Wednesday, January 14, 2026

અમદાવાદ-ગાંધીનગરને PM મોદીએ આપી મેટ્રોની ભેટ..! નવા મેટ્રો રૂટ સહિત 7 સ્ટેશનોનું કર્યું લોકાર્પણ

spot_img
Share

અમદાવાદ : ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા પીએમ મોદીએ આજે ગાંધીનગર સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના મેટ્રો રૂટનું લોકાર્પણ કર્યું હતું. હવે તમે ટ્રાફિકની ચિંતા વગર સીધા અક્ષરધામ અને મહાત્મા મંદિર પહોંચી શકાશે. પીએમ મોદીએ સેક્ટર 10Aથી મહાત્મા મંદિર સુધીના 7.8 કિલોમીટર લાંબા રૂટનું લોકાર્પણ કર્યું હતું.આ સાથે જ ગાંધીનગરના આંતરિક વિસ્તારો અને અમદાવાદ વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બની છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પીએમ મોદીએ પાટનગર ગાંધીનગર ખાતે નવા નિર્મિત મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. તેમના આગમન સાથે જ સમગ્ર પરિસર ‘મોદી-મોદી’ અને ‘જય સોમનાથ’ના નારાથી ગુંજી ઉઠ્યું હતું. મળતી માહિતી મુજબ, ગુજરાત પ્રવાસે પધારેલા વડાપ્રધાન મોદીએ ગાંધીનગરમાં મેટ્રો સ્ટશનનુ ઉદ્ઘાટન કર્યું હતું. સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના મેટ્રો રૂટનો PM મોદીએ પ્રારંભ કરાવ્યો હતો. ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિરોકણ કરશે.

આ લોકાર્પણ બાદ અમદાવાદ મેટ્રોનું કુલ નેટવર્ક વધીને 68 કિમી થઈ જશે. નવા શરૂ થનારા 7 સ્ટેશનોમાં અક્ષરધામ, જૂનું સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24, મહાત્મા મંદિર, સેક્ટર-10A, સચિવાલયનો સમાવેશ થાય છે. આ નવા રૂટના લોકાર્પણ બાદ ગાંધીનગર સચિવાલયમાં કામ કરતા હજારો કર્મચારીઓને હવે ટ્રાફિકની ઝંઝટમાંથી મુક્તિ મળશે. આ સાથે જ અક્ષરધામ અને દાંડી કુટીરની મુલાકાતે આવતા પ્રવાસીઓ સીધા મેટ્રો મારફતે ગાંધીનગર પહોંચી શકશે.

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મેટ્રોની સવારી કરી હતી. બંને મહાનુભાવોએ મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી ટ્રેનમાં બેસીને જૂના સચિવાલય સુધી મુસાફરી કરી હતી. સામાન્ય મુસાફરોની જેમ મેટ્રોમાં સવાર થઈને તેમણે સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ મેટ્રો કનેક્ટિવિટીથી ગાંધીનગરના નાગરિકો અને સચિવાલયના કર્મચારીઓની મુસાફરી હવે વધુ સરળ બનશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...