Friday, March 6, 2026

નારણપુરામાં રિડેવલપમેન્ટને લઈને હાઉસીંગના હોદ્દેદારોની ચાય પે ચર્ચા, ચૂંટણીમાં હાઉસીંગ પ્રતિનિધિત્વ પર વિચારણા

spot_img
Share

અમદાવાદ : ચૂંટણીઓ આવતા રાજકીય પક્ષો સાથે વર્ષો જૂની માંગણીઓને લઈને હાઉસીંગના હોદ્દેદારો દ્વારા નારણપુરામાં એક ચાય પે ચર્ચા ‘મિટિંગ’ યોજાઈ હતી. જેમાં ગુજરાત હાઉસિંગ વસાહત મંડળના હોદ્દેદારોએ હાઉસીંગના રહીશોની પડતર માંગણીઓ અને આગામી સમયમાં સરકાર માંગણીઓ સ્વીકારે નહિ તો શું પગલાં ભરવા વગેરે મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી.

નારણપુરામાં ચાય પે ચર્ચાના અનુસંધાનમાં ગુજરાત હાઉસીંગ વસાહત મંડળના હોદ્દેદારોની મિટિંગ મળી હતી. જેમાં હજુ સુધી દસ્તાવેજના વધારાના બાંધકામની અસહ્ય દંડ તથા બીજુ સર્વિસ ચાર્જ ઉપર લેવાતી પેનલ્ટી અને વ્યાજ માફ કરવા અને રિડેવલપમેન્ટમાં સોસાયટીના બે ભાગ ન પાડવા વગેરે રજૂઆતોને ધ્યાનમાં લઈને હજુ સુધી સરકારમાં કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી, જેને લઈને આગામી પગલા શું ભરવા તે માટે ખાસ ચર્ચા થઈ હતી.

આજની આ મીટીંગ દરમિયાન મંડળના હોદ્દેદાર દિપકભાઈ પટેલે નારણપુરા ધારાસભ્ય અને પૂર્વ મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી. જે મુજબ દસ્તાવેજના પડતર પ્રશ્નો તથા રિડેવલપમેન્ટની પોલિસી બાબતે મુખ્યમંત્રીની ઓફિસમાં પેન્ડિંગ હોવાનું જણાવ્યું હતું અને તેઓ આ બાબતે સતત સરકારના સંપર્કમાં છે એવું પણ તેમણે જણાવ્યું હતું .

આ મીટીંગ દરમિયાન બીજો એક સુર એવો હતો કે હાઉસીંગના પ્રશ્ન બાબતે આજના સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને હાઉસીંગનો રહીશ કે જે હાઉસીંગના રહીશો વચ્ચે સક્રિય હોય તેવો કોઈ મજબૂત પ્રતિનિધિ રાજકારણમાં ચૂંટાયેલો પ્રતિનિધિ ન હોવાથી આપણે આ બધા આંદોલનો અને રજૂઆતો કરવી પડે છે. તેથી આગામી સમયમાં સત્તાધારી પક્ષમાં ટિકિટ માગવી અથવા મજબૂત પક્ષમાંથી ટિકિટ લઈને તેને જીતાડવો જોઈએ.

ગુજરાત હાઉસિંગ વસાહત મંડલ વતી દિનેશ બારડે જણાવ્યું હતું કે આગામી નજીકના સમયમાં સોસાયટીઓના હોદ્દેદારો અને કાર્યકરોને પૂછીને આગામી રણનીતિના ભાગરૂપે હાઉસીંગની દરેક સોસાયટીમાં ગ્રૂપ મીટિંગના આયોજન દ્વારા રહીશોમાં જાગૃતિ લાવવી અને ત્યાર બાદ રહીશોના મત મુજબ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન નક્કી કરાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...