Wednesday, March 4, 2026

અમદાવાદના આ વિસ્તારમાં મહિલાના ઘરમાં ઘૂસી 5 શખસોએ ગળે છરો મૂકી લૂંટ મચાવી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે લૂંટના બનાવને પગલે ચકચાર મચી છે. જેમાં શેલામાં એક મહિલાને ગળે છરો મૂકીની ધાક બતાવીને દાગીનાની લૂંટ ચલાવવામાં આવી હતી. શેલામાં વ્રજ હોમ્સમાં આવીને લૂંટારૂઓએ મહિલાને ધમકી આપીને કહ્યું રૂપિયા આપી દે નહીતર મારી નાખીશું તેમ કહીને લૂંટ ચલાવી હતી.રૂપિયા 4.54 લાખના સોનાના દાગીનાની લૂંટ કરવામાં આવી છે,ચોર ઘરમાંથી લૂંટ કરી ગાડી પણ લૂંટીને ત્યાંથી નાસી ગયા હતા. આ બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શેલાના વ્રજ હોમ્સમાં રહેતા ગીતાબેન પટેલે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, 18 ઓક્ટોબરના રાત્રે તેઓ નીચેના બેડરૂમમાં સૂઈ ગયા હતા. તેમના પતિ તથા દીકરો ઉપરના બેડરૂમમાં સૂઈ ગયા હતા. 19 ઓક્ટોબરના આશરે સવારે 4:45 વાગ્યાના આસપાસ તેમના ઘરની બારીની ગ્રીલ તોડી બારીમાંથી સળીયો કાઢીને પાંચ વ્યક્તિઓ ઘરમાં આવ્યા હતા. જેથી, તેઓ જાગી ગયા હતા. આ પાંચેય તેમના રૂમમાં આવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિના મોઢા ઉપર શર્ટ બાંધ્યો હતો અને બાકીના 4 જણના મોઢા ઉપર રૂમાલ બાંધેલો હતો. આ પાંચેય તેમને હિન્દીમાં કહ્યું હતું કે, રૂપિયા કહા રખા હૈ અને તેમના ગળા ઉપર છરો મૂકીને તેમના કાનમાં પહેરેલી સોનાની કડી, ગળામાં પહેરેલી સોનાની ચેઈન, પગમાં પહેરેલી ચાંદીની સાંકળ કાઢી દીધી હતી.

ત્યારબાદ તેમના બેડરૂમના કબાટમાં રાખેલા સોના-ચાંદીના દાગીના,મોબાઈલ ફોનની અને રોકડ રકમની લૂંટ કરી હતી. ફક્ત એટલું જ નહીં જતા-જતા તેમણે ગાડીની ચાવી અંગે પૂછીને ગળા ઉપર છરો મૂકીને ગાડીની ચાવી પણ લઈ લીધી હતી. ત્યારબાદ તેમના પાર્કિંગમાં પાર્ક કરેલી વેન્ટો ગાડી પણ આ ચોરો લઈને જતા રહ્યા હતા .જતા જતા કહેતા ગયા હતા કે, કિસી કો બતાયા તો જાન સે માર ડાલેંગે.ચોર ગયા બાદ તેમણે તેમના પતિ અને દીકરાને જાણ કરી હતી. જેથી, તેમના પતિએ 100 નંબર પર ફોન કરીને પોલીસને બોલાવતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ સહિત કુલ 4.54 લાખની લૂંટની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ દ્વારા આસપાસના સીસીટીવીની પણ તપાસ કરવામાં આવી રહી છે.કોઈ જાણભેદુ એ ઘટનાને અંજામ આપ્યો હોય તેવું પોલીસને અનુમાન છે.પોલીસે રોડ પરના સીસીટીવી પણ તપાસ અર્થે લીધા છે,ત્યારે ચોરીનો ભેદ જલદીથી ઉકેલાઈ જશે તેવી પોલીસને આશા છે,હાઈવે પરથી લૂંટારૂઓ આવ્યા હોઈ શકે અને ચોરી કરીને હાઈવે તરફથી ગયા હોઈ શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...