Wednesday, January 14, 2026

AMCનો તઘલખી નિર્ણય :રિવરફ્રન્ટ પર પક્ષીઓને ચણ અને પ્રાણીઓને ખોરાક આપવા પર મૂકાયો પ્રતિબંધ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેર જે હેરિટેજ મુલ્યો પર ગૌરવ લે છે તેમાં પક્ષીઓના ચણ માટે બનાવાતા ચબૂતરા પણ આગવી ઓળખ છે, અનેક વિસ્તારમાં ચબુતરા માટે કોર્પોરેટર પોતાના બજેટમાંથી ફંડ આપી ચબુતરા મુકાવે છે. પરંતુ બર્ડ અને એનિમલ ફીડીંગના કારણે ગંદકી વધી રહી છે, એવું કારણ જણાવી કોર્પોરેશનના કેટલ ન્યૂસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ વિસ્તાર તેમજ પ્રોજેકટને જોડતા તમામ રસ્તાઓ, ખુલ્લી જગ્યા ઉપર બર્ડ કે એનિમલ ફીડીંગ કરાવવા ઉપર પ્રતિબંધ મુકી દેવાયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMC દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં જાહેર સ્થળોએ થતી ગંદકી અટકાવવા દસ સભ્યોની ટાસ્કફોર્સની રચના કરાઈ છે. આગામી સમયમાં શહેરમા આવેલા જાહેર સ્થળોએ તબકકાવાર બર્ડ અને એનિમલ ફીડીંગ ઉપર પ્રતિબંધ મુકવા કોર્પોરેશને આયોજન કર્યુ છે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટાસ્કફોર્સમાં સાબરમતી રિવરફ્રન્ટના અધિકારીઓની સાથે સાબરમતી રિવરફ્રન્ટના પોલીસ ઈન્સપેકટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટાસ્કફોર્સ દ્વારા રિવરફ્રન્ટ વિસ્તારમાં બર્ડ અને એનિમલ ફિડીંગ અટકાવવા એનફોર્સમેન્ટની કામગીરી કરાશે.હવે રિવરફ્રન્ટ પર પક્ષીઓને ચણ નાંખનારને દંડ થઇ શકે છે. કૂતરાં સહિતના પ્રાણીઓ માટે રોટલી કે પછી કોઈપણ ખાદ્યપદાર્થ રિવરફ્રન્ટ પર નાખતા પકડાશો તો દંડ થશે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામા આવેલા હેલ્થ બાયલોઝ-2012 અંતર્ગત બર્ડ કે એનિમલ ફીડીંગ જાહેર સ્થળોએ કરાવવા મુદ્દે પેનલ્ટીની કાર્યવાહી પણ કરાશે. 10 મે-2013ના રોજ આ હેલ્થ બાયલોઝ અમલી બનાવાયા હતા.બાયલોઝ મુજબ, શહેરમાં કોઈ વ્યકિત કે સંસ્થા દ્વારા જો જાહેરમાં ગંદકી કરવામા આવે તો કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા પેનલ્ટી કે વહીવટી ચાર્જ વસૂલ કરવામા આવે છે.

જાહેરમાં બર્ડ-એનિમલ ફીડીંગ કરાવનારને રુપિયા 100ની પેનલ્ટીની જોગવાઈ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વર્ષ-2013માં અમલમાં મુકેલા હેલ્થ બાયલોઝની 50.1(7)ની જોગવાઈ મુજબ, શહેરમાં જાહેરમાં પક્ષી કે પશુઓને ફીડીંગ કરાવવા ઉપર પ્રતિબંધ મુકાયો હતો. ઉપરાંત જો કોઈ વ્યકિત જાહેરમાં પક્ષી કે પશુને ફીડીંગ કરાવે તો રુપિયા 100 પેનલ્ટી વસૂલ કરવાની જોગવાઈ છે.

જાહેરમાં ડોગ ફિડીંગ ઉપર પણ પ્રતિબંધ મુકાશે

અમદાવાદમાં બર્ડ ફિડીંગ સ્પોટ વધ્યા છે.હેલ્થ બાયલોઝ મુજબ બર્ડ કે એનિમલ ફીડીંગ ઉપર પ્રતિબંધ હોવાછતાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા તેની અસરકારક અમલવારી કરાતી નથી. એમ કોર્પોરેશનના એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે કહયુ છે.શહેરમાં રખડતા ઢોર ઉપર પ્રતિબંધ મુકાયા પછી એનિમલ ફિડીંગ સ્પોટમાં ઘટાડો થયો છે.જો કે હવે ડોગ ફિડીંગ ઉપર પ્રતિબંધ મુકાયો છે.જેથી શહેરમાં પહેલા ડોગ ફિડીંગ સ્પોટ આઈડેન્ટીફાય કરાશે. આ પછી જાહેર સ્થળોએ ડોગ ફિડીંગ કરાવવા ઉપર પ્રતિબંધ મુકવા નોટિસ અપાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...