Monday, March 2, 2026

AMCનો તઘલખી નિર્ણય :રિવરફ્રન્ટ પર પક્ષીઓને ચણ અને પ્રાણીઓને ખોરાક આપવા પર મૂકાયો પ્રતિબંધ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેર જે હેરિટેજ મુલ્યો પર ગૌરવ લે છે તેમાં પક્ષીઓના ચણ માટે બનાવાતા ચબૂતરા પણ આગવી ઓળખ છે, અનેક વિસ્તારમાં ચબુતરા માટે કોર્પોરેટર પોતાના બજેટમાંથી ફંડ આપી ચબુતરા મુકાવે છે. પરંતુ બર્ડ અને એનિમલ ફીડીંગના કારણે ગંદકી વધી રહી છે, એવું કારણ જણાવી કોર્પોરેશનના કેટલ ન્યૂસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ વિસ્તાર તેમજ પ્રોજેકટને જોડતા તમામ રસ્તાઓ, ખુલ્લી જગ્યા ઉપર બર્ડ કે એનિમલ ફીડીંગ કરાવવા ઉપર પ્રતિબંધ મુકી દેવાયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMC દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં જાહેર સ્થળોએ થતી ગંદકી અટકાવવા દસ સભ્યોની ટાસ્કફોર્સની રચના કરાઈ છે. આગામી સમયમાં શહેરમા આવેલા જાહેર સ્થળોએ તબકકાવાર બર્ડ અને એનિમલ ફીડીંગ ઉપર પ્રતિબંધ મુકવા કોર્પોરેશને આયોજન કર્યુ છે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટાસ્કફોર્સમાં સાબરમતી રિવરફ્રન્ટના અધિકારીઓની સાથે સાબરમતી રિવરફ્રન્ટના પોલીસ ઈન્સપેકટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટાસ્કફોર્સ દ્વારા રિવરફ્રન્ટ વિસ્તારમાં બર્ડ અને એનિમલ ફિડીંગ અટકાવવા એનફોર્સમેન્ટની કામગીરી કરાશે.હવે રિવરફ્રન્ટ પર પક્ષીઓને ચણ નાંખનારને દંડ થઇ શકે છે. કૂતરાં સહિતના પ્રાણીઓ માટે રોટલી કે પછી કોઈપણ ખાદ્યપદાર્થ રિવરફ્રન્ટ પર નાખતા પકડાશો તો દંડ થશે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામા આવેલા હેલ્થ બાયલોઝ-2012 અંતર્ગત બર્ડ કે એનિમલ ફીડીંગ જાહેર સ્થળોએ કરાવવા મુદ્દે પેનલ્ટીની કાર્યવાહી પણ કરાશે. 10 મે-2013ના રોજ આ હેલ્થ બાયલોઝ અમલી બનાવાયા હતા.બાયલોઝ મુજબ, શહેરમાં કોઈ વ્યકિત કે સંસ્થા દ્વારા જો જાહેરમાં ગંદકી કરવામા આવે તો કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા પેનલ્ટી કે વહીવટી ચાર્જ વસૂલ કરવામા આવે છે.

જાહેરમાં બર્ડ-એનિમલ ફીડીંગ કરાવનારને રુપિયા 100ની પેનલ્ટીની જોગવાઈ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વર્ષ-2013માં અમલમાં મુકેલા હેલ્થ બાયલોઝની 50.1(7)ની જોગવાઈ મુજબ, શહેરમાં જાહેરમાં પક્ષી કે પશુઓને ફીડીંગ કરાવવા ઉપર પ્રતિબંધ મુકાયો હતો. ઉપરાંત જો કોઈ વ્યકિત જાહેરમાં પક્ષી કે પશુને ફીડીંગ કરાવે તો રુપિયા 100 પેનલ્ટી વસૂલ કરવાની જોગવાઈ છે.

જાહેરમાં ડોગ ફિડીંગ ઉપર પણ પ્રતિબંધ મુકાશે

અમદાવાદમાં બર્ડ ફિડીંગ સ્પોટ વધ્યા છે.હેલ્થ બાયલોઝ મુજબ બર્ડ કે એનિમલ ફીડીંગ ઉપર પ્રતિબંધ હોવાછતાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા તેની અસરકારક અમલવારી કરાતી નથી. એમ કોર્પોરેશનના એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે કહયુ છે.શહેરમાં રખડતા ઢોર ઉપર પ્રતિબંધ મુકાયા પછી એનિમલ ફિડીંગ સ્પોટમાં ઘટાડો થયો છે.જો કે હવે ડોગ ફિડીંગ ઉપર પ્રતિબંધ મુકાયો છે.જેથી શહેરમાં પહેલા ડોગ ફિડીંગ સ્પોટ આઈડેન્ટીફાય કરાશે. આ પછી જાહેર સ્થળોએ ડોગ ફિડીંગ કરાવવા ઉપર પ્રતિબંધ મુકવા નોટિસ અપાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...