Monday, September 15, 2025

અમદાવાદમાં વિચિત્ર અકસ્માત, એક્ટિવા ચાલક ગાડીના ટાયરમાં ફસાઇ ગયા, સારવાર માટે ખસેડાયા

Share

Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં વિચિત્ર અકસ્માતનો મામલો સામે આવ્યો છે. શહેરના કુબેરનગર વિસ્તારમાં હોન્ડાકારના ચાલકે બેફામ સ્પીડે વાહન હંકારીને બે એક્ટિવાને ટક્કર મારતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે એક્ટિવા સવાર બે લોકો ગાડી નીચે ફસાઇ ગયા હતા. બંનેને મહામહેનતે સ્થાનિકોએ બહાર કાઢીને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડ્યા હતા. જો કે ગાડી ચાલકને ઝડપી લઇને પોલીસને હવાલે કર્યો છે. સમગ્ર મામલે જી ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ આદરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગત 14 સપ્ટેમ્બરના રોજ મોડી સાંજે કુબેરનગરના બંગ્લા એરિયાથી સૈજપુર-બોઘા જવાના રોડ પર વિશાલ અશોકભાઈ મોટવાણી એક્ટિવા લઇને પસાર થતા હતા. ત્યારે બંગ્લા એરિયા નજીક પુરઝડપે આવી રહેલ કારચાલકે એક્ટિવાને અડફેટે લીધી હતી. બાદમાં કારચાલકે અન્ય એક એક્ટિવાને પણ અડફેટે લીધી હતી. બંને એકટીવાના ચાલકો ગાડીના નીચે આવી ગયા હતા. સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તેઓને બહાર કાઢ્યા હતા.

જેમાં હેમંતભાઈ લાલવાણી અને જયભાઇ તથા વિશાલભાઇને ગંભીર ઇજાઓ પહોચતા સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે આસપાસના લોકો ભેગા થઇને કારચાલકને પકડી પાડીને પોલીસના હવાલે કર્યો હતો. કારચાલકનું નામ ભરત શાહ શાહીબાગમાં રહેતો હોવાનું સામે આવ્યુ હતુ અને નવરંગપુરામાં જનવિકાસ ટ્રસ્ટમાં ડ્રાઇવરની નોકરી કરે છે.

અકસ્માતગ્રસ્ત કારમાંથી બે સ્પ્રેની બોટલ અને એક પીળા કલરનું પ્રવાહી ભરેલ બોટલ મળી આવી હતી જેને લઇને એફએસએલમાં મોકલવામાં આવી છે. આ અંગે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક સામે ગુનો નોધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...