Sunday, March 15, 2026

અમદાવાદ DEOનો કડક આદેશ, ‘ફી માટે વાલીઓ સાથે જ વાત કરો, વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ ન આપો’

spot_img
Share

અમદાવાદ : સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી ધોરણ 8ની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ મુદ્દે પરિવારનો આક્ષેપ છે કે, શાળાના શિક્ષકોના ટોર્ચરને કારણે વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો છે.શાળામાં ફી ભરવાની બાકી હોવાથી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીનીને પરીક્ષામાં બેસવા દીધી નહોતી અને આખો દિવસ ટોયલેટની બહાર ઊભી રાખીને સજા કરવામાં આવી હતી.જેના કારણે વિદ્યાર્થીનીને મનમાં લાગી આવતાં આ પગલું ભર્યું હોવાનું પરિવારજનોનું કહેવું છે.ત્યારે આ ઘટના બાદ અમદવાદનું શિક્ષણ વિભાગ પણ જાગ્યું છે અને અમદાવાદ શહેર DEO દ્વારા શહેરની તમામ સ્કૂલોને બાકી ફી બાબતે વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ ન આપવા કડક આદેશ કરવામા આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીએ પરિપત્ર કરીને તમામ સ્કૂલોના સંચાલક અને આચાર્યને જણાવ્યું છે કે, કેટલીક સ્કૂલો દ્વારા વિદ્યાર્થીની ફી બાકી હોવાના કારણે વિદ્યાર્થીને પરીક્ષામાં ના બેસાડવા, હોલ ટિકિટ ના આપવા અને પરિણામ ના આપવા જેવી ફરિયાદ આવતી હોય છે. સ્કૂલ દ્વારા ફી ભરવા બાબતે વિદ્યાર્થી સાથે વારંવાર મૌખિક રજૂઆત કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થીના માનસ પર વિપરીત અસર થાય છે. સ્કૂલોએ ફી બાકી અંગે વાલી સાથે જ રજૂઆત કરવાની રહેશે. વિદ્યાર્થીની ફી બાકી હોવા છતાં પરીક્ષામાં બેસાડવા, હોલ ટિકિટ આપી અને રિઝલ્ટ પણ આપવાનું રહેશે. ફી બાકી હોય તો આ અટકાવી શકાશે નહીં.

સ્કૂલ દ્વારા અઘટિત કાર્ય કરવામાં આવે તો વિદ્યાર્થીઓના માનસપટલ પર વિપરીત અસર થાય છે. જેના કારણે વિદ્યાર્થીઓ માનસિક રોગના પણ ભોગી બની શકે છે. જો કોઈપણ વ્યક્તિ દ્વારા આ જોગવાઈનું ઉલ્લંઘન કરવામાં આવશે અને કોઈ સ્કૂલ અંગે કોઈ ફરિયાદ મળશે તો તે અંગે તપાસ કરીને નિયમ મુજબ શિસ્ત ભંગના પગલાં લેવામાં આવશે. તમામ સંચાલકો અને આચાર્યએ પોતાના શિક્ષકોને પણ આ બાબતે સૂચના આપવાની રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...