Monday, January 19, 2026

અમદાવાદના આ વિસ્તારમાં મહિલાના ઘરમાં ઘૂસી 5 શખસોએ ગળે છરો મૂકી લૂંટ મચાવી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે લૂંટના બનાવને પગલે ચકચાર મચી છે. જેમાં શેલામાં એક મહિલાને ગળે છરો મૂકીની ધાક બતાવીને દાગીનાની લૂંટ ચલાવવામાં આવી હતી. શેલામાં વ્રજ હોમ્સમાં આવીને લૂંટારૂઓએ મહિલાને ધમકી આપીને કહ્યું રૂપિયા આપી દે નહીતર મારી નાખીશું તેમ કહીને લૂંટ ચલાવી હતી.રૂપિયા 4.54 લાખના સોનાના દાગીનાની લૂંટ કરવામાં આવી છે,ચોર ઘરમાંથી લૂંટ કરી ગાડી પણ લૂંટીને ત્યાંથી નાસી ગયા હતા. આ બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શેલાના વ્રજ હોમ્સમાં રહેતા ગીતાબેન પટેલે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, 18 ઓક્ટોબરના રાત્રે તેઓ નીચેના બેડરૂમમાં સૂઈ ગયા હતા. તેમના પતિ તથા દીકરો ઉપરના બેડરૂમમાં સૂઈ ગયા હતા. 19 ઓક્ટોબરના આશરે સવારે 4:45 વાગ્યાના આસપાસ તેમના ઘરની બારીની ગ્રીલ તોડી બારીમાંથી સળીયો કાઢીને પાંચ વ્યક્તિઓ ઘરમાં આવ્યા હતા. જેથી, તેઓ જાગી ગયા હતા. આ પાંચેય તેમના રૂમમાં આવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિના મોઢા ઉપર શર્ટ બાંધ્યો હતો અને બાકીના 4 જણના મોઢા ઉપર રૂમાલ બાંધેલો હતો. આ પાંચેય તેમને હિન્દીમાં કહ્યું હતું કે, રૂપિયા કહા રખા હૈ અને તેમના ગળા ઉપર છરો મૂકીને તેમના કાનમાં પહેરેલી સોનાની કડી, ગળામાં પહેરેલી સોનાની ચેઈન, પગમાં પહેરેલી ચાંદીની સાંકળ કાઢી દીધી હતી.

ત્યારબાદ તેમના બેડરૂમના કબાટમાં રાખેલા સોના-ચાંદીના દાગીના,મોબાઈલ ફોનની અને રોકડ રકમની લૂંટ કરી હતી. ફક્ત એટલું જ નહીં જતા-જતા તેમણે ગાડીની ચાવી અંગે પૂછીને ગળા ઉપર છરો મૂકીને ગાડીની ચાવી પણ લઈ લીધી હતી. ત્યારબાદ તેમના પાર્કિંગમાં પાર્ક કરેલી વેન્ટો ગાડી પણ આ ચોરો લઈને જતા રહ્યા હતા .જતા જતા કહેતા ગયા હતા કે, કિસી કો બતાયા તો જાન સે માર ડાલેંગે.ચોર ગયા બાદ તેમણે તેમના પતિ અને દીકરાને જાણ કરી હતી. જેથી, તેમના પતિએ 100 નંબર પર ફોન કરીને પોલીસને બોલાવતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ સહિત કુલ 4.54 લાખની લૂંટની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ દ્વારા આસપાસના સીસીટીવીની પણ તપાસ કરવામાં આવી રહી છે.કોઈ જાણભેદુ એ ઘટનાને અંજામ આપ્યો હોય તેવું પોલીસને અનુમાન છે.પોલીસે રોડ પરના સીસીટીવી પણ તપાસ અર્થે લીધા છે,ત્યારે ચોરીનો ભેદ જલદીથી ઉકેલાઈ જશે તેવી પોલીસને આશા છે,હાઈવે પરથી લૂંટારૂઓ આવ્યા હોઈ શકે અને ચોરી કરીને હાઈવે તરફથી ગયા હોઈ શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...