Saturday, February 28, 2026

રિડેવલપમેન્ટ પ્રક્રિયામાં હાઉસિંગ કોલોનીઓમાં નવો ટ્રેન્ડ થયો શરૂ…!!

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં હાઉસિંગની અનેક સોસાયટીઓ જર્જરિત અને ભયજનક છે, જેમાં કેટલીક તો ખરેખર બિસ્માર હાલતમાં હોવા છતાં રહીશો જીવના જાેખમે રહે છે, એકબાજુ સરકાર દ્વારા રિડેવલપમેન્ટ પોલીસી-૨૦૧૬ લાવવામાં આવેલ છે, પરંતુ એમાંય ૨૦૧૬ થી ૨૦૨૪ સુધી કોઈ ખાસ સફળતા મળી હોય તેવું જણાતું નથી, પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી એટલે કે છેલ્લાં એકાદ વર્ષથી લોકોમાં રિડેવલપમેન્ટ વિશે ખાસ્સી એવી જાગૃતિ આવી છે, શહેરની નારણપુરા સહિત અનેક વિસ્તારોમાં આવેલ હાઉસિંગ સોસાયટીઓ રિડેવલપમેન્ટમાં રસ દાખવી રહી છે.

એક ચર્ચા મુજબ, તાજેતરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા પાડવામાં આવેલ ટેન્ડરોમાં અનેક સોસાયટીઓમાં રહીશો ઉત્સાહથી કામ કરી રહ્યાં છે.કેટલીંક સોસાયટીઓમાં એક નવા પ્રકારનો ટ્રેન્ડ જાેવા મળી રહ્યો છે. એક સોસાયટીમાં હોદ્દેદારોને સાઈડમાં રાખીને હાઉસિંગના રહીશોએ જ રિડેવલપમેન્ટનું કામ હાથમાં ઉપાડી લીધું છે, રહીશોએ આગળ આવીને એસોસિયેશનના હોદ્દેદારોને જણાવી દીધું છે કે કોઈ પણ રીતે રિડેવલપમેન્ટ કરવાનું છે.અસંમત સભ્યોની ચિંત કરવાનું છોડી દો…અમો સૌ ભેગા થઈને કરી લઈશું…જેના કારણે અસંમત સભ્યોમાં ભયમાં જાેવા મળી રહ્યાં છે.સોસાયટીના એક સભ્યએ નામ નહીં જણાવવાની શરતે જણાવ્યું હતું કે કેટલાંક બે-ચાર કે પાંચ-દસના કારણે બહુમત સંમત સભ્યોને સહન કરવાનું આવે છે, અમો અગાઉની કેટલીક સોસાયટીઓમાં જાેયું છે કે બે-ચાર કે પાંચ-દસ અસંમત સભ્યોને કારણે બાકીના સભ્યોને કયાંક રાહ જાેવી પડે છે, તો કયાંક પ્રોજેકટ અટકાઈ છે, તો યેનકેન પ્રકારે સાચી-ખોટી વાતોમાં આવીને રિડેવલપમેન્ટની પ્રક્રિયાને ખોરંભે પાડવાના પ્રયાસો ચાલતા હોય છે, જે અમારી સોસાયટીમાં નહીં થવા દઈએ.

એક સોસાયટીમાં હોદ્દેદારે તો એટલે અંશે કહી દીધું કે કેટલાંક સ્વાર્થી લોકો ફક્ત બિલ્ડરનો તોડ કે વધુ મેળવવા આ પ્રકારના વિરોધ કરતા હોય છે, સંમત સભ્યોને ઉશ્કેરવાનો પ્રયાસ કરતા હોય છે, સરકારની પોલીસી વિરુદ્ધ વિવિધ પ્રકારની માગણીઓની રજુઆત કરી અસંમત સભ્યોને યેનકેન પ્રકારે તૈયાર કરી પોતાનો રોટલો શેકતા હોય છે, આ સિવાય કેટલાંક લોકો ફક્ત રિડેવલમેન્ટ કરવાનું જ નથી, મકાનો પડી જાય એવા નથી, એમ કરીને રિડેવલપમેન્ટનો વિરોધ કરી રહ્યાં છે.

અત્યાર સુધી હાઉસિંગની અનેક સોસાયટીઓમાં રિડેવલપમેન્ટ પ્રક્રિયામાં અસંમત સભ્યોના વિરોધ સામે સંમત સભ્યો ચૂપ રહેતા હતા. વાંધો ઉઠાવતા ન હતા, કોઈ પણ પ્રકારે વિરોધ કરતા ન હતા, પરંતુ છેલ્લા કેટલાંક સમયથી અનેક સોસાયટીઓમાં સંમત સભ્યોએ જ રિડેવલપમેન્ટની પ્રક્રિયા હાથમાં લઈને અસંમત સભ્યોની બોલતી બંધ કરી દીધી છે.

ગત મંગળવારે નારણપુરા વિસ્તારમાં ૧૩૨ ફુટ રીંગ રોડ પર આવેલ નિધી એપાર્ટેન્ટમાં પાંચ દુકાન માલિકો વિવિધ બાબતોને લઇ વિકાસપ્રક્રિયા સામે વિરોધ ઉઠાવ્યો હતો.જેના કારણે ૨૦૨૨થી રિડેવલપમેન્ટની પ્રક્રિયા અટકી હતી, જેનો ગુજરાત હાઈકોર્ટે સખત ભાષામાં ચુકાદો ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ દ્વારા કબજાે મેળવવા જતા સંમત સભ્યોએ ફરી હોબાળો મચાવ્યો હતો.ત્યારે સંમત સભ્યોએ એક થઈને હાજર હાઉસિંગ બોર્ડના અધિકારીઓ અને પોલીસ સ્ટાફને અસંમત સભ્યો વિરુધ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

તમને જણાવી દઈએ નારણપુરા વિસ્તારમાં ૧૩૨ ફૂટ રીંગ રોડ પર પ્રગતિ નગર પાસે આવેલા નિધિ એપાર્ટમેન્ટના રિડેવલપમેન્ટને પડકારતી રિટમાં અરજદારપક્ષ તરફ્થી જણાવાયું કે, નિધિ એપા.એસોસીએશન વર્ષ ૧૯૮૯માં નોંધાયેલુ હતું. તેમાં એચઆઇજી કેટગેરીના ૧૦૦ ફ્લેટ્‌સ અને ૬૦ દુકાનોનો સમાવેશ થાય છે. એપાર્ટમેન્ટના મેનેજમેન્ટે ૧૦૦માંથી ૯૪ ફ્લેટમાલિકોએ અને ૬૦માંથી ૪૮ દુકાનમાલિકોની સંમંતિ મેળવ્યા બાદ વર્ષ ૨૦૨૨માં રિડેવલપમેન્ટ માટે ઠરાવ પસાર કરાયો હતો. માત્ર પાંચ દુકાન માલિકો વિવિધ બાબતોને લઇ વિકાસપ્રક્રિયા સામે વિરોધ ઉઠાવ્યો હતો.હાઈકોર્ટની બેન્ચે રિડેવલપમેન્ટના કામમાં અવરોધ ઊભો કરનારા પાંચ દુકાનદારોને દંડ ફટકાર્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...