Monday, November 10, 2025

ગાંધીનગર હાઈવે પર આ સર્કલ પર બ્રિજ નિર્માણને લીધે ડાયવર્ઝન તૈયાર કરાયું

spot_img
Share

ગાંધીનગરઃ અમદાવાદના એરપોર્ટથી ગાંધીનગર જતા હાઈવે પર એપોલો સર્કલ પાસે ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ બની છે. એપોલો સર્કલ પાસે એસપી રિંગ રોડ જંકશનને કારણે અવાર-નવાર ટ્રાફિક જામ સર્જાતો હોય છે. આથી એપોલો સર્કલ પર કેબલ સ્ટેન્ડ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. બ્રિજનું કામ શરૂ થતાં જ હવે એપોલો સર્કલ પર ડાયવર્ઝન આપવા વૈકલ્પિક માર્ગ તૈયાર કરી દેવાયો છે, સર્કલના ચારેય રસ્તાઓ પર સર્વિસ રોડ પણ બનાવી દેવાયા છે. કેબલ સ્ટેન્ડ બ્રિજનું કામ બે વર્ષ ચાલશે, એટલે બે વર્ષ સુધી વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગાંધીનગર હાઈવેથી એરપોર્ટ રોડ અને સરદાર પટેલ રિંગ રોડ પરના મહત્વના જંક્શન એપોલો સર્કલ બે વર્ષ સુધી બંધ રાખવામાં આવશે. આ માર્ગ પરના તમામ વાહનોને ડાયવર્ઝન આપવામાં આવશે. આ માટે સર્કલના ચારેય તરફના રોડ પર ખાસ સર્વિસ રોડ તૈયાર કરવામાં આવ્યો છે. અહીંથી પસાર થતાં રોજના 1.24 લાખ વાહનોને બે વર્ષ સુધી ડાયવર્ઝન રૂટ પર પસાર થવું પડશે. કેબલ સ્ટેડ બ્રિજનું કામ શરૂ થઇ જશે જે પૂર્ણ થયા બાદ અંડરપાસ પણ બનાવવામાં આવશે. જેમાં બે વર્ષ સુધીનો સમય લાગશે. એપોલો સર્કલ પરથી પસાર થતાં વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યા ન નડે તે માટે ગાંધીનગર પોલીસ દ્વારા ડાયવર્ઝન રૂટ તૈયાર કરી દેવામાં આવ્યો છે, જે આજથી અમલી બનાવી દેવાયો છે. વૈષ્ણોદેવીની જેમ હવે સરદાર પટેલ રિંગ રોડ પર એપોલો જંક્શન ખાતે પણ થ્રી- લેયર ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ અમલી બનશે. અહીં હાલનો મુખ્ય માર્ગ ઉપરાંત કેબલ સ્ટેડ બ્રિજ અને અંડરપાસ એમ ત્રણ વ્યવસ્થા રહેશે. આ વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે આ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ત્રણેક વર્ષ વિલંબ થયા બાદ હવે કેબલ સ્ટેડ બ્રિજ અને અંડરપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ એપોલો સર્કલ પર ટ્રાફિકના નિયમન માટે માર્ગ અને મકાન વિભાગ, પાટનગર યોજના વિભાગ, ગાંધીનગર મહાનગરપાલિકા, ગાંધીનગર પોલીસ અને ઔડાએ સંયુક્ત રીતે ડાયવર્ઝન રૂટ તૈયાર કર્યો છે. ડાયવર્ઝન માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ગાંધીનગરથી ભાટ સર્કલ સુધીના રોડ પર 1 કિલોમીટર લાંબો સર્વિસ રોડ ઉપરાંત સર્કલની ફરતે પણ સર્વિસ રોડ તૈયાર કરી દેવામાં આવ્યો છે. ગાંધીનગરના લોકો અમદાવાદમાં નરોડા, નિકોલ, વસ્ત્રાલ સહિતના વિસ્તારો તેમજ વડોદરા એક્સપ્રેસ હાઇવે તરફ જવા માટે હાલ એપોલો સર્કલથી રીંગરોડનો ઉપયોગ કરે છે. આ વિસ્તારમાં ડાયવર્ઝન રૂટ તૈયાર કરવામાં આવ્યો છે. પરંતુ ગાંધીનગરથી આ વિસ્તારોમાં જતા વાહનચાલકોને ગિફ્ટ સિટી અથવા લવારપુર થઇને નાના ચિલોડા તરફનો માર્ગ પસંદ કરવા ભલામણ કરવામાં આવી છે. જેથી વાહનચાલકોનો સમય પણ બચશે અને એપોલો સર્કલ પર ટ્રાફિકનું ભારણ ઘટશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...