Wednesday, January 14, 2026

અમદાવાદમાં વધુ એક નવો આઇકોનિક રોડ, શહેરનો સૌથી પહોળો ‘અર્બન લંગ્સ રોડ’ અને પ્રદૂષણ મુક્ત ગ્રીન હાઈવે બનશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નકશા પર એક નવો આઇકોનિક માર્ગ ઉમેરાવા જઈ રહ્યો છે. આઇકોનિક રોડ અને ડસ્ટ ફ્રી રોડ બાદ હવે શહેરમાં અર્બન લંગ્સ રોડ બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. ચાંદખેડા વિસ્તારમાં વિસત સર્કલથી તપોવન સર્કલ સુધી 3.6 કિલોમીટર લાંબો અને અમદાવાદનો સૌથી પહોળો માર્ગ બનશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMC દ્વારા ‘અર્બન લંગ્સ રોડ’ વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં વિસત સર્કલથી તપોવન સર્કલ સુધીના 3.7 કિમીના પટ્ટાને અત્યાધુનિક સુવિધાઓ સાથે રિડેવલપ કરવામાં આવશે. બંને બાજુ ચાર લેનનો મુખ્ય માર્ગ તથા 7 મીટરનો સર્વિસ લેન બનાવાશે. 90 અને 108 મીટરનો રાઇટ ઓફ વે રહેશે. 81,500 ચોરસ મીટર લેન્ડસ્કેપ એરિયા, 2.1 મીટર પહોળો સાયકલ ટ્રેક, પેદેસ્ટ્રિયન અને દિવ્યાંગો માટે સુવિધાઓ ઉભી કરાશે. માર્ગ પર 1200થી વધુ વૃક્ષો અને આકર્ષક આર્ટ ઇન્સ્ટોલેશન શહેરની સુંદરતા વધારશે.આ પ્રોજેક્ટ અંતર્ગત રોડની બંને તરફ 14.7 મીટરનો ફોર લેન મુખ્ય માર્ગ તૈયાર કરાશે, આ રોડ માત્ર વાહનો માટે જ નહીં, પરંતુ પર્યાવરણ અને શહેરીજનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે.

આ અર્બન લંગ્સ રોડની ખાસિયત એ છે કે અહીં પ્રદૂષણ ઘટાડવા માટે માર્ગની આસપાસ 1200 થી વધુ ઘટાદાર વૃક્ષો વાવવામાં આવશે. આ ઉપરાંત, સ્વાસ્થ્ય પ્રેમીઓ માટે 2 મીટરનો અલાયદો સાયકલ ટ્રેક અને 3.5 મીટરનો વોકિંગ ટ્રેક બનાવવામાં આવશે. લોકોના આરામ માટે ખાસ સીટિંગ એરિયા પણ તૈયાર કરાશે, જેથી આ માર્ગ એક હરિયાળા હબ તરીકે ઉભરી આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી ઉત્તર અમદાવાદમાં ટ્રાફિકનું ભારણ ઘટવાની સાથે શહેરીજનોને શુદ્ધ હવા અને મનોરંજન માટે એક ઉત્તમ સ્થળ મળી રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...