Wednesday, January 14, 2026

ગુજરાત પોલીસનો ગુનાખોરી અટકાવાનો નવો પ્રયોગ, હવે 100 નંબર પર ફોન કરશો તો પોલીસ પહેલા પહોંચશે ડ્રોન

spot_img
Share

ગાંધીનગર : ગુજરાત પોલીસના ઈતિહાસનો સૌથી હાઈટેક પાયલોટ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે. ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા માટે પોલીસની PCR વાન પહેલા ગુજરાત પોલીસનું ડ્રોન પહોંચશે. DGP વિકાસ સહાય દ્વારા ડ્રોનનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. ઝઘડો, મારમારી સહિતના બનાવોમાં ડ્રોન કેમેરાથી ઘટનાનું રેકોર્ડિંગ કરવામાં આવશે. પોલીસની ટીમેને મેસેજ મળતા જ સ્થળ પર ડ્રોન કેમેરો પહોંચી જશે.

ગુજરાત પોલીસે પાયલોટ પ્રોજેક્ટ રજુ કર્યો છે. આ પ્રોજેક્ટનો હેતુ ગુનેગારોને ઝડપી ગુનાખોરી અટકાવવાનો છે. તેમજ PCR વાન પહોંચે તે પહેલા જ ‘અમોઘ’ ડ્રોન ગુનેગાર સુધી પહોંચી વળશે, તે હેતુથી પ્રોજેક્ટ શરૂ કરાયો છે. ગુજરાત પોલીસ ડ્રોન રાજ્યના 4 મહાનગરોના સંવેદનશીલ વિસ્તારોનાં પોલીસ સ્ટેશનમાં આપશે. DGP દ્વારા ડ્રોનનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસના ઉડતા અસ્ત્રથી હવે ગુનેગારો છટકી નહીં શકે.

છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અસમાજીક તત્વોનો ત્રાસ વધતો ગયો છે. નિર્દોષ પ્રજા તેનો વારંવાર ભોગ બનતી જોવા મળી છે, ઘણી વખત સરકારી મિલકતોને પણ નુકસાન પહોંચ્યું છે. ત્યારે ગુનાખોરીને ડામવા પોલીસે હવે નવો પ્રયોગ અજમાવ્યો છે. ગુજરાતના ઈતિહાસમાં આવું પ્રથમ વાર હશે કે કે પોલીસ હવે ગુનેગારોને પકડવા ડ્રોનનો પ્રયોગ કરતી હોય. ‘અમોઘ’ ડ્રોનથી અસામાજિક તત્વોને હવે ભાગવાનો પણ મોકો નહીં મળે. PCR વાન પહોચે તે પહેલા પોલીસનું ડ્રોન પહોંચશે. પોલીસને મેસેજ મળતાં જ ડ્રોન સ્થળ પર પહોંચશે.

ચાર મહાનગરોના સંવેદનશીલ પોલીસ સ્ટેશનમાં ડ્રોન અપાશે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના પોલીસ સ્ટેશનોમાં સર્વે કરાયો હતો. માત્ર 2થી 3 મિનિટમાં જ ઘટના સ્થળે ડ્રોન પહોંચશે. સંવેદનશીલ વિસ્તારોના લેન્ડમાર્ક પોઈન્ટ એડ કરાયા છે. 4 મહાનગરોના 33 પોલીસ સ્ટેશનોમાં ડ્રોન અપાશે અને ગુનાખોરી પર અંકુશ મેળવવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પણ પ્રોજેક્ટનું અમલીકરણ થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...