Thursday, January 15, 2026

રાણીપ સહિત આ વિસ્તારોમાં નવા 15 ફાયર સ્ટેશન બનાવવા અને 168 નવા સ્ટાફની ભરતીની મંજૂરી અપાઈ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેર દિન પ્રતિદિન વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં આગામી પાંચ વર્ષમાં નવા 15 ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. જ્યારે આગામી બે વર્ષમાં નવા 4 ફાયર સ્ટેશન સરદારનગર, રાણીપ, હાથીજણ અને લાંભામાં બનાવવામાં આવશે. હાલમાં શહેરના વ્યાપ પ્રમાણે 50 ફાયર સ્ટેશનની જરૂરિયાત સામે માત્ર 19 સ્ટેશન કાર્યરત છે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે શહેરના વિસ્તરણને જોતા, કોર્પોરેશન દ્વારા રાણીપ, હાથીજણ, લાંભા અને સરદારનગર જેવા વિસ્તારોમાં નવા ફાયર સ્ટેશન બનાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ વિસ્તારોમાં સ્ટેશન કાર્યરત થવાથી આગ જેવી કટોકટીના સમયે પ્રતિસાદ આપવાનો સમય ઘટશે, જેનાથી જાન-માલનું નુકસાન ઓછું કરી શકાશે. આ ઉપરાંત, શહેરના જૂના અને ગીચ વિસ્તારો એવા પાંચકૂવા અને દાણાપીઠમાં પણ નવા સ્ટેશનો ટૂંક સમયમાં ધમધમતા થશે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે માત્ર ઈમારતો બનાવવાથી સુરક્ષા સુનિશ્ચિત થતી નથી, તેના માટે સજ્જ સ્ટાફની પણ જરૂર હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મંજૂર થયેલા નવા 4 સ્ટેશન માટે ફાયરમેન સહિત કુલ 168 સ્ટાફની ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ નવી ભરતીથી ફાયર વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ ભરાશે અને યુવાનોને રોજગારીની તક પણ મળશે.

અમદાવાદમાં જે રીતે ટાઉન પ્લાનિંગ સ્કીમો (TP) વધી રહી છે, તે જોતા 19 ફાયર સ્ટેશન અત્યંત ઓછા ગણી શકાય. તંત્રનો 15 નવા સ્ટેશન બનાવવાનો આ નિર્ણય આગામી સમયમાં શહેરને વધુ સુરક્ષિત બનાવશે. આ નવા માળખાકીય ફેરફારથી પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં ફાયર ફાયટર્સ ઝડપથી ઘટનાસ્થળે પહોંચી શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...