Tuesday, March 3, 2026

અમદાવાદમાં વધુ એક નવો આઇકોનિક રોડ, શહેરનો સૌથી પહોળો ‘અર્બન લંગ્સ રોડ’ અને પ્રદૂષણ મુક્ત ગ્રીન હાઈવે બનશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નકશા પર એક નવો આઇકોનિક માર્ગ ઉમેરાવા જઈ રહ્યો છે. આઇકોનિક રોડ અને ડસ્ટ ફ્રી રોડ બાદ હવે શહેરમાં અર્બન લંગ્સ રોડ બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. ચાંદખેડા વિસ્તારમાં વિસત સર્કલથી તપોવન સર્કલ સુધી 3.6 કિલોમીટર લાંબો અને અમદાવાદનો સૌથી પહોળો માર્ગ બનશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMC દ્વારા ‘અર્બન લંગ્સ રોડ’ વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં વિસત સર્કલથી તપોવન સર્કલ સુધીના 3.7 કિમીના પટ્ટાને અત્યાધુનિક સુવિધાઓ સાથે રિડેવલપ કરવામાં આવશે. બંને બાજુ ચાર લેનનો મુખ્ય માર્ગ તથા 7 મીટરનો સર્વિસ લેન બનાવાશે. 90 અને 108 મીટરનો રાઇટ ઓફ વે રહેશે. 81,500 ચોરસ મીટર લેન્ડસ્કેપ એરિયા, 2.1 મીટર પહોળો સાયકલ ટ્રેક, પેદેસ્ટ્રિયન અને દિવ્યાંગો માટે સુવિધાઓ ઉભી કરાશે. માર્ગ પર 1200થી વધુ વૃક્ષો અને આકર્ષક આર્ટ ઇન્સ્ટોલેશન શહેરની સુંદરતા વધારશે.આ પ્રોજેક્ટ અંતર્ગત રોડની બંને તરફ 14.7 મીટરનો ફોર લેન મુખ્ય માર્ગ તૈયાર કરાશે, આ રોડ માત્ર વાહનો માટે જ નહીં, પરંતુ પર્યાવરણ અને શહેરીજનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે.

આ અર્બન લંગ્સ રોડની ખાસિયત એ છે કે અહીં પ્રદૂષણ ઘટાડવા માટે માર્ગની આસપાસ 1200 થી વધુ ઘટાદાર વૃક્ષો વાવવામાં આવશે. આ ઉપરાંત, સ્વાસ્થ્ય પ્રેમીઓ માટે 2 મીટરનો અલાયદો સાયકલ ટ્રેક અને 3.5 મીટરનો વોકિંગ ટ્રેક બનાવવામાં આવશે. લોકોના આરામ માટે ખાસ સીટિંગ એરિયા પણ તૈયાર કરાશે, જેથી આ માર્ગ એક હરિયાળા હબ તરીકે ઉભરી આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી ઉત્તર અમદાવાદમાં ટ્રાફિકનું ભારણ ઘટવાની સાથે શહેરીજનોને શુદ્ધ હવા અને મનોરંજન માટે એક ઉત્તમ સ્થળ મળી રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...