Thursday, March 5, 2026

અમદાવાદમાં ફરી એક બ્રિજ બન્યો જોખમી! આ બ્રિજના જોઇન્ટ તૂટતાં ચિંતા વધી, દુર્ઘટના થાય તો જવાબદાર કોણ?

spot_img
Share

અમદાવાદ : શહેરના માળખાગત સવલતોની ગુણવત્તા સામે ફરી એકવાર સવાલો ઉભા થયા છે. સુભાષબ્રિજની જોખમી હાલત બાદ હવે શહેરના વ્યસ્ત એવા ઈન્કમટેક્સ ઓવરબ્રિજ પર પણ ભયના વાદળો મંડરાઈ રહ્યા છે. માત્ર 5 વર્ષ પહેલાં જ લોકાર્પિત થયેલા આ બ્રિજના જોઈન્ટ એક્સપાન્સન તૂટવાની ઘટના સામે આવતા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના આશ્રમ રોડ પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે બનાવવામાં આવેલા ઇન્કમટેક્સ બ્રિજ પર ઠેર-ઠેર ભયજનક તિરાડો અને નુકસાન જોવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર બાટા સર્કલથી ઉસ્માનપુરા તરફ જતાં કાલુપુર બેંક પાસે બ્રિજના જોઈન્ટ એક્સપાન્શન તૂટી ગયા છે. અહીં સ્થિતિ એટલી ગંભીર છે કે તૂટેલા ભાગમાંથી બ્રિજની નીચેની અવરજવર સ્પષ્ટ જોઈ શકાય તેવી મોટી ગેપ પડી ગઈ છે.

બીજી તરફ, ઉસ્માનપુરાથી બાટા સર્કલ તરફ જતાં આયકર ભવન પાસે બ્રિજ પરના લોખંડના બોલ્ટ બહાર આવી ગયા છે. આ ઉઘાડા બોલ્ટ ગમે ત્યારે કોઈ મોટા અકસ્માતને નિમંત્રણ આપી શકે છે.બ્રિજના જોઇન્ટ તૂટવાથી વાહન વ્યવહાર માટે જોખમ ઉભું થયું છે. ખાસ કરીને ભારે વાહનો પસાર થાય ત્યારે અકસ્માતની શક્યતા વધે છે. સ્થાનિક લોકોએ તંત્ર સામે પ્રશ્નો ઉઠાવ્યા છે કે નવા બનેલા બ્રિજમાં આવી ખામીઓ કેવી રીતે આવી શકે?

આ મામલે મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હરકતમાં આવી ગઈ છે. તાત્કાલિક પગલાંરૂપે બ્રિજ પર બેરીકેડ લગાવવામાં આવ્યા છે અને જ્યાં જ્યાં બ્રિજ ક્ષતિગ્રસ્ત દેખાય છે ત્યાં અવરોધો મૂકવામાં આવ્યા છે, જેથી વાહનચાલકોને ચેતવણી મળી શકે.

કોર્પોરેશન દ્વારા આગામી સમયમાં સમારકામ શરૂ કરવાની ખાતરી આપવામાં આવી છે. જોકે સતત સામે આવી રહેલા બ્રિજના કેસોને લઈને શહેરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ગુણવત્તા અંગે ફરી એકવાર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...