Wednesday, January 14, 2026

ગાંધીનગર હાઈવે પર આ સર્કલ પર બ્રિજ નિર્માણને લીધે ડાયવર્ઝન તૈયાર કરાયું

spot_img
Share

ગાંધીનગરઃ અમદાવાદના એરપોર્ટથી ગાંધીનગર જતા હાઈવે પર એપોલો સર્કલ પાસે ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ બની છે. એપોલો સર્કલ પાસે એસપી રિંગ રોડ જંકશનને કારણે અવાર-નવાર ટ્રાફિક જામ સર્જાતો હોય છે. આથી એપોલો સર્કલ પર કેબલ સ્ટેન્ડ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. બ્રિજનું કામ શરૂ થતાં જ હવે એપોલો સર્કલ પર ડાયવર્ઝન આપવા વૈકલ્પિક માર્ગ તૈયાર કરી દેવાયો છે, સર્કલના ચારેય રસ્તાઓ પર સર્વિસ રોડ પણ બનાવી દેવાયા છે. કેબલ સ્ટેન્ડ બ્રિજનું કામ બે વર્ષ ચાલશે, એટલે બે વર્ષ સુધી વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગાંધીનગર હાઈવેથી એરપોર્ટ રોડ અને સરદાર પટેલ રિંગ રોડ પરના મહત્વના જંક્શન એપોલો સર્કલ બે વર્ષ સુધી બંધ રાખવામાં આવશે. આ માર્ગ પરના તમામ વાહનોને ડાયવર્ઝન આપવામાં આવશે. આ માટે સર્કલના ચારેય તરફના રોડ પર ખાસ સર્વિસ રોડ તૈયાર કરવામાં આવ્યો છે. અહીંથી પસાર થતાં રોજના 1.24 લાખ વાહનોને બે વર્ષ સુધી ડાયવર્ઝન રૂટ પર પસાર થવું પડશે. કેબલ સ્ટેડ બ્રિજનું કામ શરૂ થઇ જશે જે પૂર્ણ થયા બાદ અંડરપાસ પણ બનાવવામાં આવશે. જેમાં બે વર્ષ સુધીનો સમય લાગશે. એપોલો સર્કલ પરથી પસાર થતાં વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યા ન નડે તે માટે ગાંધીનગર પોલીસ દ્વારા ડાયવર્ઝન રૂટ તૈયાર કરી દેવામાં આવ્યો છે, જે આજથી અમલી બનાવી દેવાયો છે. વૈષ્ણોદેવીની જેમ હવે સરદાર પટેલ રિંગ રોડ પર એપોલો જંક્શન ખાતે પણ થ્રી- લેયર ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ અમલી બનશે. અહીં હાલનો મુખ્ય માર્ગ ઉપરાંત કેબલ સ્ટેડ બ્રિજ અને અંડરપાસ એમ ત્રણ વ્યવસ્થા રહેશે. આ વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે આ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ત્રણેક વર્ષ વિલંબ થયા બાદ હવે કેબલ સ્ટેડ બ્રિજ અને અંડરપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ એપોલો સર્કલ પર ટ્રાફિકના નિયમન માટે માર્ગ અને મકાન વિભાગ, પાટનગર યોજના વિભાગ, ગાંધીનગર મહાનગરપાલિકા, ગાંધીનગર પોલીસ અને ઔડાએ સંયુક્ત રીતે ડાયવર્ઝન રૂટ તૈયાર કર્યો છે. ડાયવર્ઝન માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ગાંધીનગરથી ભાટ સર્કલ સુધીના રોડ પર 1 કિલોમીટર લાંબો સર્વિસ રોડ ઉપરાંત સર્કલની ફરતે પણ સર્વિસ રોડ તૈયાર કરી દેવામાં આવ્યો છે. ગાંધીનગરના લોકો અમદાવાદમાં નરોડા, નિકોલ, વસ્ત્રાલ સહિતના વિસ્તારો તેમજ વડોદરા એક્સપ્રેસ હાઇવે તરફ જવા માટે હાલ એપોલો સર્કલથી રીંગરોડનો ઉપયોગ કરે છે. આ વિસ્તારમાં ડાયવર્ઝન રૂટ તૈયાર કરવામાં આવ્યો છે. પરંતુ ગાંધીનગરથી આ વિસ્તારોમાં જતા વાહનચાલકોને ગિફ્ટ સિટી અથવા લવારપુર થઇને નાના ચિલોડા તરફનો માર્ગ પસંદ કરવા ભલામણ કરવામાં આવી છે. જેથી વાહનચાલકોનો સમય પણ બચશે અને એપોલો સર્કલ પર ટ્રાફિકનું ભારણ ઘટશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...