Friday, March 13, 2026

અમદાવાદને વધુ 50 વોલ્વો બસ ફાળવાઈ, નહેરુનગરથી વડોદરા, સુરત માટે નવી વોલ્વો મળશે

spot_img
Share

અમદાવાદ : ગુજરાત એસટી નિગમ દ્વારા બુધવારે 10 નવી વોલ્વો બસનું લોકાર્પણ કરવાની સાથે 68 બસ રોડ મૂકી છે. જેમાંથી અમદાવાદ ડિવિઝનને 50 બસ ફાળવવામાં આવી છે. જ્યારે રાજકોટને 12 તેમજ સુરત ડિવિઝનને 6 વોલ્વો ફાળવાઈ હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત એસટી નિગમ દ્વારા આ તમામ વોલ્વો 2×2 પુશ બેક સીટવાળી 47 બસ છે. જેમાં સીસીટીવી કેમેરા, મોબાઈલ ચાર્જિંગની સુવિધા, ફાયર સેફ્ટી, ઈમરજન્સી એક્ઝિટ માટે 2 ગેટ પણ છે. નિગમે આગામી સમયમાં નવી અને અદ્યતન કક્ષાની 100 વોલ્વો બસ દોડવવાનું આયોજન છે. હાલમાં રાજ્યમાં 8,500 એસટી બસ તેમજ 170 પ્રિમિયમ વોલ્વો, એસી, સ્લીપર બસો દોડી રહી છે.

ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બરમાં પણ એસટી નિગમે અમદાવાદથી વડોદરા, સુરત, રાજકોટ માટે 20 નવી વોલ્વો બસનું લોકાર્પણ કર્યું હતું. સીટની નજીક જ પેસેન્જરોની સુરક્ષા માટે પેનિક બટન આપવામાં આવ્યું છે.

નવી વોલ્વો વડોદરા, સુરતના રૂટ પર મુકાઈ
નેહરુનગર-વડોદરા
નેહરુનગર-સુરત
ગાંધીનગર-સુરત
નેહરુનગર-નવસારી
અમદાવાદ-રાજકોટ
વડોદરા-ભુજ
વડોદરા-નાથદ્વારા
વડોદરા-રાજકોટ
રાજકોટ-નાથદ્વારા
એરપોર્ટ-ભુજ-ધોરડો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...