Wednesday, September 17, 2025

સ્ટેમ્પ ડ્યૂટી ભરનારાઓ માટે આવ્યો નવો નિયમ, સરકારે નવા બિલમાં વધારી દીધી દંડની રકમ

Share

Share

ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ બિલ રજુ કરાયું છે. એટલે કે, ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ, 1958ની કલમ 62-ક (3), 9માં ઉલ્લેખિત જોગવાઈનું પાલન ન કરનાર કે સ્ટેમ્પ ડ્યુટી (Stamp Duty) વસૂૂલીને જમા કરાવવામાં નિષ્ફળ જવું અથવા ખોટી માહિતી આપવા બદલ દંડમાં વધારો ઝીંક્યો છે. રૂપિયા 200ના બદલે હવે 1 લાખ કરાતા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત વિધાનસભામાં સત્ર ચાલી રહ્યું છે ત્યારે સરકારે ગુજરાત સ્ટેમ્પ અમેન્ડમેન્ટ બિલ, 2025 વિધાનસભામાં રજુ કર્યુ છે. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 62-ક (3) સાથે કલમ 9-એમાં દંડની રકમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં આ જોગવાઈનું પાલન ન કરનાર તથા સ્ટેમ્પ ડ્યુટી વસૂલીને સરકારમાં જમા કરાવવામાં નિષ્ફળ જનાર કે તેની ખોટી માહિતી આપનારને દંડ ફટકારવામાં આવશે. જેમાં દંડની રકમ 200 રૂપિયાથી વધારીને 1 લાખ સુધીની કરવામા આવી છે. નવી જોગવાઈઓ ઉમેરવામાં આવી છે, જે મુજબ અલગ અલગ ભૂલ કરનારને અલગ દંડની જોગવાઈ કરવામા આવી છે.

આ રીતે કરવામાં આવતો દંડ ઓછામાં ઓછો 10 હજાર રૂપિયા તો કરવો જ પડશે તેવી જોગવાઈ નવા સૂચિત સુધારા ખરડામાં દાખલ કરવામાં આવી છે. કલમ 62-ક ની 1, 2, 3 માં કરવામાં આવેલી નવી જોગવાઈ પ્રમાણે કેટલાક કિસ્સાઓમાં આ દંડની રકમ 200 થી વધારીને 50 હજાર રૂપિયા પણ કરી દેવામાં આવી છે. તેમ જ ઓછામાં ઓછી પેનલ્ટી 10 હજાર કરી દેવાની ખરડામાં જોગવાઈ કરવામાં આવી છે. આ કેસમાં જેલની સજા કરવાની સત્તા કોર્ટને છે, પરંતુ આ ખરડા મારફતે આ સત્તા સ્ટેમ્પ અધિકારીને આપી દેવામાં આવી હોવાનું જણાય છે.

મૃતકના વારસદારો માટે રાહત
મૃતકની મિલકત વારસદારોને ટ્રાન્સફર કરતી વખતે માત્ર 200 રૂપિયાના સ્ટેમ્પ પર પ્રોપર્ટી ટ્રાન્સફર કરવાની જોગવાઈ રજૂ કરવામાં આવી છે. આ નિર્ણય સામાન્ય નાગરિકો માટે રાહતરૂપ છે.

ગિરોખત મિલકત પર દંડમાં વધારો
આર્ટિકલ 36માં સુધારો કરીને ગિરોખત (માર્ગેજ) મિલકત માટે 5 હજાર રૂપિયા દંડ નક્કી કરવામાં આવ્યો છે, જે અગાઉ 500 થી 1000 રૂપિયા હતો.

સ્ટેમ્પ ડ્યૂટી પર વધુ સખ્તાઈ
1999 પહેલાં સ્ટેમ્પ ડ્યૂટી વસૂલાતી નહોતી, પરંતુ હવે 20-25 વર્ષ જૂની બાકી સ્ટેમ્પ ડ્યૂટીના કેસમાં બમણી રકમ ભરવાની ફરજ થશે. ઉદાહરણ તરીકે, જો 50 હજાર રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી બાકી હોય, તો 1 લાખ રૂપિયા ભરવા પડશે. તેમજ દર વર્ષે 3% દંડ ઉમેરવાની જોગવાઈ પણ છે.

ભાડાં કરાર પર નવી જોગવાઈ
રહેઠાણ માટે 11 મહિના 39 દિવસના ભાડાં કરાર માટે 500 રૂપિયા અને કોમર્શિયલ માટે 1000 રૂપિયાનો સ્ટેમ્પ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. જો ભાડાં કરાર પંદર વર્ષ જૂનો છે અને સ્ટેમ્પ ડ્યૂટી ભરાઈ ન હોય, તો 10 હજાર રૂપિયા અને દરેક વધતા વર્ષ માટે 2% દંડ ભરવો પડશે.

ઉલ્લેખનીય છે કે, આજે ત્રણ સરકારી વિધેયકો ગૃહમાં રજૂ થશે. ગુજરાત વિનિયોગ વિધેયક ૨૦૨૫ ગૃહમાં રજૂ થશે. ગુજરાત સ્ટેમ્પ સુધારા વિધેયક ગૃહમાં રજૂ થશે. સરકારી વિધેયકો બાદ બિન સરકારી કામકાજ હાથમાં લેવાશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...