Wednesday, January 14, 2026

અમદાવાદમાં ચીફ ફાયર ઓફિસર તરીકે અમિત ડોંગરે અને ત્રણ એડિશનલ CFOની નિમણૂંક

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટાફ સિલેક્શન કમિટીની બેઠક મળી હતી. જેમાં ચીફ ફાયર ઓફિસર તરીકે અમિત ડોંગરે તેમજ એડિશનલ ચીફ ફાયર ઓફિસર તરીકે મિહિર રાણાની નિમણૂક કરવામાં આવી છે. અમિત ડોંગરે હાલ રાજ્ય સરકારમાંથી અમદાવાદના રિજનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવે છે. ત્રણ એડિશનલ ચીફ ફાયર ઓફિસર થવાથી બે એડિશનલ ચીફ ઓફિસરને પૂર્વ અને પશ્ચિમ તેમજ એક એડીશનલ ચીફ ઓફિસરને એડમીન તરીકે જવાબદારી આપવામાં આવશે.

રાજ્ય સરકાર માટે અમદાવાદમાં પ્રાદેશિક ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા અમિત ડોંગરે હવે શહેરની ફાયર બ્રિગેડ ટીમનું નેતૃત્વ કરશે. આ ઉપરાંત જયેશ ખાડિયા અને મિથુન મિસ્ત્રી નામના બે અધિકારીઓને પણ બઢતી આપીને એડિશનલ ચીફ ફાયર ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેનાથી શહેરમાં એડિશનલ ચીફ ફાયર ઓફિસરની કુલ સંખ્યા ત્રણ થઈ ગઈ છે. તેમાંથી બે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારો માટે જવાબદાર રહેશે, અને એક વહીવટની દેખરેખ રાખશે.

મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં અમિત ડોંગરેને ચીફ ફાયર ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે મિહિર રાણાને એડિશનલ ચીફ ફાયર ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મિથુન મિસ્ત્રી અને જયેશ ખાડિયાને પણ નિયમિત પ્રમોશનના ભાગરૂપે ઉચ્ચ હોદ્દા પર નિયુક્ત કરવામાં આવ્યા છે.

ચીફ ફાયર ઓફિસર તરીકે અમિત ડોંગરેને 68 ગુણ મળ્યા છે. જ્યારે એડિશનલ ચીફ ફાયર ઓફિસર તરીકે મિહિર રાણાને 71 ગુણ મળ્યા છે. બંને પોસ્ટ ઉપર બે-બે અધિકારીઓને વેઇટિંગ લિસ્ટમાં રાખવામાં આવ્યા છે. જો અધિકારી હાજર નહીં થાય તો વેઇટિંગ લિસ્ટમાંથી નિમણૂક આપવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...