Sunday, May 31, 2026

નારણપુરામાં રિડેવલપમેન્ટને લઈને હાઉસીંગના હોદ્દેદારોની ચાય પે ચર્ચા, ચૂંટણીમાં હાઉસીંગ પ્રતિનિધિત્વ પર વિચારણા

spot_img
Share

અમદાવાદ : ચૂંટણીઓ આવતા રાજકીય પક્ષો સાથે વર્ષો જૂની માંગણીઓને લઈને હાઉસીંગના હોદ્દેદારો દ્વારા નારણપુરામાં એક ચાય પે ચર્ચા ‘મિટિંગ’ યોજાઈ હતી. જેમાં ગુજરાત હાઉસિંગ વસાહત મંડળના હોદ્દેદારોએ હાઉસીંગના રહીશોની પડતર માંગણીઓ અને આગામી સમયમાં સરકાર માંગણીઓ સ્વીકારે નહિ તો શું પગલાં ભરવા વગેરે મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી.

નારણપુરામાં ચાય પે ચર્ચાના અનુસંધાનમાં ગુજરાત હાઉસીંગ વસાહત મંડળના હોદ્દેદારોની મિટિંગ મળી હતી. જેમાં હજુ સુધી દસ્તાવેજના વધારાના બાંધકામની અસહ્ય દંડ તથા બીજુ સર્વિસ ચાર્જ ઉપર લેવાતી પેનલ્ટી અને વ્યાજ માફ કરવા અને રિડેવલપમેન્ટમાં સોસાયટીના બે ભાગ ન પાડવા વગેરે રજૂઆતોને ધ્યાનમાં લઈને હજુ સુધી સરકારમાં કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી, જેને લઈને આગામી પગલા શું ભરવા તે માટે ખાસ ચર્ચા થઈ હતી.

આજની આ મીટીંગ દરમિયાન મંડળના હોદ્દેદાર દિપકભાઈ પટેલે નારણપુરા ધારાસભ્ય અને પૂર્વ મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી. જે મુજબ દસ્તાવેજના પડતર પ્રશ્નો તથા રિડેવલપમેન્ટની પોલિસી બાબતે મુખ્યમંત્રીની ઓફિસમાં પેન્ડિંગ હોવાનું જણાવ્યું હતું અને તેઓ આ બાબતે સતત સરકારના સંપર્કમાં છે એવું પણ તેમણે જણાવ્યું હતું .

આ મીટીંગ દરમિયાન બીજો એક સુર એવો હતો કે હાઉસીંગના પ્રશ્ન બાબતે આજના સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને હાઉસીંગનો રહીશ કે જે હાઉસીંગના રહીશો વચ્ચે સક્રિય હોય તેવો કોઈ મજબૂત પ્રતિનિધિ રાજકારણમાં ચૂંટાયેલો પ્રતિનિધિ ન હોવાથી આપણે આ બધા આંદોલનો અને રજૂઆતો કરવી પડે છે. તેથી આગામી સમયમાં સત્તાધારી પક્ષમાં ટિકિટ માગવી અથવા મજબૂત પક્ષમાંથી ટિકિટ લઈને તેને જીતાડવો જોઈએ.

ગુજરાત હાઉસિંગ વસાહત મંડલ વતી દિનેશ બારડે જણાવ્યું હતું કે આગામી નજીકના સમયમાં સોસાયટીઓના હોદ્દેદારો અને કાર્યકરોને પૂછીને આગામી રણનીતિના ભાગરૂપે હાઉસીંગની દરેક સોસાયટીમાં ગ્રૂપ મીટિંગના આયોજન દ્વારા રહીશોમાં જાગૃતિ લાવવી અને ત્યાર બાદ રહીશોના મત મુજબ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન નક્કી કરાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...