Wednesday, March 4, 2026

અમદાવાદનો ટ્રાફિકથી વ્યસ્ત આ અન્ડરબ્રીજ સાત દિવસ માટે રહેશે બંધ, યાદ રાખો તારીખો અને ડાયવર્ઝન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતી કડી સમાન બ્રિજ અને અંડરપાસ એકપછી એક બંધ થઈ રહ્યા છે, જેના કારણે વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલેથી જ મુખ્ય બ્રિજ બંધ હોવાને કારણે ટ્રાફિકની સમસ્યા વકરી છે, ત્યારે હવે વધુ એક મહત્વનો માર્ગ બંધ થવાની જાહેરાત થતા શહેરીજનોની હાલાકીમાં મોટો વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને ઓફિસ અવર્સ દરમિયાન વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગો પર નિર્ભર રહેવું પડશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી માટે આગામી પાંચ તારીખથી આઠ દિવસ સુધી એટલે કે 12મી જાન્યુઆરી સુધી શાહીબાગ અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવશે. તંત્ર દ્વારા એરપોર્ટ, ગાંધીનગરથી શાહીબાગ દિલ્હી દરવાજા, કાલુપુર તરફ જતા વાહનચાલકોને ડફનાળા રિવરફ્રન્ટ થઈ શિલાલેખ સોસાયટી તરફના રસ્તે ડાયવર્ટ કરાશે. સુભાષ બ્રિજ બંધ હોવાથી આ રસ્તા પર પહેલેથી જ ટ્રાફિકનું ભારણ વધી ગયું છે. તેવામાં હવે વધુ વાહનો ડાયવર્ટ કરાતા ચક્કાજામની સ્થિતિ સર્જાશે. તેમજ રિક્ષા, બસ જેવા વાહનો રિવરફ્રન્ટ પર પ્રતિબંધિત હોય તેમના માટે કોઈ વૈકલ્પિક માર્ગ દર્શાવાયો નથી. ઉપરાંત દિલ્હી દરવાજા તરફ જતી સિટી બસના રૂટમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે અનેક નવા બ્રિજ અને જૂના બ્રિજના રિકન્સ્ટ્રક્શનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સને કારણે આગામી બે વર્ષ એટલે કે ડિસેમ્બર 2027 સુધી અમદાવાદીઓએ ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડી શકવાની પરિસ્થિતિ સર્જાશે. અસારવા, સારંગપુર અને જૂના વાડજ જેવા મુખ્ય જંક્શનો પર હાલમાં કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

અમદાવાદમાં 330 કરોડ રૂપિયાના ખર્ચથી અસારવા ઉપરાંત સારંગપુર તથા જૂનાવાડજ જંકશન ઉપર ફ્લાયઓવર બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. અસારવા તથા સારંગપુર બ્રિજનું રિકન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે. આ ઉપરાંત સુભાષ બ્રિજનું સુપર સ્ટ્રક્ચર તોડી નવું સુપર સ્ટ્રક્ચર બનાવવા 110 કરોડ રૂપિયા ખર્ચાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...