Wednesday, September 17, 2025

ગુજરાત પોલીસનો ગુનાખોરી અટકાવાનો નવો પ્રયોગ, હવે 100 નંબર પર ફોન કરશો તો પોલીસ પહેલા પહોંચશે ડ્રોન

Share

Share

ગાંધીનગર : ગુજરાત પોલીસના ઈતિહાસનો સૌથી હાઈટેક પાયલોટ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે. ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા માટે પોલીસની PCR વાન પહેલા ગુજરાત પોલીસનું ડ્રોન પહોંચશે. DGP વિકાસ સહાય દ્વારા ડ્રોનનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. ઝઘડો, મારમારી સહિતના બનાવોમાં ડ્રોન કેમેરાથી ઘટનાનું રેકોર્ડિંગ કરવામાં આવશે. પોલીસની ટીમેને મેસેજ મળતા જ સ્થળ પર ડ્રોન કેમેરો પહોંચી જશે.

ગુજરાત પોલીસે પાયલોટ પ્રોજેક્ટ રજુ કર્યો છે. આ પ્રોજેક્ટનો હેતુ ગુનેગારોને ઝડપી ગુનાખોરી અટકાવવાનો છે. તેમજ PCR વાન પહોંચે તે પહેલા જ ‘અમોઘ’ ડ્રોન ગુનેગાર સુધી પહોંચી વળશે, તે હેતુથી પ્રોજેક્ટ શરૂ કરાયો છે. ગુજરાત પોલીસ ડ્રોન રાજ્યના 4 મહાનગરોના સંવેદનશીલ વિસ્તારોનાં પોલીસ સ્ટેશનમાં આપશે. DGP દ્વારા ડ્રોનનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસના ઉડતા અસ્ત્રથી હવે ગુનેગારો છટકી નહીં શકે.

છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અસમાજીક તત્વોનો ત્રાસ વધતો ગયો છે. નિર્દોષ પ્રજા તેનો વારંવાર ભોગ બનતી જોવા મળી છે, ઘણી વખત સરકારી મિલકતોને પણ નુકસાન પહોંચ્યું છે. ત્યારે ગુનાખોરીને ડામવા પોલીસે હવે નવો પ્રયોગ અજમાવ્યો છે. ગુજરાતના ઈતિહાસમાં આવું પ્રથમ વાર હશે કે કે પોલીસ હવે ગુનેગારોને પકડવા ડ્રોનનો પ્રયોગ કરતી હોય. ‘અમોઘ’ ડ્રોનથી અસામાજિક તત્વોને હવે ભાગવાનો પણ મોકો નહીં મળે. PCR વાન પહોચે તે પહેલા પોલીસનું ડ્રોન પહોંચશે. પોલીસને મેસેજ મળતાં જ ડ્રોન સ્થળ પર પહોંચશે.

ચાર મહાનગરોના સંવેદનશીલ પોલીસ સ્ટેશનમાં ડ્રોન અપાશે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના પોલીસ સ્ટેશનોમાં સર્વે કરાયો હતો. માત્ર 2થી 3 મિનિટમાં જ ઘટના સ્થળે ડ્રોન પહોંચશે. સંવેદનશીલ વિસ્તારોના લેન્ડમાર્ક પોઈન્ટ એડ કરાયા છે. 4 મહાનગરોના 33 પોલીસ સ્ટેશનોમાં ડ્રોન અપાશે અને ગુનાખોરી પર અંકુશ મેળવવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પણ પ્રોજેક્ટનું અમલીકરણ થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...