Wednesday, March 11, 2026

અમદાવાદમાં નવા ભળેલા આ વિસ્તારોમાં 2000 સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેર દિન-પ્રતિદિન વધી રહ્યું છે. નવા વિસ્તારોના ઉમેરા સાથે ગુનાખોરીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા વિસ્તારોમાં નાગરિકોની સુરક્ષા અને કોર્પોરેશનની વિવિધ સેવાઓ પર નજર રાખવા માટે મુખ્ય રોડ અને જંકશન પર લગાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. તબક્કાવાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. સ્માર્ટ સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ સાથે આ તમામ કેમેરાનું મોનિટરિંગ કરવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરનો દિવસે દિવસે વિકાસ થઈ રહ્યો છે અને નવા વિસ્તારો ભણી રહ્યા છે ત્યારે નિસિપલ કોર્પોરેશનની હદમાં બોપલ, ઘુમા, કઠવાડા, નાના ચિલોડા સહિતના વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવનાર છે. કેટલાક વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવાની શરૂઆત થઈ છે. જોકે, હજી કેટલાક વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવેલા નથી. સીસીટીવી કેમેરાના કારણે થતી ગુનાખોરીને ઉકેલવામાં મદદરૂપ મળશે.

આવા નવા વિસ્તારોમાં નવા મુખ્ય ટીપી રોડ જે 30 મીટર અને 24 મીટરથી મોટા હોય તેમજ મુખ્ય જંકશન પર સીસીટીવી કેમેરા લગાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. કોર્પોરેશન દ્વારા તબક્કાવાર 2000 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. સ્માર્ટ સિટી કંટ્રોલરૂમ ખાતેથી તમામ કેમેરાનું મોનિટિંગ થાય છે તે આ સ્થળ પરથી જ મોનિટરિંગ થશે. નવા વિસ્તારોમાં સીસીટીવી કેમેરા ન હોવાથી ત્યાં લગાવવાનું આયોજન કરાયું છે.

પ્રિન્સિપલ કોર્પોરેશન દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓ પર નજર રાખવામાં આવશે. જો ક્યાંય ગટર ઉભરાયેલી હોય અથવા તો પાણી લીકેજ હોય તેમજ રોડ પર સફાઈ ન થઈ હોય અને રખડતા ઢોર જોવા મળતા હોય તો આ સીસીટીવી કેમેરાની મદદથી જે-તે વોર્ડના અધિકારીનું ધ્યાન દોરી અને કામગીરી કરવા માટેની સૂચના પણ આપવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...