Thursday, January 8, 2026

અમદાવાદનો ટ્રાફિકથી વ્યસ્ત આ અન્ડરબ્રીજ સાત દિવસ માટે રહેશે બંધ, યાદ રાખો તારીખો અને ડાયવર્ઝન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતી કડી સમાન બ્રિજ અને અંડરપાસ એકપછી એક બંધ થઈ રહ્યા છે, જેના કારણે વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલેથી જ મુખ્ય બ્રિજ બંધ હોવાને કારણે ટ્રાફિકની સમસ્યા વકરી છે, ત્યારે હવે વધુ એક મહત્વનો માર્ગ બંધ થવાની જાહેરાત થતા શહેરીજનોની હાલાકીમાં મોટો વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને ઓફિસ અવર્સ દરમિયાન વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગો પર નિર્ભર રહેવું પડશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી માટે આગામી પાંચ તારીખથી આઠ દિવસ સુધી એટલે કે 12મી જાન્યુઆરી સુધી શાહીબાગ અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવશે. તંત્ર દ્વારા એરપોર્ટ, ગાંધીનગરથી શાહીબાગ દિલ્હી દરવાજા, કાલુપુર તરફ જતા વાહનચાલકોને ડફનાળા રિવરફ્રન્ટ થઈ શિલાલેખ સોસાયટી તરફના રસ્તે ડાયવર્ટ કરાશે. સુભાષ બ્રિજ બંધ હોવાથી આ રસ્તા પર પહેલેથી જ ટ્રાફિકનું ભારણ વધી ગયું છે. તેવામાં હવે વધુ વાહનો ડાયવર્ટ કરાતા ચક્કાજામની સ્થિતિ સર્જાશે. તેમજ રિક્ષા, બસ જેવા વાહનો રિવરફ્રન્ટ પર પ્રતિબંધિત હોય તેમના માટે કોઈ વૈકલ્પિક માર્ગ દર્શાવાયો નથી. ઉપરાંત દિલ્હી દરવાજા તરફ જતી સિટી બસના રૂટમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે અનેક નવા બ્રિજ અને જૂના બ્રિજના રિકન્સ્ટ્રક્શનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સને કારણે આગામી બે વર્ષ એટલે કે ડિસેમ્બર 2027 સુધી અમદાવાદીઓએ ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડી શકવાની પરિસ્થિતિ સર્જાશે. અસારવા, સારંગપુર અને જૂના વાડજ જેવા મુખ્ય જંક્શનો પર હાલમાં કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

અમદાવાદમાં 330 કરોડ રૂપિયાના ખર્ચથી અસારવા ઉપરાંત સારંગપુર તથા જૂનાવાડજ જંકશન ઉપર ફ્લાયઓવર બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. અસારવા તથા સારંગપુર બ્રિજનું રિકન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે. આ ઉપરાંત સુભાષ બ્રિજનું સુપર સ્ટ્રક્ચર તોડી નવું સુપર સ્ટ્રક્ચર બનાવવા 110 કરોડ રૂપિયા ખર્ચાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....

ગિફ્ટ સિટીમાં દારૂના નિયમોમાં મોટો ફેરફાર, વિદેશી પ્રવાસીઓ તથા અન્ય રાજ્યના ઓળખપત્ર બતાવી મેળવી શકશે દારૂ

ગાંધીનગર : ગિફ્ટ સિટીના મુલાકાતીઓ અને કર્મચારીઓને ક્રિસમસ અને નવા વર્ષની શાનદાર ભેટ સમાન નિર્ણયમાં રાજ્ય સરકારે દારૂબંધીના નિયમમાં વધુ રાહત આપતું જાહેરનામું બહાર...

GSRTCની નવી પહેલ, હવે ST બસમાં મુસાફરી દરમિયાન મળશે ગરમાગરમ ભોજન, જાણો કઈ રીતે કરશો ઓર્ડર

ગાંધીનગર : ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. હાઈ-ટેક બસો બાદ હવે નિગમે મુસાફરોની જઠરાગ્નિ...

ઇમ્પેક્ટ ફીની મુદતમાં પાંચમી વખત છ માસનો વધારો, ગેરકાયદેસર બાંધકામ થઈ જશે કાયદેસર

ગાંધીનગર : ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિત કાયદા 2022 હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની સમયમર્યાદા આગામી 6 મહિના...

મોંઘવારીનો વધુ એક માર, વાહનોનું PUC કઢાવવું હવે મોંઘું થશે ! ટુ-વ્હીલર, ફોર-વ્હીલરના નવા ભાવ જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકારે વાહનો માટે પીયુસીના દરમાં વધારો કર્યો છે. વાહનો માટે ફરજિયાત પોલ્યુશન અન્ડર કંટ્રોલ સર્ટિફિકેટ (પીયુસી) મેળવવા હવે વાહન માલિકોને વધુ...