Friday, March 6, 2026

સ્ટેમ્પ ડ્યૂટી ભરનારાઓ માટે આવ્યો નવો નિયમ, સરકારે નવા બિલમાં વધારી દીધી દંડની રકમ

spot_img
Share

ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ બિલ રજુ કરાયું છે. એટલે કે, ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ, 1958ની કલમ 62-ક (3), 9માં ઉલ્લેખિત જોગવાઈનું પાલન ન કરનાર કે સ્ટેમ્પ ડ્યુટી (Stamp Duty) વસૂૂલીને જમા કરાવવામાં નિષ્ફળ જવું અથવા ખોટી માહિતી આપવા બદલ દંડમાં વધારો ઝીંક્યો છે. રૂપિયા 200ના બદલે હવે 1 લાખ કરાતા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત વિધાનસભામાં સત્ર ચાલી રહ્યું છે ત્યારે સરકારે ગુજરાત સ્ટેમ્પ અમેન્ડમેન્ટ બિલ, 2025 વિધાનસભામાં રજુ કર્યુ છે. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 62-ક (3) સાથે કલમ 9-એમાં દંડની રકમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં આ જોગવાઈનું પાલન ન કરનાર તથા સ્ટેમ્પ ડ્યુટી વસૂલીને સરકારમાં જમા કરાવવામાં નિષ્ફળ જનાર કે તેની ખોટી માહિતી આપનારને દંડ ફટકારવામાં આવશે. જેમાં દંડની રકમ 200 રૂપિયાથી વધારીને 1 લાખ સુધીની કરવામા આવી છે. નવી જોગવાઈઓ ઉમેરવામાં આવી છે, જે મુજબ અલગ અલગ ભૂલ કરનારને અલગ દંડની જોગવાઈ કરવામા આવી છે.

આ રીતે કરવામાં આવતો દંડ ઓછામાં ઓછો 10 હજાર રૂપિયા તો કરવો જ પડશે તેવી જોગવાઈ નવા સૂચિત સુધારા ખરડામાં દાખલ કરવામાં આવી છે. કલમ 62-ક ની 1, 2, 3 માં કરવામાં આવેલી નવી જોગવાઈ પ્રમાણે કેટલાક કિસ્સાઓમાં આ દંડની રકમ 200 થી વધારીને 50 હજાર રૂપિયા પણ કરી દેવામાં આવી છે. તેમ જ ઓછામાં ઓછી પેનલ્ટી 10 હજાર કરી દેવાની ખરડામાં જોગવાઈ કરવામાં આવી છે. આ કેસમાં જેલની સજા કરવાની સત્તા કોર્ટને છે, પરંતુ આ ખરડા મારફતે આ સત્તા સ્ટેમ્પ અધિકારીને આપી દેવામાં આવી હોવાનું જણાય છે.

મૃતકના વારસદારો માટે રાહત
મૃતકની મિલકત વારસદારોને ટ્રાન્સફર કરતી વખતે માત્ર 200 રૂપિયાના સ્ટેમ્પ પર પ્રોપર્ટી ટ્રાન્સફર કરવાની જોગવાઈ રજૂ કરવામાં આવી છે. આ નિર્ણય સામાન્ય નાગરિકો માટે રાહતરૂપ છે.

ગિરોખત મિલકત પર દંડમાં વધારો
આર્ટિકલ 36માં સુધારો કરીને ગિરોખત (માર્ગેજ) મિલકત માટે 5 હજાર રૂપિયા દંડ નક્કી કરવામાં આવ્યો છે, જે અગાઉ 500 થી 1000 રૂપિયા હતો.

સ્ટેમ્પ ડ્યૂટી પર વધુ સખ્તાઈ
1999 પહેલાં સ્ટેમ્પ ડ્યૂટી વસૂલાતી નહોતી, પરંતુ હવે 20-25 વર્ષ જૂની બાકી સ્ટેમ્પ ડ્યૂટીના કેસમાં બમણી રકમ ભરવાની ફરજ થશે. ઉદાહરણ તરીકે, જો 50 હજાર રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી બાકી હોય, તો 1 લાખ રૂપિયા ભરવા પડશે. તેમજ દર વર્ષે 3% દંડ ઉમેરવાની જોગવાઈ પણ છે.

ભાડાં કરાર પર નવી જોગવાઈ
રહેઠાણ માટે 11 મહિના 39 દિવસના ભાડાં કરાર માટે 500 રૂપિયા અને કોમર્શિયલ માટે 1000 રૂપિયાનો સ્ટેમ્પ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. જો ભાડાં કરાર પંદર વર્ષ જૂનો છે અને સ્ટેમ્પ ડ્યૂટી ભરાઈ ન હોય, તો 10 હજાર રૂપિયા અને દરેક વધતા વર્ષ માટે 2% દંડ ભરવો પડશે.

ઉલ્લેખનીય છે કે, આજે ત્રણ સરકારી વિધેયકો ગૃહમાં રજૂ થશે. ગુજરાત વિનિયોગ વિધેયક ૨૦૨૫ ગૃહમાં રજૂ થશે. ગુજરાત સ્ટેમ્પ સુધારા વિધેયક ગૃહમાં રજૂ થશે. સરકારી વિધેયકો બાદ બિન સરકારી કામકાજ હાથમાં લેવાશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...