Saturday, February 7, 2026

નવા વાડજમાં વંદે ગુજરાત વિકાસ રથનું સ્વાગત : સ્થાનિકો લોકો અજાણ

spot_img
Share

અમદાવાદ : રાજ્ય સરકારની છેલ્લા બે દાયકાની વિકાસ ગાથા દર્શાવતો રથ હાલ ભ્રમણ કરી રહ્યો છે. ત્યારે શનિવાર સવારે સ્ટેડીયમ વોર્ડના ઉત્સવ એપાર્ટમેન્ટમાં વંદે ગુજરાત વિકાસ રથનું લોકોએ રથને ઉત્સાહભેર આવકાર્યો હતો.જેમાં નાની બાળાઓ દ્વારા રથના સામૈયા કર્યા હતા કુમકુમ તિલક કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આયુષ્યમાન કાર્ડ, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત યોજના સહિતની વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. સરકારના વિકાસકાર્યોની વાત અને વિવિધ યોજનાની માહિતી ઘર ઘર સુધી પહોંચે તે માટે આહવાન કર્યું હતું.વંદે ગુજરાત વિકાસ રથનું સ્વાગત કાર્યક્રમમાં મ્યુ કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન હિતેશ બારોટ, પશ્ચિમ ઝોનના ડે.મ્યુ કમિશ્નર આઈ કે પટેલ, વોર્ડના સ્થાનિક કાઉન્સિલરો, ભાજપના હોદેદારો તેમજ ઉત્સવ એપાર્ટમેન્ટના આગેવાનો અને સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યાં હતા.

જો કે આજુબાજુમાંથી લોકોને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. પત્રકારો પણ ભુલાઈ ગયાં હતાં. તંત્ર દ્વારા માત્ર વાહવાહી કરી હતી. આ કાર્યક્રમમાં હું તું રતનીયયો જેવો ઘાટ જોવા મળ્યો હતો.બાજુની સોસાયટીના લોકોને ખબર પણ ન હતી આ રથ આવવાનો છૈ. તંત્ર સિવાય કોઈ દેખાતું ન હતું. લોકોને પણ જાણ કરવામાં આવી ન હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...