Wednesday, March 4, 2026

રાણીપ સહિત આ વિસ્તારોમાં નવા 15 ફાયર સ્ટેશન બનાવવા અને 168 નવા સ્ટાફની ભરતીની મંજૂરી અપાઈ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેર દિન પ્રતિદિન વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં આગામી પાંચ વર્ષમાં નવા 15 ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. જ્યારે આગામી બે વર્ષમાં નવા 4 ફાયર સ્ટેશન સરદારનગર, રાણીપ, હાથીજણ અને લાંભામાં બનાવવામાં આવશે. હાલમાં શહેરના વ્યાપ પ્રમાણે 50 ફાયર સ્ટેશનની જરૂરિયાત સામે માત્ર 19 સ્ટેશન કાર્યરત છે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે શહેરના વિસ્તરણને જોતા, કોર્પોરેશન દ્વારા રાણીપ, હાથીજણ, લાંભા અને સરદારનગર જેવા વિસ્તારોમાં નવા ફાયર સ્ટેશન બનાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ વિસ્તારોમાં સ્ટેશન કાર્યરત થવાથી આગ જેવી કટોકટીના સમયે પ્રતિસાદ આપવાનો સમય ઘટશે, જેનાથી જાન-માલનું નુકસાન ઓછું કરી શકાશે. આ ઉપરાંત, શહેરના જૂના અને ગીચ વિસ્તારો એવા પાંચકૂવા અને દાણાપીઠમાં પણ નવા સ્ટેશનો ટૂંક સમયમાં ધમધમતા થશે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે માત્ર ઈમારતો બનાવવાથી સુરક્ષા સુનિશ્ચિત થતી નથી, તેના માટે સજ્જ સ્ટાફની પણ જરૂર હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મંજૂર થયેલા નવા 4 સ્ટેશન માટે ફાયરમેન સહિત કુલ 168 સ્ટાફની ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ નવી ભરતીથી ફાયર વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ ભરાશે અને યુવાનોને રોજગારીની તક પણ મળશે.

અમદાવાદમાં જે રીતે ટાઉન પ્લાનિંગ સ્કીમો (TP) વધી રહી છે, તે જોતા 19 ફાયર સ્ટેશન અત્યંત ઓછા ગણી શકાય. તંત્રનો 15 નવા સ્ટેશન બનાવવાનો આ નિર્ણય આગામી સમયમાં શહેરને વધુ સુરક્ષિત બનાવશે. આ નવા માળખાકીય ફેરફારથી પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં ફાયર ફાયટર્સ ઝડપથી ઘટનાસ્થળે પહોંચી શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...