Wednesday, January 14, 2026

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો નવું ટાઈમ ટેબલ: હવે દર 7 મિનિટે મળશે ટ્રેન, જાણો તમામ રૂટના સમય અને કલર કોડ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મુસાફરી કરતા લોકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ગાંધીનગરના મહાત્મા મંદિર સુધીના મેટ્રો રૂટનું લોકાર્પણ કર્યું છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૧૧ જાન્યુઆરીના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર સુધીના મેટ્રો લિંકનું ઉદ્ઘાટન કર્યા બાદ હવે 16 જાન્યુઆરી 2026 (શુક્રવાર)થી આ રૂટ પર મેટ્રો ટ્રેનનું મેટ્રોનું નવું ટાઈમટેબલ અમલી બનશે, જેમાં પીકઅવર્સ દરમિયાન દર સાત મિનિટે એક મેટ્રોની સર્વિસ ઉપલબ્ધ હશે, જેથી પ્રવાસીઓને અવરજવર કરવામાં સુવિધા મળી રહેશે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા આજે જારી કરાયેલ સત્તાવાર અખબારી યાદી મુજબ, મુસાફરો નવા સમયપત્રક મુજબ મુસાફરી કરી શકશે. મેટ્રો દ્વારા જાહેર કરાયેલા નવા સમયપત્રકની ખાસિયત એ છે કે વિવિધ રૂટને અલગ-અલગ રંગો દ્વારા ઓળખ આપવામાં આવી છે, જેમાં વસ્ત્રાલ-થલતેજ ઈસ્ટ-વેસ્ટ કોરિડોરને વાદળી (Blue), એપીએમસી-મોટેરા નોર્થ-સાઉથ કોરિડોરને લાલ (Red), મોટેરા-સચિવાલય કોરિડોર-1ને પીળો (Yellow) અને જીએનએલયુ (GNLU) – ગિફ્ટ સિટી (GIFT City) કોરિડોરને જાંબલી (Violet) રંગ આપવામાં આવ્યો છે. ગાંધીનગર સુધી મેટ્રો લંબાવવામાં આવતા હવે મુસાફરો માટે ગિફ્ટ સિટી અને સચિવાલય સુધી પહોંચવું વધુ સરળ બનશે.

વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ (ઈસ્ટ-વેસ્ટ કોરિડોર – બ્લુ લાઈન) કોરિડોર 21.1 કિમી લાંબો છે અને મુસાફરીનો સમય 45 મિનિટનો રહેશે. ટ્રેન ફ્રીક્વન્સીની વાત કરવામાં આવે તો સોમવારથી શુક્રવાર સવારે 8:00 થી 11:00 અને સાંજે 5:00 વાગ્યાથી 8:00 દરમિયાન દર 07 મિનિટે ટ્રેન મળશે. સોમવારથી શુક્રવાર અને શનિવાર દર 10 મિનિટે ટ્રેન મળશે. શનિવાર અને રવિવાર દર 12 મિનિટે ટ્રેન મળશે. પ્રથમ ટ્રેન અને છેલ્લી ટ્રેનના સમયની વાત કરવામાં આવે તો પ્રથમ ટ્રેન સવારે 06:20 વાગ્યે અને છેલ્લી ટ્રેન રાત્રે 10:00 વાગ્યે ઉપડશે.

PMC થી મોટેરા સ્ટેડિયમ (નોર્થ-સાઉથ કોરિડોર – રેડ લાઈન) કોરિડોર 18.8 કિમી લાંબો છે અને મુસાફરીનો સમય 32 મિનિટનો રહેશે. ટ્રેન ફ્રીક્વન્સીની વાત કરવામાં આવે તો આખા અઠવાડિયા દરમિયાન સોમવારથી રવિવાર દર 12 મિનિટે ટ્રેન ઉપલબ્ધ રહેશે. પ્રથમ ટ્રેન અને છેલ્લી ટ્રેનના સમયની વાત કરવામાં આવે તો બંને છેડેથી પ્રથમ ટ્રેન સવારે 06:20 વાગ્યે અને છેલ્લી ટ્રેન રાત્રે 10:00 વાગ્યે ઉપડશે.

ગાંધીનગર મેટ્રોના વિસ્તરણ સાથે લાઈન-3 (મોટેરા સ્ટેડિયમથી સચિવાલય) અને લાઈન-4 (GNLUથી ગિફ્ટ સિટી)ના સમયપત્રકની વિગતો પણ જાહેર કરવામાં આવી છે. મોટેરા સ્ટેડિયમથી સચિવાલય વચ્ચેના 16.9 કિમીના અંતર માટે મેટ્રો લાઈન-3 (યલો લાઈન) પર મુસાફરીનો સમય અંદાજે 47 મિનિટ રહેશે. આ રૂટ પર સવારે 08:11 થી રાત્રે 19:46 વાગ્યા સુધી સરેરાશ દર 36 મિનિટે ટ્રેન ઉપલબ્ધ રહેશે.

જોકે, બપોરના સમયે મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1 વચ્ચેની બે સ્પેશિયલ ટ્રિપ્સ (13:37 અને 14:46 વાગ્યે) માટે 69 મિનિટનો સમય નિર્ધારિત કરાયો છે. આ રૂટ પર મોટેરાથી પ્રથમ ટ્રેન સવારે 08:11 વાગ્યે અને સચિવાલયથી છેલ્લી ટ્રેન રાત્રે 7.46 વાગ્યે ઉપડશે.

બીજી તરફ, લાઈન-4 (વાયોલેટ લાઈન) જે GNLUથી ગિફ્ટ સિટીને જોડે છે, તે 5.8 કિમીનું અંતર માત્ર 8 મિનિટમાં કાપશે. આ રૂટ પર સવારે 07:41 વાગ્યાથી 10:11 દરમિયાન સરેરાશ દર 46 મિનિટે અને સાંજે 15:53 વાગ્યાથી 19:14 દરમિયાન દર ૬૨ મિનિટે મેટ્રો ટ્રેન દોડશે.

ખાસ નોંધવા જેવી બાબત એ છે કે સવારે 10:11 થી બપોરે 15:53 વાગ્યા સુધીના સમયગાળામાં મેટ્રો ટ્રેનને બદલે માત્ર બસ સેવાઓ ઉપલબ્ધ રહેશે. ગિફ્ટ સિટી જવા માટે છેલ્લી ટ્રેન GNLU થી સાંજે 18:53 વાગ્યે ઉપડશે, જ્યારે ગિફ્ટ સિટીથી પરત ફરવા માટે છેલ્લી ટ્રેન 19:14 વાગ્યે મળશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...