Thursday, July 23, 2026

અમદાવાદનો રિયલ હિરો! ઉત્તરાયણમાં દોરીથી થતા અકસ્માતોને રોકવા ‘મિશન સેફ ઉત્તરાયણ’ દ્વારા 33 બ્રિજ પર તાર બાંધ્યા

spot_img
Share

અમદાવાદ : ઉત્તરાયણ એટલે રંગીન પતંગ, આનંદ અને ઉત્સાહનો મહાપર્વ. પરંતુ એક સમય એવો હતો જ્યારે આ ખુશીઓ વચ્ચે અમદાવાદના ફ્લાયર ઓવર બ્રિજ પર દોરી વાગવાના કારણે અનેક નિર્દોષ લોકો જીવ ગુમાવતા હતા.આવા અકસ્માત અને લોકોના જીવ બચાવવા માટે અમદાવાદના શાહપુરમાં રહેતા મનોજભાઈ ભાવસાર ‘મિશન સેવ ઉત્તરાયણ’ દ્વારા તમામ બ્રિજ પર તાર લગાવવાની શરૂઆત કરી છે. આ વર્ષે તેમણે 33 બ્રિજ પર તાર બાંધ્યા છે. તેઓ છેલ્લા 19 વર્ષથી ‘મિશન સેવ ઉત્તરાયણ’ દ્વારા આ પ્રકારની કામગીરી કરી રહ્યા છે.

અમદાવાદના શાહપુર વિસ્તારમાં રહેતા મનોજ ભાવસાર 2-4 વર્ષથી નહીં પરંતુ પાછલા 19 વર્ષથી ઉત્તરાયણ પહેલા લોકોના કિંમતી જીવનને માંજાથી બચાવવા માટે વિવિધ તૈયારીઓ શરુ કરી દે છે. તેઓ ઉત્તરાયણ પહેલા આ વર્ષે તેમણે 33 બ્રિજ પર તાર બાંધ્યા છે. તેઓ છેલ્લા 19 વર્ષથી ‘મિશન સેવ ઉત્તરાયણ’ દ્વારા આ પ્રકારની કામગીરી કરી રહ્યા છે.

કેવી રીતે પ્રેરણા મળી? વર્ષ 2007માં અમદાવાદના એઈસી બ્રિજ પરથી મનોજભાઈ દોરીનો ભોગ બન્યા હતા, ત્યારબાદ તેમણે નક્કી કર્યુ કે આ દોરીનો ભોગ અન્ય લોકો ન બને તે માટે તાર બાંધવા પડશે. આથી તેમણે સૌથી પહેલાં એઈસી બ્રિજ પર તાર લગાવાની મુહિમ શરૂ કરી અને બાદમાં ધીમે ધીમે તેમણે અમદાવાદના કુલ 35 બ્રિજ પર તાર લગાવ્યા. ત્યારે આ વર્ષે તેઓ 4 લાખના ખર્ચે 30-35 બ્રિજ પર તાર બાંધી રહ્યાનો દાવો કરે છે.

અમદાવાદના બ્રિજ પર તાર લગાવવા મનોજભાઈ માટે કપરું હતું કારણ કે, જે બ્રિજ પર સાઈડ પર લાઈટ પોલ ન હોય તેવાં બ્રિજ પર ટેકનિકથી તાર લગાવવા પડે છે. વાહનચાલકો માટે ઘાતક દોરી જીવલેણ ન બને તે માટે મનોજભાઈ 20 ફુટ ઉંચાઈ પર તાર લગાવવે છે. અમદાવાદના સૌથી ખતરનાક એવાં ધરણીધર, અંજલિ, વટવા ઈસનપુર, હાટકેશ્વર તથા મેમ્કો બ્રિજ પર તેઓ તાર સૌથી પહેલાં લગાવી દે છે.

કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જતા બચાવવાનું આ કામ કરતા યુવક એટલે મનોજ ભાવસાર. જેઓ પોતે AC ટેકનિશિયન છે પરંતુ વર્ષ 2010માં ચાંદલોડિયા બ્રિજ પર દોરીથી થયેલા એક કરુણ મોત બાદ તેમને આ ખાસ સંકલ્પ લીધો હતો કે, તેઓ નિર્દોષ લોકોના જીવ બચાવશે. જેના ભાગરૂપે તેઓ હાલ અમદાવાદ શહેરના વિવિધ બ્રિજ પર સુરક્ષા તાર લગાવવાનું કાર્ય કરે છે.

કોર્પોરેશનમાંથી જરૂરી મંજૂરી મેળવી,આ વર્ષે અંદાજે 3.30થી 4 લાખ રૂપિયાનું ખર્ચ આ કામગીરી પાછળ કર્યો છે. આ ખર્ચ મનોજ ભાવસાર અને તેમના અંગત મિત્રોના સહયોગથી ઉઠાવવામાં આવે છે. કોઈ સરકારી સહાય વિના, સંપૂર્ણપણે સ્વૈચ્છિક ભાવનાથી આ અભિયાન આગળ વધારવામાં આવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...