Wednesday, January 14, 2026

અમદાવાદનો રિયલ હિરો! ઉત્તરાયણમાં દોરીથી થતા અકસ્માતોને રોકવા ‘મિશન સેફ ઉત્તરાયણ’ દ્વારા 33 બ્રિજ પર તાર બાંધ્યા

spot_img
Share

અમદાવાદ : ઉત્તરાયણ એટલે રંગીન પતંગ, આનંદ અને ઉત્સાહનો મહાપર્વ. પરંતુ એક સમય એવો હતો જ્યારે આ ખુશીઓ વચ્ચે અમદાવાદના ફ્લાયર ઓવર બ્રિજ પર દોરી વાગવાના કારણે અનેક નિર્દોષ લોકો જીવ ગુમાવતા હતા.આવા અકસ્માત અને લોકોના જીવ બચાવવા માટે અમદાવાદના શાહપુરમાં રહેતા મનોજભાઈ ભાવસાર ‘મિશન સેવ ઉત્તરાયણ’ દ્વારા તમામ બ્રિજ પર તાર લગાવવાની શરૂઆત કરી છે. આ વર્ષે તેમણે 33 બ્રિજ પર તાર બાંધ્યા છે. તેઓ છેલ્લા 19 વર્ષથી ‘મિશન સેવ ઉત્તરાયણ’ દ્વારા આ પ્રકારની કામગીરી કરી રહ્યા છે.

અમદાવાદના શાહપુર વિસ્તારમાં રહેતા મનોજ ભાવસાર 2-4 વર્ષથી નહીં પરંતુ પાછલા 19 વર્ષથી ઉત્તરાયણ પહેલા લોકોના કિંમતી જીવનને માંજાથી બચાવવા માટે વિવિધ તૈયારીઓ શરુ કરી દે છે. તેઓ ઉત્તરાયણ પહેલા આ વર્ષે તેમણે 33 બ્રિજ પર તાર બાંધ્યા છે. તેઓ છેલ્લા 19 વર્ષથી ‘મિશન સેવ ઉત્તરાયણ’ દ્વારા આ પ્રકારની કામગીરી કરી રહ્યા છે.

કેવી રીતે પ્રેરણા મળી? વર્ષ 2007માં અમદાવાદના એઈસી બ્રિજ પરથી મનોજભાઈ દોરીનો ભોગ બન્યા હતા, ત્યારબાદ તેમણે નક્કી કર્યુ કે આ દોરીનો ભોગ અન્ય લોકો ન બને તે માટે તાર બાંધવા પડશે. આથી તેમણે સૌથી પહેલાં એઈસી બ્રિજ પર તાર લગાવાની મુહિમ શરૂ કરી અને બાદમાં ધીમે ધીમે તેમણે અમદાવાદના કુલ 35 બ્રિજ પર તાર લગાવ્યા. ત્યારે આ વર્ષે તેઓ 4 લાખના ખર્ચે 30-35 બ્રિજ પર તાર બાંધી રહ્યાનો દાવો કરે છે.

અમદાવાદના બ્રિજ પર તાર લગાવવા મનોજભાઈ માટે કપરું હતું કારણ કે, જે બ્રિજ પર સાઈડ પર લાઈટ પોલ ન હોય તેવાં બ્રિજ પર ટેકનિકથી તાર લગાવવા પડે છે. વાહનચાલકો માટે ઘાતક દોરી જીવલેણ ન બને તે માટે મનોજભાઈ 20 ફુટ ઉંચાઈ પર તાર લગાવવે છે. અમદાવાદના સૌથી ખતરનાક એવાં ધરણીધર, અંજલિ, વટવા ઈસનપુર, હાટકેશ્વર તથા મેમ્કો બ્રિજ પર તેઓ તાર સૌથી પહેલાં લગાવી દે છે.

કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જતા બચાવવાનું આ કામ કરતા યુવક એટલે મનોજ ભાવસાર. જેઓ પોતે AC ટેકનિશિયન છે પરંતુ વર્ષ 2010માં ચાંદલોડિયા બ્રિજ પર દોરીથી થયેલા એક કરુણ મોત બાદ તેમને આ ખાસ સંકલ્પ લીધો હતો કે, તેઓ નિર્દોષ લોકોના જીવ બચાવશે. જેના ભાગરૂપે તેઓ હાલ અમદાવાદ શહેરના વિવિધ બ્રિજ પર સુરક્ષા તાર લગાવવાનું કાર્ય કરે છે.

કોર્પોરેશનમાંથી જરૂરી મંજૂરી મેળવી,આ વર્ષે અંદાજે 3.30થી 4 લાખ રૂપિયાનું ખર્ચ આ કામગીરી પાછળ કર્યો છે. આ ખર્ચ મનોજ ભાવસાર અને તેમના અંગત મિત્રોના સહયોગથી ઉઠાવવામાં આવે છે. કોઈ સરકારી સહાય વિના, સંપૂર્ણપણે સ્વૈચ્છિક ભાવનાથી આ અભિયાન આગળ વધારવામાં આવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...