Tuesday, March 3, 2026

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો નવું ટાઈમ ટેબલ: હવે દર 7 મિનિટે મળશે ટ્રેન, જાણો તમામ રૂટના સમય અને કલર કોડ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મુસાફરી કરતા લોકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ગાંધીનગરના મહાત્મા મંદિર સુધીના મેટ્રો રૂટનું લોકાર્પણ કર્યું છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૧૧ જાન્યુઆરીના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર સુધીના મેટ્રો લિંકનું ઉદ્ઘાટન કર્યા બાદ હવે 16 જાન્યુઆરી 2026 (શુક્રવાર)થી આ રૂટ પર મેટ્રો ટ્રેનનું મેટ્રોનું નવું ટાઈમટેબલ અમલી બનશે, જેમાં પીકઅવર્સ દરમિયાન દર સાત મિનિટે એક મેટ્રોની સર્વિસ ઉપલબ્ધ હશે, જેથી પ્રવાસીઓને અવરજવર કરવામાં સુવિધા મળી રહેશે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા આજે જારી કરાયેલ સત્તાવાર અખબારી યાદી મુજબ, મુસાફરો નવા સમયપત્રક મુજબ મુસાફરી કરી શકશે. મેટ્રો દ્વારા જાહેર કરાયેલા નવા સમયપત્રકની ખાસિયત એ છે કે વિવિધ રૂટને અલગ-અલગ રંગો દ્વારા ઓળખ આપવામાં આવી છે, જેમાં વસ્ત્રાલ-થલતેજ ઈસ્ટ-વેસ્ટ કોરિડોરને વાદળી (Blue), એપીએમસી-મોટેરા નોર્થ-સાઉથ કોરિડોરને લાલ (Red), મોટેરા-સચિવાલય કોરિડોર-1ને પીળો (Yellow) અને જીએનએલયુ (GNLU) – ગિફ્ટ સિટી (GIFT City) કોરિડોરને જાંબલી (Violet) રંગ આપવામાં આવ્યો છે. ગાંધીનગર સુધી મેટ્રો લંબાવવામાં આવતા હવે મુસાફરો માટે ગિફ્ટ સિટી અને સચિવાલય સુધી પહોંચવું વધુ સરળ બનશે.

વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ (ઈસ્ટ-વેસ્ટ કોરિડોર – બ્લુ લાઈન) કોરિડોર 21.1 કિમી લાંબો છે અને મુસાફરીનો સમય 45 મિનિટનો રહેશે. ટ્રેન ફ્રીક્વન્સીની વાત કરવામાં આવે તો સોમવારથી શુક્રવાર સવારે 8:00 થી 11:00 અને સાંજે 5:00 વાગ્યાથી 8:00 દરમિયાન દર 07 મિનિટે ટ્રેન મળશે. સોમવારથી શુક્રવાર અને શનિવાર દર 10 મિનિટે ટ્રેન મળશે. શનિવાર અને રવિવાર દર 12 મિનિટે ટ્રેન મળશે. પ્રથમ ટ્રેન અને છેલ્લી ટ્રેનના સમયની વાત કરવામાં આવે તો પ્રથમ ટ્રેન સવારે 06:20 વાગ્યે અને છેલ્લી ટ્રેન રાત્રે 10:00 વાગ્યે ઉપડશે.

PMC થી મોટેરા સ્ટેડિયમ (નોર્થ-સાઉથ કોરિડોર – રેડ લાઈન) કોરિડોર 18.8 કિમી લાંબો છે અને મુસાફરીનો સમય 32 મિનિટનો રહેશે. ટ્રેન ફ્રીક્વન્સીની વાત કરવામાં આવે તો આખા અઠવાડિયા દરમિયાન સોમવારથી રવિવાર દર 12 મિનિટે ટ્રેન ઉપલબ્ધ રહેશે. પ્રથમ ટ્રેન અને છેલ્લી ટ્રેનના સમયની વાત કરવામાં આવે તો બંને છેડેથી પ્રથમ ટ્રેન સવારે 06:20 વાગ્યે અને છેલ્લી ટ્રેન રાત્રે 10:00 વાગ્યે ઉપડશે.

ગાંધીનગર મેટ્રોના વિસ્તરણ સાથે લાઈન-3 (મોટેરા સ્ટેડિયમથી સચિવાલય) અને લાઈન-4 (GNLUથી ગિફ્ટ સિટી)ના સમયપત્રકની વિગતો પણ જાહેર કરવામાં આવી છે. મોટેરા સ્ટેડિયમથી સચિવાલય વચ્ચેના 16.9 કિમીના અંતર માટે મેટ્રો લાઈન-3 (યલો લાઈન) પર મુસાફરીનો સમય અંદાજે 47 મિનિટ રહેશે. આ રૂટ પર સવારે 08:11 થી રાત્રે 19:46 વાગ્યા સુધી સરેરાશ દર 36 મિનિટે ટ્રેન ઉપલબ્ધ રહેશે.

જોકે, બપોરના સમયે મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1 વચ્ચેની બે સ્પેશિયલ ટ્રિપ્સ (13:37 અને 14:46 વાગ્યે) માટે 69 મિનિટનો સમય નિર્ધારિત કરાયો છે. આ રૂટ પર મોટેરાથી પ્રથમ ટ્રેન સવારે 08:11 વાગ્યે અને સચિવાલયથી છેલ્લી ટ્રેન રાત્રે 7.46 વાગ્યે ઉપડશે.

બીજી તરફ, લાઈન-4 (વાયોલેટ લાઈન) જે GNLUથી ગિફ્ટ સિટીને જોડે છે, તે 5.8 કિમીનું અંતર માત્ર 8 મિનિટમાં કાપશે. આ રૂટ પર સવારે 07:41 વાગ્યાથી 10:11 દરમિયાન સરેરાશ દર 46 મિનિટે અને સાંજે 15:53 વાગ્યાથી 19:14 દરમિયાન દર ૬૨ મિનિટે મેટ્રો ટ્રેન દોડશે.

ખાસ નોંધવા જેવી બાબત એ છે કે સવારે 10:11 થી બપોરે 15:53 વાગ્યા સુધીના સમયગાળામાં મેટ્રો ટ્રેનને બદલે માત્ર બસ સેવાઓ ઉપલબ્ધ રહેશે. ગિફ્ટ સિટી જવા માટે છેલ્લી ટ્રેન GNLU થી સાંજે 18:53 વાગ્યે ઉપડશે, જ્યારે ગિફ્ટ સિટીથી પરત ફરવા માટે છેલ્લી ટ્રેન 19:14 વાગ્યે મળશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...