Thursday, March 5, 2026

અમદાવાદની શાળાઓમાં લંચબોક્સમાં “નો જંકફૂડ” કેમ્પેઇન હાથ ધરાયું, વિદ્યાર્થીઓ ઘરે બનેલું જમવાનું જ લઈ જઈ શકશે

spot_img
Share

અમદાવાદ : બાળકોમાં વધતી જંકફૂડની પસંદ અને તેના કારણે વધતી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા પર અંકુશ મુકવા માટે શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ‘લંચબોક્સમાં નો જંકફૂડ’ કેમ્પેઇન શરૂ કરાશે. આ કેમ્પેઇનમાં શહેરની 1500થી વધુ સ્કૂલોના 2 લાખ જેટલા વિદ્યાર્થીઓને સાંકળી લેવાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, બાળકોની હેલ્થની સલામતી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. શાળાઓમાં માત્ર પેક્ડ ફૂડ પર જ પ્રતિબંધ છે, પરંતુ હવે જંકફૂડ પર પણ કડક કાર્યવાહી કરવી પડશે. અમદાવાદ શહેરના ડીઈઓ રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, “બાળકોના હેલ્થ સાથેનો મુદ્દો હોવાથી દરેક સ્કૂલોનો સાથ લેવાશે. જ્યાં સ્કૂલો મૂંઝવણ અનુભવશે ત્યાં અમે સાથે રહીશું અને એક્સપર્ટ ટીમ દ્વારા વાલીઓને પણ જાગૃત કરવામાં આવશે.

માત્ર જંકફૂડ પર પ્રતિબંધ મૂકવો પૂરતો નથી, પરંતુ બાળકોને પૌષ્ટિક આહાર મળે તે પણ એટલું જ જરૂરી છે. આ માટે શહેરના જાણીતા ડાયટેશિયન અને બાળકોના ડોક્ટરોની મદદ લેવામાં આવશે. વાલીઓને બાળકો માટે કયો ખોરાક ફાયદાકારક છે અને કઈ રેસિપી બનાવી શકાય તે માટે ઓનલાઇન માર્ગદર્શન આપવાની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવશે.

ઇન્ટરનેશનલ જર્નલ ઓફ સાયન્ટિફિક રિસર્ચના અહેવાલ મુજબ, 10-15 વર્ષના અંદાજે 50% બાળકો અઠવાડિયામાં 3 થી 4 વાર ચિપ્સ, સમોસા અને ફ્રેન્ચ ફ્રાઈસ જેવું જંકફૂડ આરોગે છે. આશરે 2562 વિદ્યાર્થીઓ પર કરાયેલા સર્વેમાં આવા બાળકોમાં મેદસ્વિતાનું પ્રમાણ પણ ઊંચું જોવા મળ્યું છે.જેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...