Monday, March 2, 2026

અમદાવાદ-ગાંધીનગરને PM મોદીએ આપી મેટ્રોની ભેટ..! નવા મેટ્રો રૂટ સહિત 7 સ્ટેશનોનું કર્યું લોકાર્પણ

spot_img
Share

અમદાવાદ : ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા પીએમ મોદીએ આજે ગાંધીનગર સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના મેટ્રો રૂટનું લોકાર્પણ કર્યું હતું. હવે તમે ટ્રાફિકની ચિંતા વગર સીધા અક્ષરધામ અને મહાત્મા મંદિર પહોંચી શકાશે. પીએમ મોદીએ સેક્ટર 10Aથી મહાત્મા મંદિર સુધીના 7.8 કિલોમીટર લાંબા રૂટનું લોકાર્પણ કર્યું હતું.આ સાથે જ ગાંધીનગરના આંતરિક વિસ્તારો અને અમદાવાદ વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બની છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પીએમ મોદીએ પાટનગર ગાંધીનગર ખાતે નવા નિર્મિત મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. તેમના આગમન સાથે જ સમગ્ર પરિસર ‘મોદી-મોદી’ અને ‘જય સોમનાથ’ના નારાથી ગુંજી ઉઠ્યું હતું. મળતી માહિતી મુજબ, ગુજરાત પ્રવાસે પધારેલા વડાપ્રધાન મોદીએ ગાંધીનગરમાં મેટ્રો સ્ટશનનુ ઉદ્ઘાટન કર્યું હતું. સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના મેટ્રો રૂટનો PM મોદીએ પ્રારંભ કરાવ્યો હતો. ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિરોકણ કરશે.

આ લોકાર્પણ બાદ અમદાવાદ મેટ્રોનું કુલ નેટવર્ક વધીને 68 કિમી થઈ જશે. નવા શરૂ થનારા 7 સ્ટેશનોમાં અક્ષરધામ, જૂનું સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24, મહાત્મા મંદિર, સેક્ટર-10A, સચિવાલયનો સમાવેશ થાય છે. આ નવા રૂટના લોકાર્પણ બાદ ગાંધીનગર સચિવાલયમાં કામ કરતા હજારો કર્મચારીઓને હવે ટ્રાફિકની ઝંઝટમાંથી મુક્તિ મળશે. આ સાથે જ અક્ષરધામ અને દાંડી કુટીરની મુલાકાતે આવતા પ્રવાસીઓ સીધા મેટ્રો મારફતે ગાંધીનગર પહોંચી શકશે.

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મેટ્રોની સવારી કરી હતી. બંને મહાનુભાવોએ મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી ટ્રેનમાં બેસીને જૂના સચિવાલય સુધી મુસાફરી કરી હતી. સામાન્ય મુસાફરોની જેમ મેટ્રોમાં સવાર થઈને તેમણે સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ મેટ્રો કનેક્ટિવિટીથી ગાંધીનગરના નાગરિકો અને સચિવાલયના કર્મચારીઓની મુસાફરી હવે વધુ સરળ બનશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...