કર્યો હોય તો પોલીસ તમારી સામે કરી શકે છે કાર્યવાહી.

અન્ય એક પોસ્ટમાં ગુજરાત પોલીસે લખ્યું કે, ગુજરાત પોલીસનાં આ વિશેષ અભિયાનનો હેતું એ છે કે ભાડુઆતની નોંધણીનાં નિયમનું ચુસ્ત પાલન થાય અને સૌ સુરક્ષિત-સલામત રહે. આથી, પોલીસને સહકાર આપો, જલદીથી ભાડુઆત અંગે નોંધણી કરો.! ઉલ્લેખનીય છે કે, મકાન ભાડે રાખી ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપતા કેટલાક ગુનેગારોની અગાઉ ધરપકડ કરવામાં આવી છે. ગુનાહિત પ્રવૃત્તિઓમાં ભાડાનાં મકાન કે અન્ય પ્રોપર્ટીનો ઉપયોગ થતો અટકાવવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવા ભાડુઆતની નોંધણી ફરજિયાત કરાઈ છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...