Tuesday, March 3, 2026

અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટેડ વૃદ્ધા 33 લાખ ટ્રાન્સફર કરવા બેંકે પહોંચ્યા, બેન્ક સ્ટાફને શંકા જતાં બચાવ્યા, આ રીતે ભાંડો ફૂટ્યો

spot_img
Share

અમદાવાદ : સાઇબર ગઠિયાઓએ વૃદ્ધ મહિલાને ડિજિટલ એરેસ્ટ કરીને તેમને ડરાવી, ધમકાવી 33.35 લાખ રૂપિયાની માગણી કરી હતી. મહિલા જ્યારે ડરીને એક સાથે બેંકમાંથી આટલી મોટી રકમના ટ્રાન્જેક્શન કરવા માટે પહોંચ્યા હતા, ત્યારે બેંક કર્મચારીઓને શંકા જતા પોલીસને જાણ કરી હતી. સાયબર ક્રાઇમની ટીમ જયારે બેંકમાં પહોંચી ત્યારે મહિલાએ ડિજિટલ એરેસ્ટ અંગે જાણ કરી હતી. મહિલાનું કાઉન્સેલિંગ કરી ડિજિટલ એરેસ્ટના ફ્રોડ વિશે તેમને સમજાવ્યાં હતાં.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના મણિનગરમાં રહેતા એક સિનિયર સિટીઝન મહિલાને સાઇબર ક્રિમિનલ્સ દ્વારા ડિજિટલ અરેસ્ટનો શિકાર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમાં 5 ડિસેમ્બર થી 10 ડિસેમ્બર સુધી પાંચ દિવસ વૃદ્ધાને ડિજિટલ અરેસ્ટ બનાવી રૂપિયા પડાવવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. દસ ડિસેમ્બરના રોજ મહિલા મણિનગરની બેંકમાંથી પોતાની એફડી ઉપાડી અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે ઉતાવળ કરે છે. તેવી માહિતી મળતા બેંક મેનેજર અભિષેક સિંઘે સાયબર ક્રાઈમની મદદ માગી હતી. જે બાદ તપાસ કરતાં હકીકત સામે આવી કે મહિલા ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યા છે અને પોતે ડરતા હોવાથી રૂપિયા ટ્રાન્સફર કરવા તૈયાર થયા હતા

સાયબર ક્રાઇમએ વૃદ્ધાની પૂછપરછ કરતા હકીકત સામે આવી કે પાંચ ડિસેમ્બરના રોજ મહિલાને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામે ધમકાવવામાં આવ્યા હતા અને તેમના આધારકાર્ડના આધારે કેનેરા બેન્કમાં એક એકાઉન્ટ ખોલી તેમાં અલગ અલગ કરોડો રૂપિયાના વ્યવહાર થયા હોવાનું જણાવી ધરપકડનો ડર બતાવવામાં આવ્યો હતો. જે બાદ તે ધરપકડથી બચવા 33.35 લાખ રૂપિયા જમા કરાવવા બેંક એકાઉન્ટ નંબર આપવામાં આવ્યો હતો. સાથે જ જ્યારે વૃદ્ધા બેંકમાં રૂપિયા જમા કરાવવા ગયા તે સમયે પણ આરોપીઓ દ્વારા સતત વિડીયો કોલ કરી તેની માહિતી મેળવવામાં આવતી હતી. જેના આધારે સાયબર ક્રાઇમ નીતિને વૃદ્ધાને ડિજિટલ અરેસ્ટથી અવગત કરી છેતરપિંડીનો ભોગ બનતા અટકાવ્યા છે.

ડિજિટલ અરેસ્ટનો ભોગ બનેલા વૃદ્ધા બેંકના અધિકારી કે સાયબર ક્રાઇમની એક પણ વાત સાંભળવા તૈયાર ન હતા. અને આરોપી દ્વારા આપવામાં આવેલી માહિતી સાચી માની અધિકારીઓ સાથે પણ બાખડી પડ્યા હતા. જોકે સાયબર ક્રાઇમે વૃદ્ધાને બચાવવા માટે તેમના પરિવારને બોલાવી માહિતી આપી હતી. જેથી મહિલાને બચાવી શકાયા. પરંતુ સાયબર ક્રાઇમના ગુનામાં વ્યક્તિની સતર્કતા જ તેનો બચાવ છે તે વાત પણ માનવી જરૂરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...