Friday, November 28, 2025

રિડેવલપમેન્ટ પ્રક્રિયામાં હાઉસિંગ કોલોનીઓમાં નવો ટ્રેન્ડ થયો શરૂ…!!

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં હાઉસિંગની અનેક સોસાયટીઓ જર્જરિત અને ભયજનક છે, જેમાં કેટલીક તો ખરેખર બિસ્માર હાલતમાં હોવા છતાં રહીશો જીવના જાેખમે રહે છે, એકબાજુ સરકાર દ્વારા રિડેવલપમેન્ટ પોલીસી-૨૦૧૬ લાવવામાં આવેલ છે, પરંતુ એમાંય ૨૦૧૬ થી ૨૦૨૪ સુધી કોઈ ખાસ સફળતા મળી હોય તેવું જણાતું નથી, પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી એટલે કે છેલ્લાં એકાદ વર્ષથી લોકોમાં રિડેવલપમેન્ટ વિશે ખાસ્સી એવી જાગૃતિ આવી છે, શહેરની નારણપુરા સહિત અનેક વિસ્તારોમાં આવેલ હાઉસિંગ સોસાયટીઓ રિડેવલપમેન્ટમાં રસ દાખવી રહી છે.

એક ચર્ચા મુજબ, તાજેતરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા પાડવામાં આવેલ ટેન્ડરોમાં અનેક સોસાયટીઓમાં રહીશો ઉત્સાહથી કામ કરી રહ્યાં છે.કેટલીંક સોસાયટીઓમાં એક નવા પ્રકારનો ટ્રેન્ડ જાેવા મળી રહ્યો છે. એક સોસાયટીમાં હોદ્દેદારોને સાઈડમાં રાખીને હાઉસિંગના રહીશોએ જ રિડેવલપમેન્ટનું કામ હાથમાં ઉપાડી લીધું છે, રહીશોએ આગળ આવીને એસોસિયેશનના હોદ્દેદારોને જણાવી દીધું છે કે કોઈ પણ રીતે રિડેવલપમેન્ટ કરવાનું છે.અસંમત સભ્યોની ચિંત કરવાનું છોડી દો…અમો સૌ ભેગા થઈને કરી લઈશું…જેના કારણે અસંમત સભ્યોમાં ભયમાં જાેવા મળી રહ્યાં છે.સોસાયટીના એક સભ્યએ નામ નહીં જણાવવાની શરતે જણાવ્યું હતું કે કેટલાંક બે-ચાર કે પાંચ-દસના કારણે બહુમત સંમત સભ્યોને સહન કરવાનું આવે છે, અમો અગાઉની કેટલીક સોસાયટીઓમાં જાેયું છે કે બે-ચાર કે પાંચ-દસ અસંમત સભ્યોને કારણે બાકીના સભ્યોને કયાંક રાહ જાેવી પડે છે, તો કયાંક પ્રોજેકટ અટકાઈ છે, તો યેનકેન પ્રકારે સાચી-ખોટી વાતોમાં આવીને રિડેવલપમેન્ટની પ્રક્રિયાને ખોરંભે પાડવાના પ્રયાસો ચાલતા હોય છે, જે અમારી સોસાયટીમાં નહીં થવા દઈએ.

એક સોસાયટીમાં હોદ્દેદારે તો એટલે અંશે કહી દીધું કે કેટલાંક સ્વાર્થી લોકો ફક્ત બિલ્ડરનો તોડ કે વધુ મેળવવા આ પ્રકારના વિરોધ કરતા હોય છે, સંમત સભ્યોને ઉશ્કેરવાનો પ્રયાસ કરતા હોય છે, સરકારની પોલીસી વિરુદ્ધ વિવિધ પ્રકારની માગણીઓની રજુઆત કરી અસંમત સભ્યોને યેનકેન પ્રકારે તૈયાર કરી પોતાનો રોટલો શેકતા હોય છે, આ સિવાય કેટલાંક લોકો ફક્ત રિડેવલમેન્ટ કરવાનું જ નથી, મકાનો પડી જાય એવા નથી, એમ કરીને રિડેવલપમેન્ટનો વિરોધ કરી રહ્યાં છે.

અત્યાર સુધી હાઉસિંગની અનેક સોસાયટીઓમાં રિડેવલપમેન્ટ પ્રક્રિયામાં અસંમત સભ્યોના વિરોધ સામે સંમત સભ્યો ચૂપ રહેતા હતા. વાંધો ઉઠાવતા ન હતા, કોઈ પણ પ્રકારે વિરોધ કરતા ન હતા, પરંતુ છેલ્લા કેટલાંક સમયથી અનેક સોસાયટીઓમાં સંમત સભ્યોએ જ રિડેવલપમેન્ટની પ્રક્રિયા હાથમાં લઈને અસંમત સભ્યોની બોલતી બંધ કરી દીધી છે.

ગત મંગળવારે નારણપુરા વિસ્તારમાં ૧૩૨ ફુટ રીંગ રોડ પર આવેલ નિધી એપાર્ટેન્ટમાં પાંચ દુકાન માલિકો વિવિધ બાબતોને લઇ વિકાસપ્રક્રિયા સામે વિરોધ ઉઠાવ્યો હતો.જેના કારણે ૨૦૨૨થી રિડેવલપમેન્ટની પ્રક્રિયા અટકી હતી, જેનો ગુજરાત હાઈકોર્ટે સખત ભાષામાં ચુકાદો ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ દ્વારા કબજાે મેળવવા જતા સંમત સભ્યોએ ફરી હોબાળો મચાવ્યો હતો.ત્યારે સંમત સભ્યોએ એક થઈને હાજર હાઉસિંગ બોર્ડના અધિકારીઓ અને પોલીસ સ્ટાફને અસંમત સભ્યો વિરુધ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

તમને જણાવી દઈએ નારણપુરા વિસ્તારમાં ૧૩૨ ફૂટ રીંગ રોડ પર પ્રગતિ નગર પાસે આવેલા નિધિ એપાર્ટમેન્ટના રિડેવલપમેન્ટને પડકારતી રિટમાં અરજદારપક્ષ તરફ્થી જણાવાયું કે, નિધિ એપા.એસોસીએશન વર્ષ ૧૯૮૯માં નોંધાયેલુ હતું. તેમાં એચઆઇજી કેટગેરીના ૧૦૦ ફ્લેટ્‌સ અને ૬૦ દુકાનોનો સમાવેશ થાય છે. એપાર્ટમેન્ટના મેનેજમેન્ટે ૧૦૦માંથી ૯૪ ફ્લેટમાલિકોએ અને ૬૦માંથી ૪૮ દુકાનમાલિકોની સંમંતિ મેળવ્યા બાદ વર્ષ ૨૦૨૨માં રિડેવલપમેન્ટ માટે ઠરાવ પસાર કરાયો હતો. માત્ર પાંચ દુકાન માલિકો વિવિધ બાબતોને લઇ વિકાસપ્રક્રિયા સામે વિરોધ ઉઠાવ્યો હતો.હાઈકોર્ટની બેન્ચે રિડેવલપમેન્ટના કામમાં અવરોધ ઊભો કરનારા પાંચ દુકાનદારોને દંડ ફટકાર્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...