Tuesday, March 3, 2026

અમદાવાદનો રિયલ હિરો! ઉત્તરાયણમાં દોરીથી થતા અકસ્માતોને રોકવા ‘મિશન સેફ ઉત્તરાયણ’ દ્વારા 33 બ્રિજ પર તાર બાંધ્યા

spot_img
Share

અમદાવાદ : ઉત્તરાયણ એટલે રંગીન પતંગ, આનંદ અને ઉત્સાહનો મહાપર્વ. પરંતુ એક સમય એવો હતો જ્યારે આ ખુશીઓ વચ્ચે અમદાવાદના ફ્લાયર ઓવર બ્રિજ પર દોરી વાગવાના કારણે અનેક નિર્દોષ લોકો જીવ ગુમાવતા હતા.આવા અકસ્માત અને લોકોના જીવ બચાવવા માટે અમદાવાદના શાહપુરમાં રહેતા મનોજભાઈ ભાવસાર ‘મિશન સેવ ઉત્તરાયણ’ દ્વારા તમામ બ્રિજ પર તાર લગાવવાની શરૂઆત કરી છે. આ વર્ષે તેમણે 33 બ્રિજ પર તાર બાંધ્યા છે. તેઓ છેલ્લા 19 વર્ષથી ‘મિશન સેવ ઉત્તરાયણ’ દ્વારા આ પ્રકારની કામગીરી કરી રહ્યા છે.

અમદાવાદના શાહપુર વિસ્તારમાં રહેતા મનોજ ભાવસાર 2-4 વર્ષથી નહીં પરંતુ પાછલા 19 વર્ષથી ઉત્તરાયણ પહેલા લોકોના કિંમતી જીવનને માંજાથી બચાવવા માટે વિવિધ તૈયારીઓ શરુ કરી દે છે. તેઓ ઉત્તરાયણ પહેલા આ વર્ષે તેમણે 33 બ્રિજ પર તાર બાંધ્યા છે. તેઓ છેલ્લા 19 વર્ષથી ‘મિશન સેવ ઉત્તરાયણ’ દ્વારા આ પ્રકારની કામગીરી કરી રહ્યા છે.

કેવી રીતે પ્રેરણા મળી? વર્ષ 2007માં અમદાવાદના એઈસી બ્રિજ પરથી મનોજભાઈ દોરીનો ભોગ બન્યા હતા, ત્યારબાદ તેમણે નક્કી કર્યુ કે આ દોરીનો ભોગ અન્ય લોકો ન બને તે માટે તાર બાંધવા પડશે. આથી તેમણે સૌથી પહેલાં એઈસી બ્રિજ પર તાર લગાવાની મુહિમ શરૂ કરી અને બાદમાં ધીમે ધીમે તેમણે અમદાવાદના કુલ 35 બ્રિજ પર તાર લગાવ્યા. ત્યારે આ વર્ષે તેઓ 4 લાખના ખર્ચે 30-35 બ્રિજ પર તાર બાંધી રહ્યાનો દાવો કરે છે.

અમદાવાદના બ્રિજ પર તાર લગાવવા મનોજભાઈ માટે કપરું હતું કારણ કે, જે બ્રિજ પર સાઈડ પર લાઈટ પોલ ન હોય તેવાં બ્રિજ પર ટેકનિકથી તાર લગાવવા પડે છે. વાહનચાલકો માટે ઘાતક દોરી જીવલેણ ન બને તે માટે મનોજભાઈ 20 ફુટ ઉંચાઈ પર તાર લગાવવે છે. અમદાવાદના સૌથી ખતરનાક એવાં ધરણીધર, અંજલિ, વટવા ઈસનપુર, હાટકેશ્વર તથા મેમ્કો બ્રિજ પર તેઓ તાર સૌથી પહેલાં લગાવી દે છે.

કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જતા બચાવવાનું આ કામ કરતા યુવક એટલે મનોજ ભાવસાર. જેઓ પોતે AC ટેકનિશિયન છે પરંતુ વર્ષ 2010માં ચાંદલોડિયા બ્રિજ પર દોરીથી થયેલા એક કરુણ મોત બાદ તેમને આ ખાસ સંકલ્પ લીધો હતો કે, તેઓ નિર્દોષ લોકોના જીવ બચાવશે. જેના ભાગરૂપે તેઓ હાલ અમદાવાદ શહેરના વિવિધ બ્રિજ પર સુરક્ષા તાર લગાવવાનું કાર્ય કરે છે.

કોર્પોરેશનમાંથી જરૂરી મંજૂરી મેળવી,આ વર્ષે અંદાજે 3.30થી 4 લાખ રૂપિયાનું ખર્ચ આ કામગીરી પાછળ કર્યો છે. આ ખર્ચ મનોજ ભાવસાર અને તેમના અંગત મિત્રોના સહયોગથી ઉઠાવવામાં આવે છે. કોઈ સરકારી સહાય વિના, સંપૂર્ણપણે સ્વૈચ્છિક ભાવનાથી આ અભિયાન આગળ વધારવામાં આવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...