Saturday, September 13, 2025

16 સપ્ટેમ્બરે શાળાઓના સમયમાં ફેરફાર; માત્ર 3 કલાક જ વિદ્યાર્થીઓને ભણાવાશે, જાણો કારણ ?

Share

Share

અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યની તમામ પ્રાથમિક શાળાના સમયમાં મંગળવારે (16 સપ્ટેમ્બર, 2025) દિવસ પૂરતો ફેરફાર કરવામાં આવ્યો છે. આ દિવસે રાજ્યની તમામ પ્રાથમિક શાળાનો સમય સવારનો રહેશે, જેનું કારણ રાજ્યભરમાં યોજાનાર વિશાળ મહા રક્તદાન શિબિર છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ,રાજ્યના શિક્ષણ વિભાગના નવા આદેશ મુજબ 16 સપ્ટેમ્બર, 2025ના રોજ પ્રાથમિક શાળાઓનો સમય સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીનો રહેશે. સામાન્ય દિવસોની સરખામણીએ આ દિવસે શાળાઓ ત્રણ કલાક વહેલી પૂર્ણ થઈ જશે. શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય શિક્ષક મહાસંઘ દ્વારા આ દિવસે રાજ્યવ્યાપી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર કાર્યમાં શિક્ષકો મોટી સંખ્યામાં જોડાઈ શકે અને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી શકે તે હેતુથી શાળાઓનો સમય સવારનો કરવામાં આવ્યો છે.

પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા રાજ્યના શિક્ષણાધિકારીઓ અને શાળાઓને સૂચના આપવામાં આવી છે કે 16 સપ્ટેમ્બરના રોજ શાળાઓમાં એક દિવસ માટે સમય સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીનો રહેશે. આ દરમિયાન શિક્ષકો અને વિદ્યાર્થીઓને મહારક્તદાન શિબિરમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ ડિપાર્ટમેન્ટ દ્વારા આ જાહેરનામું સારવાર તરીકે તમામ જિલ્લાઓ અને શાળાઓને મોકલવામાં આવ્યું છે.

આ નિર્ણય દ્વારા શિક્ષણ વિભાગે શિક્ષકોના સામાજિક કાર્યોને પ્રોત્સાહન આપ્યું છે અને તેમને રક્તદાન જેવા ઉમદા કાર્યમાં ભાગ લેવા માટે પૂરતો સમય પૂરો પાડ્યો છે. આ આદેશનું પાલન કરવું તમામ પ્રાથમિક શાળાઓ માટે ફરજિયાત છે. આ જાહેરાત શિક્ષકો અને વાલીઓ બંને માટે રાહતરૂપ બની રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...