Wednesday, January 14, 2026

અમદાવાદમાં નવા ભળેલા આ વિસ્તારોમાં 2000 સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેર દિન-પ્રતિદિન વધી રહ્યું છે. નવા વિસ્તારોના ઉમેરા સાથે ગુનાખોરીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા વિસ્તારોમાં નાગરિકોની સુરક્ષા અને કોર્પોરેશનની વિવિધ સેવાઓ પર નજર રાખવા માટે મુખ્ય રોડ અને જંકશન પર લગાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. તબક્કાવાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. સ્માર્ટ સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ સાથે આ તમામ કેમેરાનું મોનિટરિંગ કરવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરનો દિવસે દિવસે વિકાસ થઈ રહ્યો છે અને નવા વિસ્તારો ભણી રહ્યા છે ત્યારે નિસિપલ કોર્પોરેશનની હદમાં બોપલ, ઘુમા, કઠવાડા, નાના ચિલોડા સહિતના વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવનાર છે. કેટલાક વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવાની શરૂઆત થઈ છે. જોકે, હજી કેટલાક વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવેલા નથી. સીસીટીવી કેમેરાના કારણે થતી ગુનાખોરીને ઉકેલવામાં મદદરૂપ મળશે.

આવા નવા વિસ્તારોમાં નવા મુખ્ય ટીપી રોડ જે 30 મીટર અને 24 મીટરથી મોટા હોય તેમજ મુખ્ય જંકશન પર સીસીટીવી કેમેરા લગાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. કોર્પોરેશન દ્વારા તબક્કાવાર 2000 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. સ્માર્ટ સિટી કંટ્રોલરૂમ ખાતેથી તમામ કેમેરાનું મોનિટિંગ થાય છે તે આ સ્થળ પરથી જ મોનિટરિંગ થશે. નવા વિસ્તારોમાં સીસીટીવી કેમેરા ન હોવાથી ત્યાં લગાવવાનું આયોજન કરાયું છે.

પ્રિન્સિપલ કોર્પોરેશન દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓ પર નજર રાખવામાં આવશે. જો ક્યાંય ગટર ઉભરાયેલી હોય અથવા તો પાણી લીકેજ હોય તેમજ રોડ પર સફાઈ ન થઈ હોય અને રખડતા ઢોર જોવા મળતા હોય તો આ સીસીટીવી કેમેરાની મદદથી જે-તે વોર્ડના અધિકારીનું ધ્યાન દોરી અને કામગીરી કરવા માટેની સૂચના પણ આપવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...